Paytm સામે માટે શા માટે કરાઈ કડક કાર્યવાહી? RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2024-02-08 16:20:21

દેશની સૌથી મોટી ઓનલાઈન કંપની પેટીએમ વિરૂધ્ધ આરબીઆઈએ તાજેતરમાં જ મોટી કાર્યવાહી કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ગુરૂવારે કહ્યું કે પેટીએમ મામલામાં મેનેજમેન્ટના સ્તર પર કોઈ ચિંતાની વાત નથી. જો કે પેટીએમ પર કાર્યવાહી પેટીએમ પેમેન્ટસ બેંક પર કાર્યવાહી નિયમોનું અનુપાલન નહીં કરવાના કારણે થઈ છે. દાસે કહ્યું કે આરબીઆઈ એક જવાબદાર રેગ્યુલેટર છે, તેમણે સવાલના લહેકામાં પૂછ્યું કે જો આરબીઆઈના વર્તુળમાં આવતી તમામ નાણાકીય સંસ્થાઓ તમામ જરૂરીયાતો પૂરી કરે છે તો કેન્દ્રીય બેંકને કોઈ યુનિટની સામે કાર્યવાહીની શું જરૂર છે? ઉલ્લેખનિય છે કે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટસ બેંકની તમામ સર્વિસ પર માર્ચ સુધી રોક લગાવી દીધી છે. માત્ર ટ્રાન્સફર અને વિડ્રોઅલની જ મંજુરી આપી છે. પરંતું 29 ફેબ્રુઆરીથી યુઝર્સ તેમનું વોલેટ કે ફાસ્ટેગ ટોપ નહીં કર શકેગે. તેની સાથે જ પોતાના એકાઉન્ટમાં પૈસા ડિપોઝીટ કરી શકશે નહીં. 


ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે કાર્યવાહી


શક્તિકાંત દાસે આ અંગે કહ્યું કે આરબીઆઈ દ્વિપક્ષીય આધાર પર સંસ્થાઓની કામ કરે છે. તેમને જરૂરી સમય આપીને નિયમોના અનુપાલન માટે પ્રોત્સાહિત કરે છે. નિરિક્ષણ સ્તર કાર્યવાહી ત્યારે જ કરવામાં આવે છે જ્યારે કોઈ યુનિટ દ્વારા જરૂરી પગલા લેવામાં આવતા નથી. જ્યારે રેગ્યલેટેડ કંપની (બેંક અને એનબીએફસી) અસરકારક કાર્યવાહી નથી કરતી ત્યારે જ અમે કામકાજ પર પ્રતિબંધ લગાવવા માટે પગલા ભરીએ છીએ. તેમણે કહ્યું કે કાર્યવાહીના સ્તરે સ્થિરતા કે ડિપોઝીટર કે  ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. 


ઈનોવેશન પર શું કહ્યું?


ગવર્નર દાસે ફાયનાન્સિયલ સેક્ટરમાં ઈનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રિય બેંકની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે કેન્દ્રિય બેંક ચિંતાઓ દુર કરવા માટે આગામી સપ્તાહે  FAQ જાહેર કરશે. વધુમાં તેમણે કહ્યું કે આરબીઆઈને આ મામલે લોકોની વ્યાપક પ્રતિક્રિયાઓ મળી છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથનજીએ કહ્યું કે ફાયનાન્સિયલ ટેકનોલોજી (ફિનટેક) સામે કાર્યવાહી સતત નિયમોનું પાલન નહીં કરવાના કારણે કરવામાં આવી છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.