પંચાયત સંવર્ગના આરોગ્ય કર્મચારીઓને સરકારનું 'ગલકું'?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 17:28:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાત સરકારના કર્મચારીઓ અને આંદોલનકારી યુવાનોએ LRD-SRPF જેવા અનેક મુદ્દાઓ સાથે ગુજરાત સરકાર પર લોકોએ દબાણ કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. ગુજરાત જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ગત 23 દિવસથી હડતાળ કરી રહ્યા છે. તમામ મુદ્દાને શાંત પાડવા માટે ગુજરાત સરકારે 5 મંત્રીઓની સમિતીની રચના કરી છે. સમિતિના તમામ મંત્રીઓનું કામ સરકાર સામે પડેલા સરકારી કર્મચારી સહિત લોકોના આંદોલનોને શાંત પાડવાનું છે. ત્યારે ગુજરાત સરકારના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓના મુદ્દા મામલે સરકારે એક મહિનાની અંદર પ્રશ્નો ઉકેલવાની બાહેંધરી આપી છે. પરંતુ જમાવટ મીડિયાએ જ્યારે ગુજરાત સરકારના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીનું નિવેદન લીધું ત્યારે જમાવટના સૂત્રે જણાવ્યું હતું કે, "ગુજરાત સરકારે અમને એક મહિનાનું ગલકું આપી દીધું છે."


ગુજરાત સરકાર અને  આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠકમાં શું થયું?

ગુજરાત સરકારના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ આરોગ્યના વિવિધ વિભાગમાં સેવાઓ આપે છે. આજે ગુજરાત સરકાર અને  આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠક મળી હતી. ગુજરાત સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, "કર્મચારીઓની મોટાભાગની માગો સ્વિકારી લેવાય છે. પરંતુ તમામ પ્રશ્નો ઉકેલવા માટે મહિના જેટલો સમય લાગશે". તેની સામે ગુજરાત સરકાર અને  આરોગ્ય કર્મચારી મહાસંઘના મહામંત્રી આશીષ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, "જો સરકાર 1 મહિનામાં ઉકેલ નહીં લાવે તો હડતાળ યથાવત રેહશે. હાલ" 




કેમ પંચાયત સંવર્ગના આરોગ્ય કર્મચારીના બેડામાં વિરોધના સૂર રેડાયા છે?

ટ્રાવેલિંગ એલાઉન્સ અને રજા પગારની માંગણી (16 કિલોમીટર અંદર અપાતી સેવામાં આવક-જાવક માટે રૂપિયા ચૂકવવામાં નથી આવતા તે ચૂકવાય તેવી માગ), આરોગ્ય કર્મચારીને ટેક્નિકલ ગણી પગાર વિસંગતતા દૂર કરવાની માગ, 2800નો ગ્રેડપે, કોરોના વોરિયર્સનું ભથ્થું અને રજા પગારની માંગણીઓ આરોગ્ય કર્મચારી મંડળે સરકાર સામે મૂકી હતી. 



ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા આરોગ્ય કર્મચારીએ જમાવટ પર ઠાલવી વ્યથા

વર્ષ 2001માં  જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓને ટેક્નિકલ ગણવા માટે કમિટી બનાવવામાં આવી હતી. હાલ 21 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ સરકારની કમિટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ટૂંકમાં સમજીએ તો સરકારના ટેક્નિકલ અને નોન ટેક્નિકલ વિભાગ હોય છે. ગુજરાત સરકારની સેવામાં પટ્ટાવાળા સહિતના કર્મચારીઓ નોન ટેક્નિકલ વિભાગમાં આવતા હોય છે. નોન ટેક્નિકલ કર્મચારીનો પગાર ટેક્નિકલ કર્મચારીના પગારથી વધારે હોય છે. જ્યારે આરોગ્ય કર્મચારી તમામ પ્રકારના ટેક્નિકલ કામ કરતા હોવા છતાં પણ તેમને હજુ ટેક્નિકલ ગણવામાં નથી આવતા. જો આરોગ્ય કર્મચારીને ટેક્નિકલ વિભાગમાં ગણાય તો તેમનો પગાર પણ વધી જશે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.