પંચાયત સંવર્ગના આરોગ્ય કર્મચારીઓને સરકારનું 'ગલકું'?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 17:28:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાત સરકારના કર્મચારીઓ અને આંદોલનકારી યુવાનોએ LRD-SRPF જેવા અનેક મુદ્દાઓ સાથે ગુજરાત સરકાર પર લોકોએ દબાણ કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. ગુજરાત જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ગત 23 દિવસથી હડતાળ કરી રહ્યા છે. તમામ મુદ્દાને શાંત પાડવા માટે ગુજરાત સરકારે 5 મંત્રીઓની સમિતીની રચના કરી છે. સમિતિના તમામ મંત્રીઓનું કામ સરકાર સામે પડેલા સરકારી કર્મચારી સહિત લોકોના આંદોલનોને શાંત પાડવાનું છે. ત્યારે ગુજરાત સરકારના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓના મુદ્દા મામલે સરકારે એક મહિનાની અંદર પ્રશ્નો ઉકેલવાની બાહેંધરી આપી છે. પરંતુ જમાવટ મીડિયાએ જ્યારે ગુજરાત સરકારના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીનું નિવેદન લીધું ત્યારે જમાવટના સૂત્રે જણાવ્યું હતું કે, "ગુજરાત સરકારે અમને એક મહિનાનું ગલકું આપી દીધું છે."


ગુજરાત સરકાર અને  આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠકમાં શું થયું?

ગુજરાત સરકારના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ આરોગ્યના વિવિધ વિભાગમાં સેવાઓ આપે છે. આજે ગુજરાત સરકાર અને  આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠક મળી હતી. ગુજરાત સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, "કર્મચારીઓની મોટાભાગની માગો સ્વિકારી લેવાય છે. પરંતુ તમામ પ્રશ્નો ઉકેલવા માટે મહિના જેટલો સમય લાગશે". તેની સામે ગુજરાત સરકાર અને  આરોગ્ય કર્મચારી મહાસંઘના મહામંત્રી આશીષ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, "જો સરકાર 1 મહિનામાં ઉકેલ નહીં લાવે તો હડતાળ યથાવત રેહશે. હાલ" 




કેમ પંચાયત સંવર્ગના આરોગ્ય કર્મચારીના બેડામાં વિરોધના સૂર રેડાયા છે?

ટ્રાવેલિંગ એલાઉન્સ અને રજા પગારની માંગણી (16 કિલોમીટર અંદર અપાતી સેવામાં આવક-જાવક માટે રૂપિયા ચૂકવવામાં નથી આવતા તે ચૂકવાય તેવી માગ), આરોગ્ય કર્મચારીને ટેક્નિકલ ગણી પગાર વિસંગતતા દૂર કરવાની માગ, 2800નો ગ્રેડપે, કોરોના વોરિયર્સનું ભથ્થું અને રજા પગારની માંગણીઓ આરોગ્ય કર્મચારી મંડળે સરકાર સામે મૂકી હતી. 



ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા આરોગ્ય કર્મચારીએ જમાવટ પર ઠાલવી વ્યથા

વર્ષ 2001માં  જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓને ટેક્નિકલ ગણવા માટે કમિટી બનાવવામાં આવી હતી. હાલ 21 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ સરકારની કમિટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ટૂંકમાં સમજીએ તો સરકારના ટેક્નિકલ અને નોન ટેક્નિકલ વિભાગ હોય છે. ગુજરાત સરકારની સેવામાં પટ્ટાવાળા સહિતના કર્મચારીઓ નોન ટેક્નિકલ વિભાગમાં આવતા હોય છે. નોન ટેક્નિકલ કર્મચારીનો પગાર ટેક્નિકલ કર્મચારીના પગારથી વધારે હોય છે. જ્યારે આરોગ્ય કર્મચારી તમામ પ્રકારના ટેક્નિકલ કામ કરતા હોવા છતાં પણ તેમને હજુ ટેક્નિકલ ગણવામાં નથી આવતા. જો આરોગ્ય કર્મચારીને ટેક્નિકલ વિભાગમાં ગણાય તો તેમનો પગાર પણ વધી જશે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.