6 મહિના માટે બંધ કરાયા કેદારનાથના દ્વાર, હજારો ભક્તો બન્યા ઘટનાના સાક્ષી


  • Published By :
  • Published Date : 2022-10-27 17:22:23

વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ભાઈબીજના દિવસે કેદારનાથ મંદિરના કપાટ શિતકાલ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ઉપરાંત ધાર્મિક વિધિ સાથે કપાટ ભક્તો માટે બંધ કરાયા હતા. આર્મી બેન્ડની ધૂન સાથે બાબાની મૂર્તિ ઓમકારેશ્વર મંદિર લઈ જવાઈ હતી. હજારો ભક્તોની હાજરીમાં બાબા કેદાર ડોલી સાથે નીકળ્યા હતા. યમનોત્રીના દ્વાર પણ 6 મહિના માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

અભિષેક થયા બાદ ડોલીમાં બિરાજમાન થયા બાબા

26 ઓક્ટોબરના રોજ ગંગોત્રી ધામના દ્વાર શિતકાલ માટે બંધ કરવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓ આ ઘટનાના સાક્ષી બન્યા હતા. ગુરૂવારે સવારે 4 વાગે ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. અભિષેક બાદ ભગવાન કેદારની ડોલી મંદિરની બહાર આવી હતી અને ભક્તોએ બાબાના દર્શન કર્યા હતા. પરંતુ બદ્રીનાથના દ્વાર 19 નવેમ્બરના રોજ બંધ થશે.


6 મહિના સુધી ઓમકારેશ્વર મંદિરમાં થશે બાબા કેદારની પૂજા

કોરોનાને કારણે લોકો બહાર નિકળવતાથી ડરતા હતા. ત્યારે આ વખતે કોરોનાનો પ્રકોપ ઘટતા ચારધામમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. લાખોની સંખ્યામાં ભક્તોએ ચારધામની મુલાકાત લીધી હતી. આ વર્ષે 15 લાખથી વધુ ભક્તો કેદારનાથના દર્શને આવ્યા હતા. મંદિરના દ્વાર બંધ થતા સમયે હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાનને 6 મહિના માટે ઓમકારેશ્વર મંદિરમાં રાખવામાં આવશે. ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં ભગવાનની પૂજા થશે. આ વર્ષે 43 લાખ 9 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામની મુલાકાત લીધી હતી.           



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.