'મિર્ઝાપુર 3' પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટે કર્યો ઇનકાર, સિરીઝની તરફેણમાં નિર્ણય!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 19:22:55


ક્રાઈમ વેબ સીરિઝ 'મિર્ઝાપુર'ને લઈને ફેન્સનો ક્રેઝ કોઈનાથી છુપાયેલો નથી. પ્રથમ અને બીજી સીઝન બાદ ચાહકો લાંબા સમયથી 'મિર્ઝાપુર'ની ત્રીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ચાહકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.  સીરિઝમાં ઉપયોગમાં લેવાતી ભાષા અને બતાવવામાં આવેલા દ્રશ્યોને લઈને કોર્ટમાં 'મિર્ઝાપુર' પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. હવે આ અંગે કોર્ટનો નિર્ણય સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ વેબ સિરીઝના ચાહકોની તરફેણમાં ચુકાદો આપ્યો છે.


સુપ્રિમકોર્ટની સુનાવણીમાં મિર્ઝાપુર પર પ્રતિબંધ લગાવાની માંગ સ્વીકારવામાં આવી નથી.ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની ખંડપીઠે મિર્ઝાપુરના રહેવાસી સુજીત કુમાર સિંહની અરજી પર સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો હતો. એટલું જ નહીં, કોર્ટે અરજીકર્તાને વધુ સારી પિટિશન દાખલ કરવા કહ્યું છે. આ સિવાય કોર્ટે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે વેબ સિરીઝને પ્રી-સ્ક્રીન કેવી રીતે શક્ય છે.


દાખલ કરવામાં આવેલી અરજીમાં OTT અથવા સીધા ઓનલાઈન પર રિલીઝ થનારી સીરિઝ, ફિલ્મો અને અન્ય કન્ટેન્ટ વિશે કહેવામાં આવ્યું હતું કે તેમની રિલીઝ પહેલા 'પ્રી-સ્ક્રીનિંગ' કરવામાં આવે. જેના પર કોર્ટે કહ્યું, 'વેબ સિરીઝ માટે પ્રી-સ્ક્રિનિંગ કમિટી કેવી રીતે હોઈ શકે? આ એક વિશેષ કાયદો છે, સિવાય કે તમે કહો કે OTT પણ આ કાયદાનો એક ભાગ છે. તમારે કહેવું છે કે હાલનો કાયદો OTT પર પણ લાગુ થવો જોઈએ. આ પછી ઘણા પ્રશ્નો ઉભા થશે, કારણ કે તે અન્ય દેશોમાંથી પણ પ્રસારિત થાય છે.


કોર્ટએ અરજી કરનારને ફરિયાદ પાછી લેવાનું કહ્યું તેમણે કહ્યું,'ઓટીટી પર આવતી સામગ્રી અન્ય દેશોમાંથી પણ પ્રસારિત થાય છે, જે તમામ દર્શકો દ્વારા જોવામાં આવે છે. તે પછી બધું અલગ છે. તમારી ફાઇલ કરેલી પિટિશન વ્યાપક હોવી જોઈએ, તેથી તમે વધુ સારી રીતે પિટિશન ફાઇલ કરો. આ નિર્ણય સામે આવ્યા પછી, હવે 'મિર્ઝાપુર'ના ચાહકો ખૂબ જ ખુશ છે અને આ સિરીઝના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.




IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .