વિશ્વના સૌથી ઉંચા યુધ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેસિયરમાં સેટેલાઈટ બેઝ્ડ ઈન્ટરનેટ સર્વિસનો પ્રારંભ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 11:04:55

વિશ્વના સૌથી ઉંચા યુધ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેસિયરમાં સેટેલાઈટ બેઝ્ડ ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. ભારતીય સેનાની ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. 



19,061 ફિટની ઉંચાઈ પર સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ


સિયાચિન ગ્લેસિયરમાં 19,061 ફિટની ઉંચાઈ પર સેટેલાઈટ આધારીત ઈન્ટરનેટ સર્વિસ એક્ટિવેટ કરવાનું કામ પૂરૂ થતાં માઈનસ 60 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા સેનાના જવાનોને હવામાન સંબંધિત માહિતી અને બીજી ઈન્ટરનેટ આધારીત સેવાઓ આસાનીથી મળી શકશે. 


હિમાલાયના પુર્વ કારાકોરમ રેન્જમાં સ્થિત સિયાચિન ગ્લેસિયરની લદ્દાખના ઉપરાજ્યપાલ આરકે માથુરે મુલાકાત લીધી હતી. તે દરમિયાન માથુર પેન્ગોગ અને નુબરા સબ ડિવિઝન પણ પહોંચ્યા હતા. તેમણે કેટલાક પ્રતિનિધી મંડળો સાથે બેઠક યોજી હતી. તેમણે નેટવર્ક અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવા માટે મોબાઈલ ટાવર લગાવવાની માંગ કરી હતી.






ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .