અંતિમ સંસ્કાર પહેલા મૃત્યુ પામનાર વ્યક્તિ જીવતો થયો,અફવા કે પછી હકીકત ??


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-28 16:12:03

મહારાષ્ટ્રના અકોલાના વિવરા ગામમાં એક અજીબો ગરીબ અફવા ઊડતી થઈ છે જેમાં   લોકોને એક યુવકના મોતની માહિતી ચાલતી થઈ હતી . અને તે જાણ થતાજ ગામના લોકો યુવકના ઘરે પોહચી ગયા હતા અને જ્યારે યુવકના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહમાં લઈ જવામાં આવી રહ્યો હતો. તે અંતિમ સંસ્કાર પહેલા ઉઠીને બેસી ગયો. મળતી માહિતી મુજબ, તેના પરિવારના સભ્યો તેના સાથીદારને એક તાંત્રિક પાસે લઈ ગયા હતા, જ્યાં તે કથિત રીતે જીવમાં આવી ગયો હતો.


શું થયું આ ઘટનામાં ??


25 વર્ષીય પ્રશાંત મેસરે થોડા દિવસોથી બીમાર હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાંથી પરત આવ્યા બાદ 26 ઓક્ટોબરે પ્રશાંતના પરિવારજનો દ્વારા ગામમાં સંદેશો મોકલવામાં આવ્યો હતો કે પ્રશાંતનું મૃત્યુ થઈ ગયું છે અને અંતિમ સંસ્કાર થવાના છે.


માહિતી મળતા જ લોકો પ્રશાંતના ઘરે પહોંચવા લાગ્યા. અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. મૃતદેહને સ્મશાનગૃહમાં લઈ જવામાં આવી રહ્યો હતો. પરંતુ અંતિમ સંસ્કાર પહેલા મૃતદેહ દીપક બોરલે નામના તાંત્રિક પાસે લાવવામાં આવ્યો હતો. તાંત્રિકના કહેવા મુજબ પ્રશાંતને ભગવાનની સામે મૂક્યા બાદ જીવમાં જીવ આવ્યો અને તે ઊભો થઈને બેસી ગયો.



મૃત માણસ જીવતો હોવાના સમાચાર અથવા તેને અફવા કહો, આગની જેમ ફેલાઈ ગયા. તાંત્રિક અને પરિવારજનોએ તેને ચમત્કાર ગણાવ્યો હતો, જ્યારે ગામના ઘણા લોકોએ આ સમગ્ર ઘટનાને જુઠ્ઠાણા, અંધશ્રદ્ધા અને ભ્રામક ગણાવી હતી. પોલીસે પણ આ બાબતની નોંધ લીધી અને પૂછપરછ બાદ તે તાંત્રિક વિરુદ્ધ મહારાષ્ટ્ર મેલીવિદ્યા અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો.


પોલીસે તાંત્રિકની ધરપકડ કરી છે

તાંત્રિક દીપક બોરલેએ કહ્યું કે પ્રશાંતનો ઉદય એ દેવીનો ચમત્કાર છે. તે જ સમયે, ગામના ઘણા લોકોએ તેને અંધશ્રદ્ધા ગણાવી અને વહીવટીતંત્રને પગલાં લેવા જણાવ્યું. આ બાબતની જાણ પોલીસને થતાં પ્રશાંત, તેના માતા-પિતા અને તાંત્રિકને પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી.


અકોલાની બહાર, તાંત્રિક દ્વારા યુવકને પુનર્જીવિત કરવાની અફવાઓ ફેલાવા લાગી. આ પછી પોલીસે તાંત્રિક દીપક બોરલે વિરુદ્ધ મહારાષ્ટ્ર મેલીવિદ્યા અધિનિયમ હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે. આ અંગેની હકીકતોને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.




IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .