વિશ્વના સૌથી ઉંચા યુધ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેસિયરમાં સેટેલાઈટ બેઝ્ડ ઈન્ટરનેટ સર્વિસનો પ્રારંભ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 11:04:55

વિશ્વના સૌથી ઉંચા યુધ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેસિયરમાં સેટેલાઈટ બેઝ્ડ ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. ભારતીય સેનાની ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. 



19,061 ફિટની ઉંચાઈ પર સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ


સિયાચિન ગ્લેસિયરમાં 19,061 ફિટની ઉંચાઈ પર સેટેલાઈટ આધારીત ઈન્ટરનેટ સર્વિસ એક્ટિવેટ કરવાનું કામ પૂરૂ થતાં માઈનસ 60 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા સેનાના જવાનોને હવામાન સંબંધિત માહિતી અને બીજી ઈન્ટરનેટ આધારીત સેવાઓ આસાનીથી મળી શકશે. 


હિમાલાયના પુર્વ કારાકોરમ રેન્જમાં સ્થિત સિયાચિન ગ્લેસિયરની લદ્દાખના ઉપરાજ્યપાલ આરકે માથુરે મુલાકાત લીધી હતી. તે દરમિયાન માથુર પેન્ગોગ અને નુબરા સબ ડિવિઝન પણ પહોંચ્યા હતા. તેમણે કેટલાક પ્રતિનિધી મંડળો સાથે બેઠક યોજી હતી. તેમણે નેટવર્ક અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવા માટે મોબાઈલ ટાવર લગાવવાની માંગ કરી હતી.






પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.