કાશ્મીરને દેશ કહ્યા બાદ બિહારની શાળાએ કહ્યું, "ભૂલ થઈ"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 19:59:22

આમ તો દેશના મોટા ભાગના આઈએએસ અધિકારીઓ ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા હોય છે. તેઓ નાનપણથી જ પોતાની રીતે મહેનત કરીને આગળ આવવાના સપના જોતા હોય છે. પરંતુ તે જ બિહારની એક શાળાએ પરીક્ષાના પેપરમાં લોચા માર્યા હતા. બિહારના કિશનગંજ જિલ્લાની એક નિશાળના સાતમા ધોરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા દરમિયાન ગોટે ચડ્યા હતા. પેપરમાં કંઈક એવું લખાયું હતું જે વાંચીને વિદ્યાર્થીઓ ઘુમરીએ ચડ્યા હતા. 


પેપરમાં પૂછાયું કાશ્મીર દેશના લોકોને શું કહેવાય છે?

બિહારની શાળાના સાતમા ધોરણની અર્ધવાર્ષીક પરીક્ષા ચાલી રહી હતી. જેમાં એક પ્રશ્ન એવો પૂછાયો હતો કે પરીક્ષામાં પૂછાયું કાશ્મીર દેશના લોકોને શું કહેવાય છે? આ પરીક્ષા બિહાર શિક્ષા પરિયોજના પરિષદ દ્વારા યોજવામાં આવી હતી. સમગ્ર બાબતે ભાજપે નીતિશ સરકાર પર પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.