બટાકાની નગરી ડીસામાં જામ્યો છે ચૂંટણીનો રંગ


  • Published By :
  • Published Date : 2022-10-29 17:29:46

બટાકાની નગરી ડીસામાં જામ્યો છે ચૂંટણીનો રંગ 

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે.ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ડીસા વિધાનસભા બેઠક પર આ વખતે રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે. હાલ આ બેઠક પર ભાજપનો કબજો છે પરંતુ કોંગ્રેસ અને AAP કોઈપણ સંજોગોમાં આ બેઠક જીતવા ઈચ્છે છે બનાસકાંઠાની ડીસા વિધાનસભા સીટ પર પણ રાજનીતિક દળોએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.


ડીસા વિધાન સભા બેઠક 

આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પંડ્યા શશિકાંત મહોબતરામે કોંગ્રેસના ગોવાભાઈ રબારીને લગભગ 14,000 મતોથી હરાવ્યા હતા. બનાસકાઠા જિલ્લાની ડીસા વિધાનસભા બેઠક જિલ્લાની સંસદીય બેઠકમાં ઘણી મહત્વની છે. અહીંના સાંસદ પરબત ભાઈ પટેલ ભાજપના છે અને કેન્દ્રીય નેતૃત્વ ઈચ્છે છે કે ડીસા ભાજપના નિયંત્રણમાં રહે.ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો આવેલી છે. આ 182 બેઠકમાં ડીસા વિધાનસભા બેઠકનો ક્રમાંક 13 છે. આ બેઠક પર યોજાયેલી અત્યાર સુધીની વિધાનસભા ચુંટણીની વાત કરીએ તો ગુજરાતની ડીસા વિધાનસભા સીટ પર છેલ્લા બે દાયકાથી જેટલી પણ ચૂંટણી થઈ છે, મુખ્યત્વે દર પાંચ વર્ષે અહીં ધારાસભ્ય બદલાઈ જાય છે અત્યાર સુધીમાં આ વિધાનસભા સીટ પર થયેલી ચૂંટણીમાં 5 વખત કોંગ્રેસને જીત મળી છે, જ્યારે ચારવાર ભાજપે જીત મેળવી છે


ડીસા વિધાનસભા બેઠકનું જાતીય સમીકરણ

બનાસકાંઠાની ડીસા વિધાનસભા સીટ એક સામાન્ય સીટ છે, આ સીટ પર અનુસૂચિત જાતિના મતદાતાઓની સંખ્યા 10 ટકા છે તો જ્યારે અનુસૂચિત જનજાતિના મતદાતા 3 ટકાની નજીક છે. આ સીટ પર 3 ટકા મુસ્લિમ વોટર પણ છે. જો કે આ વિધાનસભા સીટ પર પટેલ મતદાતાઓની સંખ્યા નિર્ણાયક માનવામાં આવે છે. 70 ટકાની નજીક ગ્રામીણ મતદાતા છે, જ્યારે શહેરી મતદાતાઓની સંખ્યા 30 ટકાની નજીક છે.


ડીસા વિધાનસભાનું મતદાન સમીકરણ

2011ની વસ્તી ગણતરી મુજબ અહીંની વસ્તી 3.5 લાખથી વધુ છે. કુલ 68.99 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, જ્યારે 31 ટકા લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. અનુસૂચિત જાતિના મતદારોની સંખ્યા 8.94 ટકા છે જ્યારે અનુસૂચિત જનજાતિના મતદારોની સંખ્યા માત્ર 2.63 ટકા છે. લોકસભા ચૂંટણી 2019માં અહીં 62.51 ટકા મતદાન થયું હતું જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 71.74 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભા ચૂંટણીમાં ભાજપને અહીં 69.14 ટકા વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસને માત્ર 20 ટકા વોટથી સંતોષ માનવો પડ્યો હતો.


ડીસા વિધાનસભા બેઠક પર AAPની શું રણનીતિ હોઈ શકે 

આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ જંપલાવ્યું છે અને ગુજરાતમાં જોરશોરથી તેની તૈયારીઓ પણ દેખાઈ રહી છે. ડીસા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ શિક્ષિત ઉમેદવારની પસંદગી કરી છે. ડીસા વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ ડો. રમેશ પટેલની જાહેરાત કરી છે. ડો. રમેશ પટેલ શરૂઆતથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ અને હાલ જિલ્લા પ્રમુખ પદે કાર્યરત છે. જ્યારે તેઓ બનાસકાંઠાના સૌથી મોટા સમાજ ચૌધરી સમાજમાંથી આવે છે. તેઓ ડીસામાં ઓર્થોપેડિક ડોક્ટર છે અને પોતાની પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવે છે.તેમના નામની જાહેરાત કરી આમ આદમી પાર્ટીએ પોતાની ચાણક્યનીતિ સાબિત કરી છે. જેથી હવે ભાજપ અને કોંગ્રેસ બંનેને પણ ઉમેદવારોની જાહેરાત કરતા પહેલા તેમની રણનીતિ બદલવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે આ વખતે ડીસા વિધાનસભાની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ સર્જાય અને તે ખૂબ રસપ્રદ બની રહે તેવી સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે પણ છેલ્લે તો જનતાએ જ નક્કી કરવાનું છે કે કોને જીતનો દાવેદાર બનાવવો છે



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.