વાવ વિધાનસભા બેઠકનું સમીકરણ, કોંગ્રેસની બેઠક પર કોણ પડશે ગાબડું ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-27 17:39:33

વાવ વિધાનસભા પર ઠાકોર ચૌધરી જીતનો માસ્ટરસ્ટ્રોક

                ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ચૂંટણીમાં ફતેહ કરવા ઉમેદવારો થનગની રહ્યા છે. સરહદી વિસ્તારમાં પણ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. જો બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કરતાં કોંગ્રેસનો હાથ ભારે રહ્યો છે. જીતના સિકંદરની વાત કરીએ તો અહીંના ઠાકોર અને ચૌધરી સમાજ કિંગ મેકર જેવી ભૂમિકામાં છે. આ બે મોટા સમાજ જે તરફી ઝુકે ત્યાં જીતનો જશ્ન જામે છે.

 
ગેનીબેન ઠાકોર છે અહીંના ધારાસભ્ય

ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને પરાજ્યનો સામનો કરવો પડ્યો હતો અને કોંગ્રેસના ગેની બેન વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય બન્યા હતા.ઉટપટાંગ નિવેદનોથી મીડિયા લાઇમલાઇટમાં રહેતાં ગેનીબેન ઠાકોર ધારાસભ્ય તરીકે લોકોને કોઇ ખાસ મદદ કરી શક્યા નથી તેવું ત્યાંના લોકોનું કહેવું છે દારૂબંધીની વાતો અને વિરોધ કરતા ગેનીબેનના જ વિસ્તારમાં દારૂ વેચાય છે અને તેમને આ બાબતે પૂછતાં તેઓ પોલીસ અધિકારીઓને આ બાબતે જવાબદાર માને છે

 

વાવ બેઠક પર કોંગ્રેસનો દબદબો

વાવ બેઠક પર કોંગ્રેસની મજબૂત પકડ છે. અહીં વર્ષ 1967થી 2017 સુધી કુલ 12 ચૂંટણીઓ થઇ થઇ છે અને આ 12 ચૂંટણીમાંથી 7 વખત કોંગ્રેસે જીતનો પરચમ લહેરાવ્યો છે. 2017માં કોંગ્રેસે પરચમ લહેરાવ્યો હતો વાવ વિધાનસભાના 2017ના આંકડાઓ પર નજર કરીયે...

 
કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં 6655 મતોથી જીત મેળવી હતી
2017માં કોંગ્રેસના ઉમેદવારને 49.0 ટકા વોટ મળ્યા હતા
2017માં ભાજપના ઉમેદવારને 45.82 ટકા વોટ મળ્યા હતા
2011ની વસ્તી ગણતરી મુજબ 3,69,497 મતદારો છે.
2017ની વિધાનસભામાં 81.22 ટકા મતદાન નોંધાયું હતું

 


વાવ બેઠક પર આવા છે જાતિગત સમીકરણો

નવા સીમાંકન બાદ વાવ વિધાનસભા બેઠક બે ભાગમાં વિભાજીત થઈ છે. વાવની બેઠકમાં રાધનપુરના 32 ગામનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર ઠાકોર, ચૌધરી, ક્ષત્રિય અને બ્રાહ્મણ જાતિના મતદારો પ્રભુત્વ ધરાવે છે.આ બેઠક પરના જાતિગત સમીકરણની વાત કરીએ તો, આ બેઠક પર ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા અને રબારી 9.1 ટકા મતદારો છે.

 

AAPની આ બેઠક પર શું રણનીતિ હોઈ શકે ?

જો ચૂંટણી વિશ્લેષકોનું માનીએ તો અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં મેદાનમાં છે. તેથી ગુજરાતની ઘણી વિધાનસભા બેઠકો પર સ્પર્ધા રસપ્રદ બની શકે છે.વાવ વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. જો કે આ વખતે ચૂંટણીમાં ટ્વિસ્ટ આવી શકે છે.અને કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક પર પક્ષ મહત્વનો નથી પણ ઉમેદવાર કયા સમાજમાંથી આવે છે એ મહત્વનું છે વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપ તરફી જ્યારે ઠાકોર વોટબેંક પર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. આ બે મોટા સમુદાય જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલ્લુ નમે છે. જોકે અહીં એક અનોખી વાત એ પણ જોવા મળી રહી છે કે, લોકસભા અને વિધાનસભામાં પરિણામ એકબીજાથી વિપરીત હોય છે.આ તમામ ઘટનાઓની વચ્ચે હવે જોવાનુ એ રહેશે કે આગામી 2022 ની ચૂંટણીમાં કયો પક્ષ પોતાની જીત માટે કેવી તૈયારી કરે છે અને કયા સમીકરણો જનતાને આકર્ષવામાં સફળ રહે છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.