સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં સ્પેશિયલ સેલેને મોટી સફળતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 21:28:17

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા 29 મેના રોજ પંજાબના મનસા જિલ્લામાં કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી પોલીસે ઘણા આરોપીની ધરપકડ કરી છે. જ્યારે હવે સ્પેશિયલ સેલે વધુ એક ફરાર આરોપીની ધરપકડ કરી છે. 


ઘણા સમયથી ફરાર હતો આ કુખ્યાત ગેંગસ્ટર...

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં અને બીજા અનેક ગુનામાં નાસતા ફરતા ગેંગસ્ટર દીપક કુમાર ઉર્ફે ટીનુની સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલની ટીમે રાજસ્થાનના અજમેર જિલ્લામાંથી દીપક કુમાર ઉર્ફે ટીનુને પકડી પાડ્યો છે. ભૂતકાળમાં કુખ્યાત ગેંગસ્ટર ટીનુ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. ત્યારથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. ત્યારથી ટીનું પોલીસની પકડથી દૂર હતો અને નાસતો ફરતો હતો. 


કોણ છે આ ટીનુ?

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો કુખ્યાત ગેંગસ્ટર ટીનુ હરિયાણામાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે હરિયાણામાં અનેક ગુના આચરી ચુક્યો છે. ટીનુ વિરુદ્ધ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હીમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને આર્મ્સ એક્ટના 32 જેટલા કેસ નોંધાયેલા છે.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.