મહારાષ્ટ્રમાં પાકિસ્તાન ઝીંદાબાદના નારા લાગ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 13:55:35



ગઈકાલે મહારાષ્ટ્રના પુણેમાં કલેક્ટર કચેરીની બહાર પાકિસ્તાન ઝીંદાબાદના નારા લાગ્યા હતા. પુણે શહેરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના લોકોનું સમૂહ ભેગું થયું હતું. તાજેતરમાં જ ચાલી રહેલી ઈડી, સીબીઆઈ અને પોલીસની રેડ મામલે તેઓ ભેગા થયા હતા. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના આઉટફિટના કારણે તેમના પર રેડ કરવામાં આવી હતી. આજે સવારે પોલીસે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના લોકોની અટકાયત કરી હતી. 


પાકિસ્તાન ઝીંદાબાદ, પાકિસ્તાન ઝીંદાબાદ 

આજે સવારે જ્યારે પોલીસે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના લોકોની અટકાયત કરી હતી ત્યારે તેમણે ભારત વીરોધી નારા લગાવ્યા હતા. પોલીસની વાનમાં તેમણે પાકિસ્તાન ઝીંદાબાદના નારા લગાવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના લોકો પોલીસ વાનમાં પૂરાયેલા છે અને જોરજોરથી નારા લગાવી રહ્યા છે. 


શું છે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા?

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના વર્ષ 2006માં કેરળમાં થઈ હતી. કર્ણાટકનું કર્ણાટક ફોરમ ઓફ ડિગ્નિટી પાર્ટી અને તમિલનાડુનું મનિથા નીતી પ્રસરાઈ પાર્ટી તેમાં જોડાઈ હતી. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય છે કે ભારતમાં ઈસ્લામિક પોલિટિકલ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરવી. ભારતના હિંદુત્વને કાઉન્ટર કરવા અને મુસ્લીમ લઘુમતિને રાજકીય માહોલ આપવો પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.