સ્ટેચ્યૂ ઑફ યુનિટી જવું હોય તો આ અતિ બિસ્માર રસ્તાથી પસાર થવું પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 14:57:36

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. મુલદ ચોકથી ઝઘડિયા સુધી જવાનો માર્ગ છેલ્લા 2 વર્ષથી વિકાસ માટે ઝંખે છે. કરોડોના ખર્ચે બનાવામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટીતો સરકાર દુનિયાને બતાવે છે પરંતુ ત્યાં પહોંચવાના બિસ્માર રસ્તાને સરકાર વિકાસ મોડલ તરીકે બતાવશે? નેશનલ હાઈવે નંબર 48ને મુલદ ગામથી જોડીને ઝગડીયા SoU સુધીના માર્ગની હાલત પણ ગામડાઓના માર્ગ જેવી જ છે.  


સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા અતિ બિસ્માર રસ્તો પકડવો પડશે

દેશ-વિદેશથી સહેલાણીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે. દેશને એક કરવામાં સિંહ ફાળો આપનારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી પહોંચવા લોકોને ખાડા તથા ધૂળની ડમરીઓવાળા રસ્તાથી પસાર થવું પડે છે. સરકાર સુધી આ રસ્તાની હાલતને સુધારવા રહિશોએ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તેમના અવાજને સાંભળવામાં નથી આવતા. મુલદથી ગુમાવદેવ રેલ્વે ક્રોસિંગ પાસેની ચોકડી સુધીના માર્ગથી પસાર થતા લોકોને સ્વાસ્થ સંબંધી તકલીફ પડી રહી છે. 


 કેવી છે ગુજરાતના રોડની દુર્દશા? 

સરકાર રસ્તાઓ બનાવવા કરોડો રૂપિયાનું બજેટ તો બહાર પાડે છે. રસ્તાઓ પણ બને છે પરંતુ રસ્તાની ગુણવત્તા ખર્ચાયેલા રૂપિયાને સાર્થક્તા આપે છે. એક વાર રસ્તા બન્યા પછી કોર્પોરેશન દ્વારા જ ખાડો ખોદવામાં આવે છે. આ રસ્તા પર આ સપ્લાઈની લાઈન રહી ગઈ તો બીજા રોડ પર આની લાઈન રહી ગઈ. તે લાઈન નાખવા ખોદકામ કરવામાં આવે છે. પરંતુ ખોદકામ કર્યા બાદ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે. દામરનો રોડ સરખો ન બનતા ધૂળ ઉડવાનું સામાન્ય હોય છે. રસ્તાઓની બિસ્માર હાલત દરેક જગ્યાએ જોવા મળે છે. મોટા શહેરથી લઈ નાના ગામડાના રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ છે. સરકાર ગુજરાતના વિકાસને તેમજ ગુજરાત મોડલને દુનિયાભરમાં બતાવી વાહવાહી મેળવી રહ્યા છે. પરંતુ જમીની વાસ્તવિક્તા કંઈક ઓર જ છે. અમદાવાદ હોય પાલનપુર હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો હોય દરેક રસ્તાની હાલત સરખી જોવા મળે છે.    


અનેકવાર તંત્રને રજૂઆત કરી પણ તકલીફ ત્યાં ને ત્યાં જ

સારા રોડ રસ્તા મેળવાનો અધિકાર સામાન્ય માણસને હોય છે. પરંતુ સારા રસ્તા મેળવવા માટે અનેક સંઘર્ષ કરવો પડતો હોય છે. રોડની દુર્દશા બતાવવા જ્યારે લોકો સરકાર સમક્ષ રજૂઆત કરે છે, તો સરકારી બાબુઓ તેમની વાત તો સાંભળવાની તો દુર તેમને ઓફિસની અંદર નથી આવવા દેતા. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા સ્થાનિકોએ ચક્કાજામ કરી દીધો હતો. આંદોલન ન થાય તેમજ સ્થાનિકો શાંત થઈ જાય તે માટે કાર્યવાહી કરી પરંતુ થોડા સમય માટે સમારકામ કર્યા બાદ કામ બંધ કરી દીધું હતું. 


પ્રજાના પ્રશ્નો તો હાલ નેતાઓ સાંભળવાના જ નથી. પરંતુ ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ સરકાર બિસ્માર રોડને સુધારવા અંગે કામ કરે તો લોકો માટે તેમજ તેમના હાડકા માટે સારૂ રહેશે. દેશની તથા રાજ્યની પ્રગતિમાં રોડ રસ્તાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. દેશમાં પાકા રસ્તા બનાવવાનું સપનું પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું હતું. અનેક નેશનલ હાઈવેનું તેમણે નિર્માણ કરાવ્યું. આ નિર્ણયને કારણે દેશના વિકાસને ગતિ મળી હતી. પરંતુ આજના રોડની દશા તે જોતા તો કદાચ એ દુ:ખી થઈ જતાં. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .