સ્ટેચ્યૂ ઑફ યુનિટી જવું હોય તો આ અતિ બિસ્માર રસ્તાથી પસાર થવું પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 14:57:36

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. મુલદ ચોકથી ઝઘડિયા સુધી જવાનો માર્ગ છેલ્લા 2 વર્ષથી વિકાસ માટે ઝંખે છે. કરોડોના ખર્ચે બનાવામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટીતો સરકાર દુનિયાને બતાવે છે પરંતુ ત્યાં પહોંચવાના બિસ્માર રસ્તાને સરકાર વિકાસ મોડલ તરીકે બતાવશે? નેશનલ હાઈવે નંબર 48ને મુલદ ગામથી જોડીને ઝગડીયા SoU સુધીના માર્ગની હાલત પણ ગામડાઓના માર્ગ જેવી જ છે.  


સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા અતિ બિસ્માર રસ્તો પકડવો પડશે

દેશ-વિદેશથી સહેલાણીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે. દેશને એક કરવામાં સિંહ ફાળો આપનારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી પહોંચવા લોકોને ખાડા તથા ધૂળની ડમરીઓવાળા રસ્તાથી પસાર થવું પડે છે. સરકાર સુધી આ રસ્તાની હાલતને સુધારવા રહિશોએ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તેમના અવાજને સાંભળવામાં નથી આવતા. મુલદથી ગુમાવદેવ રેલ્વે ક્રોસિંગ પાસેની ચોકડી સુધીના માર્ગથી પસાર થતા લોકોને સ્વાસ્થ સંબંધી તકલીફ પડી રહી છે. 


 કેવી છે ગુજરાતના રોડની દુર્દશા? 

સરકાર રસ્તાઓ બનાવવા કરોડો રૂપિયાનું બજેટ તો બહાર પાડે છે. રસ્તાઓ પણ બને છે પરંતુ રસ્તાની ગુણવત્તા ખર્ચાયેલા રૂપિયાને સાર્થક્તા આપે છે. એક વાર રસ્તા બન્યા પછી કોર્પોરેશન દ્વારા જ ખાડો ખોદવામાં આવે છે. આ રસ્તા પર આ સપ્લાઈની લાઈન રહી ગઈ તો બીજા રોડ પર આની લાઈન રહી ગઈ. તે લાઈન નાખવા ખોદકામ કરવામાં આવે છે. પરંતુ ખોદકામ કર્યા બાદ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે. દામરનો રોડ સરખો ન બનતા ધૂળ ઉડવાનું સામાન્ય હોય છે. રસ્તાઓની બિસ્માર હાલત દરેક જગ્યાએ જોવા મળે છે. મોટા શહેરથી લઈ નાના ગામડાના રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ છે. સરકાર ગુજરાતના વિકાસને તેમજ ગુજરાત મોડલને દુનિયાભરમાં બતાવી વાહવાહી મેળવી રહ્યા છે. પરંતુ જમીની વાસ્તવિક્તા કંઈક ઓર જ છે. અમદાવાદ હોય પાલનપુર હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો હોય દરેક રસ્તાની હાલત સરખી જોવા મળે છે.    


અનેકવાર તંત્રને રજૂઆત કરી પણ તકલીફ ત્યાં ને ત્યાં જ

સારા રોડ રસ્તા મેળવાનો અધિકાર સામાન્ય માણસને હોય છે. પરંતુ સારા રસ્તા મેળવવા માટે અનેક સંઘર્ષ કરવો પડતો હોય છે. રોડની દુર્દશા બતાવવા જ્યારે લોકો સરકાર સમક્ષ રજૂઆત કરે છે, તો સરકારી બાબુઓ તેમની વાત તો સાંભળવાની તો દુર તેમને ઓફિસની અંદર નથી આવવા દેતા. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા સ્થાનિકોએ ચક્કાજામ કરી દીધો હતો. આંદોલન ન થાય તેમજ સ્થાનિકો શાંત થઈ જાય તે માટે કાર્યવાહી કરી પરંતુ થોડા સમય માટે સમારકામ કર્યા બાદ કામ બંધ કરી દીધું હતું. 


પ્રજાના પ્રશ્નો તો હાલ નેતાઓ સાંભળવાના જ નથી. પરંતુ ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ સરકાર બિસ્માર રોડને સુધારવા અંગે કામ કરે તો લોકો માટે તેમજ તેમના હાડકા માટે સારૂ રહેશે. દેશની તથા રાજ્યની પ્રગતિમાં રોડ રસ્તાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. દેશમાં પાકા રસ્તા બનાવવાનું સપનું પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું હતું. અનેક નેશનલ હાઈવેનું તેમણે નિર્માણ કરાવ્યું. આ નિર્ણયને કારણે દેશના વિકાસને ગતિ મળી હતી. પરંતુ આજના રોડની દશા તે જોતા તો કદાચ એ દુ:ખી થઈ જતાં. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"