રાજસ્થાન સરકારમાં કઈક નવા જૂની થવાના એંધાણ !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 19:57:26

રાજસ્થાનમાં કઈક નવા જૂની થવાના એંધાણ

 

રાજસ્થાનની રાજનીતિ ગરમાઈ છે અશોક ગહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી પદથી રાજીનામું આપે તેવી વાતો સામે આવી છે. અને હવે નવા મુખ્યમંત્રીના નામમાં સચિન પાનું નામ સામે આવી રહ્યું છે. સચિન પાલટ દિલ્હીથી જયપુર જવા રવાના થઈ ગયા છે. જો કે સીએમ પદ માટે કોંગ્રેસ નેતા સીપી જોશીના નામની પણ ચર્ચા ચાલી રહી છે.

 

રાજસ્થાનમાં બની શકે છે 2  ડેપ્યુટી સીએમ

 

આજે જયપુરમાં ધારાસભ્ય દળની બેઠકમાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રીના નામની સાથે બે ડેપ્યુટી સીએમના નામની પણ જાહેરાત થઈ શકે છે. જણાવી દઈએ કે અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. 26 કે 28 સપ્ટેમ્બરે અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી કરી શકે છે.

 

ગાંધી પરિવારમાંથી નહીં બને કોંગ્રેસ અધ્યક્ષ

ગાંધી પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ વખતે તેમના પરિવારમાંથી કોઈ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં. આજે જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગહલોતના નિવાસસ્થાને યોજાશે કોંગ્રેસ વિધેયક દળની બેઠક

 

આજે અશોક ગહલોત મુખ્યમંત્રી પદથી આપી શકે છે રાજીનામું !!!!!!!

 

અશોક ગહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચુંટણી માટે ઉમેદવાર બન્યા પેહલા પોતાના પદથી રાજીનામું આપી શકે છે. AICC ના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષે રવિવારે સાંજે સાત વાગ્યે જયપુરમાં યોજાનારી રાજસ્થાન કોંગ્રેસ વિધાયક દળની બેઠક માટે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.