રાહુલ ગાંધી માતાના બુટની લેસ બાંધતી તસવીર થઈ સોશિયલ મીડિયા પર વાઇરલ, પણ લોકોએ ઉઠાવ્યા કેટલાક સવાલો !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 21:08:18

કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. ત્યારે 6 સપ્ટેમ્બર થી શરૂ થયેલી આ યાત્રામાં હવે સોનિયા ગાંધી પણ જોડાયા. હાલ આ યાત્રા કર્ણાટક પોહચી છે. આ યાત્રામાં અનેક નેતાઓ પણ જોડાયા હતા અને સોનિયા ગાંધીના જોડાયા બાદ તેમની અનેક તસવીરો અને વિડિયો વાઇરલ થયા છે . જેમાંથી એક ફોટો ખૂબ વાઇરલ થયો છે જેમાં રાહુલ ગાંધી માતા સોનિયા ગાંધીના પગરખાંની લેસ બાંધી રહ્યા છે અને એક જેમાં તે માતાને કારમાં બેસવાનું કહી રહ્યા છે.


 

મા-દીકરાની આ જોડીને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. તે જ સમયે કેટલાક લોકો તેને એક ખેલ કહી રહ્યા છે. સોનિયા ગાંધી એવા સમયે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થયા છે જ્યારે પાર્ટીના અધ્યક્ષ પદને લઈને હોબાળો ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. રાહુલ અને સોનિયાની તસવીર પર લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે. જેમાં કેટલાક લોકોનું તો એવું કહવું છે કે આ કોઈ પ્રેમ ની PR સ્ટંટ છે !!!1



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .