સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં સ્પેશિયલ સેલેને મોટી સફળતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 21:28:17

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા 29 મેના રોજ પંજાબના મનસા જિલ્લામાં કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી પોલીસે ઘણા આરોપીની ધરપકડ કરી છે. જ્યારે હવે સ્પેશિયલ સેલે વધુ એક ફરાર આરોપીની ધરપકડ કરી છે. 


ઘણા સમયથી ફરાર હતો આ કુખ્યાત ગેંગસ્ટર...

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં અને બીજા અનેક ગુનામાં નાસતા ફરતા ગેંગસ્ટર દીપક કુમાર ઉર્ફે ટીનુની સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલની ટીમે રાજસ્થાનના અજમેર જિલ્લામાંથી દીપક કુમાર ઉર્ફે ટીનુને પકડી પાડ્યો છે. ભૂતકાળમાં કુખ્યાત ગેંગસ્ટર ટીનુ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. ત્યારથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. ત્યારથી ટીનું પોલીસની પકડથી દૂર હતો અને નાસતો ફરતો હતો. 


કોણ છે આ ટીનુ?

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો કુખ્યાત ગેંગસ્ટર ટીનુ હરિયાણામાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે હરિયાણામાં અનેક ગુના આચરી ચુક્યો છે. ટીનુ વિરુદ્ધ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હીમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને આર્મ્સ એક્ટના 32 જેટલા કેસ નોંધાયેલા છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.