પંચાયત સંવર્ગના આરોગ્ય કર્મચારીઓને સરકારનું 'ગલકું'?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 17:28:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાત સરકારના કર્મચારીઓ અને આંદોલનકારી યુવાનોએ LRD-SRPF જેવા અનેક મુદ્દાઓ સાથે ગુજરાત સરકાર પર લોકોએ દબાણ કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. ગુજરાત જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ગત 23 દિવસથી હડતાળ કરી રહ્યા છે. તમામ મુદ્દાને શાંત પાડવા માટે ગુજરાત સરકારે 5 મંત્રીઓની સમિતીની રચના કરી છે. સમિતિના તમામ મંત્રીઓનું કામ સરકાર સામે પડેલા સરકારી કર્મચારી સહિત લોકોના આંદોલનોને શાંત પાડવાનું છે. ત્યારે ગુજરાત સરકારના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓના મુદ્દા મામલે સરકારે એક મહિનાની અંદર પ્રશ્નો ઉકેલવાની બાહેંધરી આપી છે. પરંતુ જમાવટ મીડિયાએ જ્યારે ગુજરાત સરકારના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીનું નિવેદન લીધું ત્યારે જમાવટના સૂત્રે જણાવ્યું હતું કે, "ગુજરાત સરકારે અમને એક મહિનાનું ગલકું આપી દીધું છે."


ગુજરાત સરકાર અને  આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠકમાં શું થયું?

ગુજરાત સરકારના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ આરોગ્યના વિવિધ વિભાગમાં સેવાઓ આપે છે. આજે ગુજરાત સરકાર અને  આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠક મળી હતી. ગુજરાત સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, "કર્મચારીઓની મોટાભાગની માગો સ્વિકારી લેવાય છે. પરંતુ તમામ પ્રશ્નો ઉકેલવા માટે મહિના જેટલો સમય લાગશે". તેની સામે ગુજરાત સરકાર અને  આરોગ્ય કર્મચારી મહાસંઘના મહામંત્રી આશીષ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, "જો સરકાર 1 મહિનામાં ઉકેલ નહીં લાવે તો હડતાળ યથાવત રેહશે. હાલ" 




કેમ પંચાયત સંવર્ગના આરોગ્ય કર્મચારીના બેડામાં વિરોધના સૂર રેડાયા છે?

ટ્રાવેલિંગ એલાઉન્સ અને રજા પગારની માંગણી (16 કિલોમીટર અંદર અપાતી સેવામાં આવક-જાવક માટે રૂપિયા ચૂકવવામાં નથી આવતા તે ચૂકવાય તેવી માગ), આરોગ્ય કર્મચારીને ટેક્નિકલ ગણી પગાર વિસંગતતા દૂર કરવાની માગ, 2800નો ગ્રેડપે, કોરોના વોરિયર્સનું ભથ્થું અને રજા પગારની માંગણીઓ આરોગ્ય કર્મચારી મંડળે સરકાર સામે મૂકી હતી. 



ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા આરોગ્ય કર્મચારીએ જમાવટ પર ઠાલવી વ્યથા

વર્ષ 2001માં  જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓને ટેક્નિકલ ગણવા માટે કમિટી બનાવવામાં આવી હતી. હાલ 21 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ સરકારની કમિટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ટૂંકમાં સમજીએ તો સરકારના ટેક્નિકલ અને નોન ટેક્નિકલ વિભાગ હોય છે. ગુજરાત સરકારની સેવામાં પટ્ટાવાળા સહિતના કર્મચારીઓ નોન ટેક્નિકલ વિભાગમાં આવતા હોય છે. નોન ટેક્નિકલ કર્મચારીનો પગાર ટેક્નિકલ કર્મચારીના પગારથી વધારે હોય છે. જ્યારે આરોગ્ય કર્મચારી તમામ પ્રકારના ટેક્નિકલ કામ કરતા હોવા છતાં પણ તેમને હજુ ટેક્નિકલ ગણવામાં નથી આવતા. જો આરોગ્ય કર્મચારીને ટેક્નિકલ વિભાગમાં ગણાય તો તેમનો પગાર પણ વધી જશે.




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.