સ્ટેચ્યૂ ઑફ યુનિટી જવું હોય તો આ અતિ બિસ્માર રસ્તાથી પસાર થવું પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 14:57:36

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. મુલદ ચોકથી ઝઘડિયા સુધી જવાનો માર્ગ છેલ્લા 2 વર્ષથી વિકાસ માટે ઝંખે છે. કરોડોના ખર્ચે બનાવામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટીતો સરકાર દુનિયાને બતાવે છે પરંતુ ત્યાં પહોંચવાના બિસ્માર રસ્તાને સરકાર વિકાસ મોડલ તરીકે બતાવશે? નેશનલ હાઈવે નંબર 48ને મુલદ ગામથી જોડીને ઝગડીયા SoU સુધીના માર્ગની હાલત પણ ગામડાઓના માર્ગ જેવી જ છે.  


સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા અતિ બિસ્માર રસ્તો પકડવો પડશે

દેશ-વિદેશથી સહેલાણીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે. દેશને એક કરવામાં સિંહ ફાળો આપનારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી પહોંચવા લોકોને ખાડા તથા ધૂળની ડમરીઓવાળા રસ્તાથી પસાર થવું પડે છે. સરકાર સુધી આ રસ્તાની હાલતને સુધારવા રહિશોએ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તેમના અવાજને સાંભળવામાં નથી આવતા. મુલદથી ગુમાવદેવ રેલ્વે ક્રોસિંગ પાસેની ચોકડી સુધીના માર્ગથી પસાર થતા લોકોને સ્વાસ્થ સંબંધી તકલીફ પડી રહી છે. 


 કેવી છે ગુજરાતના રોડની દુર્દશા? 

સરકાર રસ્તાઓ બનાવવા કરોડો રૂપિયાનું બજેટ તો બહાર પાડે છે. રસ્તાઓ પણ બને છે પરંતુ રસ્તાની ગુણવત્તા ખર્ચાયેલા રૂપિયાને સાર્થક્તા આપે છે. એક વાર રસ્તા બન્યા પછી કોર્પોરેશન દ્વારા જ ખાડો ખોદવામાં આવે છે. આ રસ્તા પર આ સપ્લાઈની લાઈન રહી ગઈ તો બીજા રોડ પર આની લાઈન રહી ગઈ. તે લાઈન નાખવા ખોદકામ કરવામાં આવે છે. પરંતુ ખોદકામ કર્યા બાદ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે. દામરનો રોડ સરખો ન બનતા ધૂળ ઉડવાનું સામાન્ય હોય છે. રસ્તાઓની બિસ્માર હાલત દરેક જગ્યાએ જોવા મળે છે. મોટા શહેરથી લઈ નાના ગામડાના રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ છે. સરકાર ગુજરાતના વિકાસને તેમજ ગુજરાત મોડલને દુનિયાભરમાં બતાવી વાહવાહી મેળવી રહ્યા છે. પરંતુ જમીની વાસ્તવિક્તા કંઈક ઓર જ છે. અમદાવાદ હોય પાલનપુર હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો હોય દરેક રસ્તાની હાલત સરખી જોવા મળે છે.    


અનેકવાર તંત્રને રજૂઆત કરી પણ તકલીફ ત્યાં ને ત્યાં જ

સારા રોડ રસ્તા મેળવાનો અધિકાર સામાન્ય માણસને હોય છે. પરંતુ સારા રસ્તા મેળવવા માટે અનેક સંઘર્ષ કરવો પડતો હોય છે. રોડની દુર્દશા બતાવવા જ્યારે લોકો સરકાર સમક્ષ રજૂઆત કરે છે, તો સરકારી બાબુઓ તેમની વાત તો સાંભળવાની તો દુર તેમને ઓફિસની અંદર નથી આવવા દેતા. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા સ્થાનિકોએ ચક્કાજામ કરી દીધો હતો. આંદોલન ન થાય તેમજ સ્થાનિકો શાંત થઈ જાય તે માટે કાર્યવાહી કરી પરંતુ થોડા સમય માટે સમારકામ કર્યા બાદ કામ બંધ કરી દીધું હતું. 


પ્રજાના પ્રશ્નો તો હાલ નેતાઓ સાંભળવાના જ નથી. પરંતુ ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ સરકાર બિસ્માર રોડને સુધારવા અંગે કામ કરે તો લોકો માટે તેમજ તેમના હાડકા માટે સારૂ રહેશે. દેશની તથા રાજ્યની પ્રગતિમાં રોડ રસ્તાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. દેશમાં પાકા રસ્તા બનાવવાનું સપનું પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું હતું. અનેક નેશનલ હાઈવેનું તેમણે નિર્માણ કરાવ્યું. આ નિર્ણયને કારણે દેશના વિકાસને ગતિ મળી હતી. પરંતુ આજના રોડની દશા તે જોતા તો કદાચ એ દુ:ખી થઈ જતાં. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.