બટાકાની નગરી ડીસામાં જામ્યો છે ચૂંટણીનો રંગ


  • Published By :
  • Published Date : 2022-10-29 17:29:46

બટાકાની નગરી ડીસામાં જામ્યો છે ચૂંટણીનો રંગ 

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે.ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ડીસા વિધાનસભા બેઠક પર આ વખતે રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે. હાલ આ બેઠક પર ભાજપનો કબજો છે પરંતુ કોંગ્રેસ અને AAP કોઈપણ સંજોગોમાં આ બેઠક જીતવા ઈચ્છે છે બનાસકાંઠાની ડીસા વિધાનસભા સીટ પર પણ રાજનીતિક દળોએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.


ડીસા વિધાન સભા બેઠક 

આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પંડ્યા શશિકાંત મહોબતરામે કોંગ્રેસના ગોવાભાઈ રબારીને લગભગ 14,000 મતોથી હરાવ્યા હતા. બનાસકાઠા જિલ્લાની ડીસા વિધાનસભા બેઠક જિલ્લાની સંસદીય બેઠકમાં ઘણી મહત્વની છે. અહીંના સાંસદ પરબત ભાઈ પટેલ ભાજપના છે અને કેન્દ્રીય નેતૃત્વ ઈચ્છે છે કે ડીસા ભાજપના નિયંત્રણમાં રહે.ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો આવેલી છે. આ 182 બેઠકમાં ડીસા વિધાનસભા બેઠકનો ક્રમાંક 13 છે. આ બેઠક પર યોજાયેલી અત્યાર સુધીની વિધાનસભા ચુંટણીની વાત કરીએ તો ગુજરાતની ડીસા વિધાનસભા સીટ પર છેલ્લા બે દાયકાથી જેટલી પણ ચૂંટણી થઈ છે, મુખ્યત્વે દર પાંચ વર્ષે અહીં ધારાસભ્ય બદલાઈ જાય છે અત્યાર સુધીમાં આ વિધાનસભા સીટ પર થયેલી ચૂંટણીમાં 5 વખત કોંગ્રેસને જીત મળી છે, જ્યારે ચારવાર ભાજપે જીત મેળવી છે


ડીસા વિધાનસભા બેઠકનું જાતીય સમીકરણ

બનાસકાંઠાની ડીસા વિધાનસભા સીટ એક સામાન્ય સીટ છે, આ સીટ પર અનુસૂચિત જાતિના મતદાતાઓની સંખ્યા 10 ટકા છે તો જ્યારે અનુસૂચિત જનજાતિના મતદાતા 3 ટકાની નજીક છે. આ સીટ પર 3 ટકા મુસ્લિમ વોટર પણ છે. જો કે આ વિધાનસભા સીટ પર પટેલ મતદાતાઓની સંખ્યા નિર્ણાયક માનવામાં આવે છે. 70 ટકાની નજીક ગ્રામીણ મતદાતા છે, જ્યારે શહેરી મતદાતાઓની સંખ્યા 30 ટકાની નજીક છે.


ડીસા વિધાનસભાનું મતદાન સમીકરણ

2011ની વસ્તી ગણતરી મુજબ અહીંની વસ્તી 3.5 લાખથી વધુ છે. કુલ 68.99 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, જ્યારે 31 ટકા લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. અનુસૂચિત જાતિના મતદારોની સંખ્યા 8.94 ટકા છે જ્યારે અનુસૂચિત જનજાતિના મતદારોની સંખ્યા માત્ર 2.63 ટકા છે. લોકસભા ચૂંટણી 2019માં અહીં 62.51 ટકા મતદાન થયું હતું જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 71.74 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભા ચૂંટણીમાં ભાજપને અહીં 69.14 ટકા વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસને માત્ર 20 ટકા વોટથી સંતોષ માનવો પડ્યો હતો.


ડીસા વિધાનસભા બેઠક પર AAPની શું રણનીતિ હોઈ શકે 

આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ જંપલાવ્યું છે અને ગુજરાતમાં જોરશોરથી તેની તૈયારીઓ પણ દેખાઈ રહી છે. ડીસા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ શિક્ષિત ઉમેદવારની પસંદગી કરી છે. ડીસા વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ ડો. રમેશ પટેલની જાહેરાત કરી છે. ડો. રમેશ પટેલ શરૂઆતથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ અને હાલ જિલ્લા પ્રમુખ પદે કાર્યરત છે. જ્યારે તેઓ બનાસકાંઠાના સૌથી મોટા સમાજ ચૌધરી સમાજમાંથી આવે છે. તેઓ ડીસામાં ઓર્થોપેડિક ડોક્ટર છે અને પોતાની પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવે છે.તેમના નામની જાહેરાત કરી આમ આદમી પાર્ટીએ પોતાની ચાણક્યનીતિ સાબિત કરી છે. જેથી હવે ભાજપ અને કોંગ્રેસ બંનેને પણ ઉમેદવારોની જાહેરાત કરતા પહેલા તેમની રણનીતિ બદલવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે આ વખતે ડીસા વિધાનસભાની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ સર્જાય અને તે ખૂબ રસપ્રદ બની રહે તેવી સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે પણ છેલ્લે તો જનતાએ જ નક્કી કરવાનું છે કે કોને જીતનો દાવેદાર બનાવવો છે



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .