વિશ્વના સૌથી ઉંચા યુધ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેસિયરમાં સેટેલાઈટ બેઝ્ડ ઈન્ટરનેટ સર્વિસનો પ્રારંભ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 11:04:55

વિશ્વના સૌથી ઉંચા યુધ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેસિયરમાં સેટેલાઈટ બેઝ્ડ ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. ભારતીય સેનાની ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. 



19,061 ફિટની ઉંચાઈ પર સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ


સિયાચિન ગ્લેસિયરમાં 19,061 ફિટની ઉંચાઈ પર સેટેલાઈટ આધારીત ઈન્ટરનેટ સર્વિસ એક્ટિવેટ કરવાનું કામ પૂરૂ થતાં માઈનસ 60 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા સેનાના જવાનોને હવામાન સંબંધિત માહિતી અને બીજી ઈન્ટરનેટ આધારીત સેવાઓ આસાનીથી મળી શકશે. 


હિમાલાયના પુર્વ કારાકોરમ રેન્જમાં સ્થિત સિયાચિન ગ્લેસિયરની લદ્દાખના ઉપરાજ્યપાલ આરકે માથુરે મુલાકાત લીધી હતી. તે દરમિયાન માથુર પેન્ગોગ અને નુબરા સબ ડિવિઝન પણ પહોંચ્યા હતા. તેમણે કેટલાક પ્રતિનિધી મંડળો સાથે બેઠક યોજી હતી. તેમણે નેટવર્ક અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવા માટે મોબાઈલ ટાવર લગાવવાની માંગ કરી હતી.






આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .