વાવ વિધાનસભા બેઠકનું સમીકરણ, કોંગ્રેસની બેઠક પર કોણ પડશે ગાબડું ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-27 17:39:33

વાવ વિધાનસભા પર ઠાકોર ચૌધરી જીતનો માસ્ટરસ્ટ્રોક

                ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ચૂંટણીમાં ફતેહ કરવા ઉમેદવારો થનગની રહ્યા છે. સરહદી વિસ્તારમાં પણ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. જો બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કરતાં કોંગ્રેસનો હાથ ભારે રહ્યો છે. જીતના સિકંદરની વાત કરીએ તો અહીંના ઠાકોર અને ચૌધરી સમાજ કિંગ મેકર જેવી ભૂમિકામાં છે. આ બે મોટા સમાજ જે તરફી ઝુકે ત્યાં જીતનો જશ્ન જામે છે.

 
ગેનીબેન ઠાકોર છે અહીંના ધારાસભ્ય

ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને પરાજ્યનો સામનો કરવો પડ્યો હતો અને કોંગ્રેસના ગેની બેન વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય બન્યા હતા.ઉટપટાંગ નિવેદનોથી મીડિયા લાઇમલાઇટમાં રહેતાં ગેનીબેન ઠાકોર ધારાસભ્ય તરીકે લોકોને કોઇ ખાસ મદદ કરી શક્યા નથી તેવું ત્યાંના લોકોનું કહેવું છે દારૂબંધીની વાતો અને વિરોધ કરતા ગેનીબેનના જ વિસ્તારમાં દારૂ વેચાય છે અને તેમને આ બાબતે પૂછતાં તેઓ પોલીસ અધિકારીઓને આ બાબતે જવાબદાર માને છે

 

વાવ બેઠક પર કોંગ્રેસનો દબદબો

વાવ બેઠક પર કોંગ્રેસની મજબૂત પકડ છે. અહીં વર્ષ 1967થી 2017 સુધી કુલ 12 ચૂંટણીઓ થઇ થઇ છે અને આ 12 ચૂંટણીમાંથી 7 વખત કોંગ્રેસે જીતનો પરચમ લહેરાવ્યો છે. 2017માં કોંગ્રેસે પરચમ લહેરાવ્યો હતો વાવ વિધાનસભાના 2017ના આંકડાઓ પર નજર કરીયે...

 
કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં 6655 મતોથી જીત મેળવી હતી
2017માં કોંગ્રેસના ઉમેદવારને 49.0 ટકા વોટ મળ્યા હતા
2017માં ભાજપના ઉમેદવારને 45.82 ટકા વોટ મળ્યા હતા
2011ની વસ્તી ગણતરી મુજબ 3,69,497 મતદારો છે.
2017ની વિધાનસભામાં 81.22 ટકા મતદાન નોંધાયું હતું

 


વાવ બેઠક પર આવા છે જાતિગત સમીકરણો

નવા સીમાંકન બાદ વાવ વિધાનસભા બેઠક બે ભાગમાં વિભાજીત થઈ છે. વાવની બેઠકમાં રાધનપુરના 32 ગામનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર ઠાકોર, ચૌધરી, ક્ષત્રિય અને બ્રાહ્મણ જાતિના મતદારો પ્રભુત્વ ધરાવે છે.આ બેઠક પરના જાતિગત સમીકરણની વાત કરીએ તો, આ બેઠક પર ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા અને રબારી 9.1 ટકા મતદારો છે.

 

AAPની આ બેઠક પર શું રણનીતિ હોઈ શકે ?

જો ચૂંટણી વિશ્લેષકોનું માનીએ તો અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં મેદાનમાં છે. તેથી ગુજરાતની ઘણી વિધાનસભા બેઠકો પર સ્પર્ધા રસપ્રદ બની શકે છે.વાવ વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. જો કે આ વખતે ચૂંટણીમાં ટ્વિસ્ટ આવી શકે છે.અને કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક પર પક્ષ મહત્વનો નથી પણ ઉમેદવાર કયા સમાજમાંથી આવે છે એ મહત્વનું છે વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપ તરફી જ્યારે ઠાકોર વોટબેંક પર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. આ બે મોટા સમુદાય જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલ્લુ નમે છે. જોકે અહીં એક અનોખી વાત એ પણ જોવા મળી રહી છે કે, લોકસભા અને વિધાનસભામાં પરિણામ એકબીજાથી વિપરીત હોય છે.આ તમામ ઘટનાઓની વચ્ચે હવે જોવાનુ એ રહેશે કે આગામી 2022 ની ચૂંટણીમાં કયો પક્ષ પોતાની જીત માટે કેવી તૈયારી કરે છે અને કયા સમીકરણો જનતાને આકર્ષવામાં સફળ રહે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.