મહારાષ્ટ્રમાં પાકિસ્તાન ઝીંદાબાદના નારા લાગ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 13:55:35



ગઈકાલે મહારાષ્ટ્રના પુણેમાં કલેક્ટર કચેરીની બહાર પાકિસ્તાન ઝીંદાબાદના નારા લાગ્યા હતા. પુણે શહેરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના લોકોનું સમૂહ ભેગું થયું હતું. તાજેતરમાં જ ચાલી રહેલી ઈડી, સીબીઆઈ અને પોલીસની રેડ મામલે તેઓ ભેગા થયા હતા. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના આઉટફિટના કારણે તેમના પર રેડ કરવામાં આવી હતી. આજે સવારે પોલીસે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના લોકોની અટકાયત કરી હતી. 


પાકિસ્તાન ઝીંદાબાદ, પાકિસ્તાન ઝીંદાબાદ 

આજે સવારે જ્યારે પોલીસે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના લોકોની અટકાયત કરી હતી ત્યારે તેમણે ભારત વીરોધી નારા લગાવ્યા હતા. પોલીસની વાનમાં તેમણે પાકિસ્તાન ઝીંદાબાદના નારા લગાવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના લોકો પોલીસ વાનમાં પૂરાયેલા છે અને જોરજોરથી નારા લગાવી રહ્યા છે. 


શું છે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા?

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના વર્ષ 2006માં કેરળમાં થઈ હતી. કર્ણાટકનું કર્ણાટક ફોરમ ઓફ ડિગ્નિટી પાર્ટી અને તમિલનાડુનું મનિથા નીતી પ્રસરાઈ પાર્ટી તેમાં જોડાઈ હતી. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય છે કે ભારતમાં ઈસ્લામિક પોલિટિકલ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરવી. ભારતના હિંદુત્વને કાઉન્ટર કરવા અને મુસ્લીમ લઘુમતિને રાજકીય માહોલ આપવો પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.