6 મહિના માટે બંધ કરાયા કેદારનાથના દ્વાર, હજારો ભક્તો બન્યા ઘટનાના સાક્ષી


  • Published By :
  • Published Date : 2022-10-27 17:22:23

વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ભાઈબીજના દિવસે કેદારનાથ મંદિરના કપાટ શિતકાલ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ઉપરાંત ધાર્મિક વિધિ સાથે કપાટ ભક્તો માટે બંધ કરાયા હતા. આર્મી બેન્ડની ધૂન સાથે બાબાની મૂર્તિ ઓમકારેશ્વર મંદિર લઈ જવાઈ હતી. હજારો ભક્તોની હાજરીમાં બાબા કેદાર ડોલી સાથે નીકળ્યા હતા. યમનોત્રીના દ્વાર પણ 6 મહિના માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

અભિષેક થયા બાદ ડોલીમાં બિરાજમાન થયા બાબા

26 ઓક્ટોબરના રોજ ગંગોત્રી ધામના દ્વાર શિતકાલ માટે બંધ કરવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓ આ ઘટનાના સાક્ષી બન્યા હતા. ગુરૂવારે સવારે 4 વાગે ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. અભિષેક બાદ ભગવાન કેદારની ડોલી મંદિરની બહાર આવી હતી અને ભક્તોએ બાબાના દર્શન કર્યા હતા. પરંતુ બદ્રીનાથના દ્વાર 19 નવેમ્બરના રોજ બંધ થશે.


6 મહિના સુધી ઓમકારેશ્વર મંદિરમાં થશે બાબા કેદારની પૂજા

કોરોનાને કારણે લોકો બહાર નિકળવતાથી ડરતા હતા. ત્યારે આ વખતે કોરોનાનો પ્રકોપ ઘટતા ચારધામમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. લાખોની સંખ્યામાં ભક્તોએ ચારધામની મુલાકાત લીધી હતી. આ વર્ષે 15 લાખથી વધુ ભક્તો કેદારનાથના દર્શને આવ્યા હતા. મંદિરના દ્વાર બંધ થતા સમયે હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાનને 6 મહિના માટે ઓમકારેશ્વર મંદિરમાં રાખવામાં આવશે. ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં ભગવાનની પૂજા થશે. આ વર્ષે 43 લાખ 9 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામની મુલાકાત લીધી હતી.           



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.