'મિર્ઝાપુર 3' પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટે કર્યો ઇનકાર, સિરીઝની તરફેણમાં નિર્ણય!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 19:22:55


ક્રાઈમ વેબ સીરિઝ 'મિર્ઝાપુર'ને લઈને ફેન્સનો ક્રેઝ કોઈનાથી છુપાયેલો નથી. પ્રથમ અને બીજી સીઝન બાદ ચાહકો લાંબા સમયથી 'મિર્ઝાપુર'ની ત્રીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ચાહકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.  સીરિઝમાં ઉપયોગમાં લેવાતી ભાષા અને બતાવવામાં આવેલા દ્રશ્યોને લઈને કોર્ટમાં 'મિર્ઝાપુર' પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. હવે આ અંગે કોર્ટનો નિર્ણય સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ વેબ સિરીઝના ચાહકોની તરફેણમાં ચુકાદો આપ્યો છે.


સુપ્રિમકોર્ટની સુનાવણીમાં મિર્ઝાપુર પર પ્રતિબંધ લગાવાની માંગ સ્વીકારવામાં આવી નથી.ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની ખંડપીઠે મિર્ઝાપુરના રહેવાસી સુજીત કુમાર સિંહની અરજી પર સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો હતો. એટલું જ નહીં, કોર્ટે અરજીકર્તાને વધુ સારી પિટિશન દાખલ કરવા કહ્યું છે. આ સિવાય કોર્ટે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે વેબ સિરીઝને પ્રી-સ્ક્રીન કેવી રીતે શક્ય છે.


દાખલ કરવામાં આવેલી અરજીમાં OTT અથવા સીધા ઓનલાઈન પર રિલીઝ થનારી સીરિઝ, ફિલ્મો અને અન્ય કન્ટેન્ટ વિશે કહેવામાં આવ્યું હતું કે તેમની રિલીઝ પહેલા 'પ્રી-સ્ક્રીનિંગ' કરવામાં આવે. જેના પર કોર્ટે કહ્યું, 'વેબ સિરીઝ માટે પ્રી-સ્ક્રિનિંગ કમિટી કેવી રીતે હોઈ શકે? આ એક વિશેષ કાયદો છે, સિવાય કે તમે કહો કે OTT પણ આ કાયદાનો એક ભાગ છે. તમારે કહેવું છે કે હાલનો કાયદો OTT પર પણ લાગુ થવો જોઈએ. આ પછી ઘણા પ્રશ્નો ઉભા થશે, કારણ કે તે અન્ય દેશોમાંથી પણ પ્રસારિત થાય છે.


કોર્ટએ અરજી કરનારને ફરિયાદ પાછી લેવાનું કહ્યું તેમણે કહ્યું,'ઓટીટી પર આવતી સામગ્રી અન્ય દેશોમાંથી પણ પ્રસારિત થાય છે, જે તમામ દર્શકો દ્વારા જોવામાં આવે છે. તે પછી બધું અલગ છે. તમારી ફાઇલ કરેલી પિટિશન વ્યાપક હોવી જોઈએ, તેથી તમે વધુ સારી રીતે પિટિશન ફાઇલ કરો. આ નિર્ણય સામે આવ્યા પછી, હવે 'મિર્ઝાપુર'ના ચાહકો ખૂબ જ ખુશ છે અને આ સિરીઝના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.