વિશ્વના સૌથી ઉંચા યુધ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેસિયરમાં સેટેલાઈટ બેઝ્ડ ઈન્ટરનેટ સર્વિસનો પ્રારંભ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 11:04:55

વિશ્વના સૌથી ઉંચા યુધ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેસિયરમાં સેટેલાઈટ બેઝ્ડ ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. ભારતીય સેનાની ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. 



19,061 ફિટની ઉંચાઈ પર સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ


સિયાચિન ગ્લેસિયરમાં 19,061 ફિટની ઉંચાઈ પર સેટેલાઈટ આધારીત ઈન્ટરનેટ સર્વિસ એક્ટિવેટ કરવાનું કામ પૂરૂ થતાં માઈનસ 60 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા સેનાના જવાનોને હવામાન સંબંધિત માહિતી અને બીજી ઈન્ટરનેટ આધારીત સેવાઓ આસાનીથી મળી શકશે. 


હિમાલાયના પુર્વ કારાકોરમ રેન્જમાં સ્થિત સિયાચિન ગ્લેસિયરની લદ્દાખના ઉપરાજ્યપાલ આરકે માથુરે મુલાકાત લીધી હતી. તે દરમિયાન માથુર પેન્ગોગ અને નુબરા સબ ડિવિઝન પણ પહોંચ્યા હતા. તેમણે કેટલાક પ્રતિનિધી મંડળો સાથે બેઠક યોજી હતી. તેમણે નેટવર્ક અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવા માટે મોબાઈલ ટાવર લગાવવાની માંગ કરી હતી.






અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.