રાજસ્થાન સરકારમાં કઈક નવા જૂની થવાના એંધાણ !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 19:57:26

રાજસ્થાનમાં કઈક નવા જૂની થવાના એંધાણ

 

રાજસ્થાનની રાજનીતિ ગરમાઈ છે અશોક ગહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી પદથી રાજીનામું આપે તેવી વાતો સામે આવી છે. અને હવે નવા મુખ્યમંત્રીના નામમાં સચિન પાનું નામ સામે આવી રહ્યું છે. સચિન પાલટ દિલ્હીથી જયપુર જવા રવાના થઈ ગયા છે. જો કે સીએમ પદ માટે કોંગ્રેસ નેતા સીપી જોશીના નામની પણ ચર્ચા ચાલી રહી છે.

 

રાજસ્થાનમાં બની શકે છે 2  ડેપ્યુટી સીએમ

 

આજે જયપુરમાં ધારાસભ્ય દળની બેઠકમાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રીના નામની સાથે બે ડેપ્યુટી સીએમના નામની પણ જાહેરાત થઈ શકે છે. જણાવી દઈએ કે અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. 26 કે 28 સપ્ટેમ્બરે અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી કરી શકે છે.

 

ગાંધી પરિવારમાંથી નહીં બને કોંગ્રેસ અધ્યક્ષ

ગાંધી પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ વખતે તેમના પરિવારમાંથી કોઈ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં. આજે જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગહલોતના નિવાસસ્થાને યોજાશે કોંગ્રેસ વિધેયક દળની બેઠક

 

આજે અશોક ગહલોત મુખ્યમંત્રી પદથી આપી શકે છે રાજીનામું !!!!!!!

 

અશોક ગહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચુંટણી માટે ઉમેદવાર બન્યા પેહલા પોતાના પદથી રાજીનામું આપી શકે છે. AICC ના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષે રવિવારે સાંજે સાત વાગ્યે જયપુરમાં યોજાનારી રાજસ્થાન કોંગ્રેસ વિધાયક દળની બેઠક માટે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.