રાહુલ ગાંધી માતાના બુટની લેસ બાંધતી તસવીર થઈ સોશિયલ મીડિયા પર વાઇરલ, પણ લોકોએ ઉઠાવ્યા કેટલાક સવાલો !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 21:08:18

કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. ત્યારે 6 સપ્ટેમ્બર થી શરૂ થયેલી આ યાત્રામાં હવે સોનિયા ગાંધી પણ જોડાયા. હાલ આ યાત્રા કર્ણાટક પોહચી છે. આ યાત્રામાં અનેક નેતાઓ પણ જોડાયા હતા અને સોનિયા ગાંધીના જોડાયા બાદ તેમની અનેક તસવીરો અને વિડિયો વાઇરલ થયા છે . જેમાંથી એક ફોટો ખૂબ વાઇરલ થયો છે જેમાં રાહુલ ગાંધી માતા સોનિયા ગાંધીના પગરખાંની લેસ બાંધી રહ્યા છે અને એક જેમાં તે માતાને કારમાં બેસવાનું કહી રહ્યા છે.


 

મા-દીકરાની આ જોડીને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. તે જ સમયે કેટલાક લોકો તેને એક ખેલ કહી રહ્યા છે. સોનિયા ગાંધી એવા સમયે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થયા છે જ્યારે પાર્ટીના અધ્યક્ષ પદને લઈને હોબાળો ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. રાહુલ અને સોનિયાની તસવીર પર લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે. જેમાં કેટલાક લોકોનું તો એવું કહવું છે કે આ કોઈ પ્રેમ ની PR સ્ટંટ છે !!!1



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.