Paytm સામે માટે શા માટે કરાઈ કડક કાર્યવાહી? RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2024-02-08 16:20:21

દેશની સૌથી મોટી ઓનલાઈન કંપની પેટીએમ વિરૂધ્ધ આરબીઆઈએ તાજેતરમાં જ મોટી કાર્યવાહી કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ગુરૂવારે કહ્યું કે પેટીએમ મામલામાં મેનેજમેન્ટના સ્તર પર કોઈ ચિંતાની વાત નથી. જો કે પેટીએમ પર કાર્યવાહી પેટીએમ પેમેન્ટસ બેંક પર કાર્યવાહી નિયમોનું અનુપાલન નહીં કરવાના કારણે થઈ છે. દાસે કહ્યું કે આરબીઆઈ એક જવાબદાર રેગ્યુલેટર છે, તેમણે સવાલના લહેકામાં પૂછ્યું કે જો આરબીઆઈના વર્તુળમાં આવતી તમામ નાણાકીય સંસ્થાઓ તમામ જરૂરીયાતો પૂરી કરે છે તો કેન્દ્રીય બેંકને કોઈ યુનિટની સામે કાર્યવાહીની શું જરૂર છે? ઉલ્લેખનિય છે કે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટસ બેંકની તમામ સર્વિસ પર માર્ચ સુધી રોક લગાવી દીધી છે. માત્ર ટ્રાન્સફર અને વિડ્રોઅલની જ મંજુરી આપી છે. પરંતું 29 ફેબ્રુઆરીથી યુઝર્સ તેમનું વોલેટ કે ફાસ્ટેગ ટોપ નહીં કર શકેગે. તેની સાથે જ પોતાના એકાઉન્ટમાં પૈસા ડિપોઝીટ કરી શકશે નહીં. 


ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે કાર્યવાહી


શક્તિકાંત દાસે આ અંગે કહ્યું કે આરબીઆઈ દ્વિપક્ષીય આધાર પર સંસ્થાઓની કામ કરે છે. તેમને જરૂરી સમય આપીને નિયમોના અનુપાલન માટે પ્રોત્સાહિત કરે છે. નિરિક્ષણ સ્તર કાર્યવાહી ત્યારે જ કરવામાં આવે છે જ્યારે કોઈ યુનિટ દ્વારા જરૂરી પગલા લેવામાં આવતા નથી. જ્યારે રેગ્યલેટેડ કંપની (બેંક અને એનબીએફસી) અસરકારક કાર્યવાહી નથી કરતી ત્યારે જ અમે કામકાજ પર પ્રતિબંધ લગાવવા માટે પગલા ભરીએ છીએ. તેમણે કહ્યું કે કાર્યવાહીના સ્તરે સ્થિરતા કે ડિપોઝીટર કે  ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. 


ઈનોવેશન પર શું કહ્યું?


ગવર્નર દાસે ફાયનાન્સિયલ સેક્ટરમાં ઈનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રિય બેંકની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે કેન્દ્રિય બેંક ચિંતાઓ દુર કરવા માટે આગામી સપ્તાહે  FAQ જાહેર કરશે. વધુમાં તેમણે કહ્યું કે આરબીઆઈને આ મામલે લોકોની વ્યાપક પ્રતિક્રિયાઓ મળી છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથનજીએ કહ્યું કે ફાયનાન્સિયલ ટેકનોલોજી (ફિનટેક) સામે કાર્યવાહી સતત નિયમોનું પાલન નહીં કરવાના કારણે કરવામાં આવી છે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.