સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં સ્પેશિયલ સેલેને મોટી સફળતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 21:28:17

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા 29 મેના રોજ પંજાબના મનસા જિલ્લામાં કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી પોલીસે ઘણા આરોપીની ધરપકડ કરી છે. જ્યારે હવે સ્પેશિયલ સેલે વધુ એક ફરાર આરોપીની ધરપકડ કરી છે. 


ઘણા સમયથી ફરાર હતો આ કુખ્યાત ગેંગસ્ટર...

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં અને બીજા અનેક ગુનામાં નાસતા ફરતા ગેંગસ્ટર દીપક કુમાર ઉર્ફે ટીનુની સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલની ટીમે રાજસ્થાનના અજમેર જિલ્લામાંથી દીપક કુમાર ઉર્ફે ટીનુને પકડી પાડ્યો છે. ભૂતકાળમાં કુખ્યાત ગેંગસ્ટર ટીનુ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. ત્યારથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. ત્યારથી ટીનું પોલીસની પકડથી દૂર હતો અને નાસતો ફરતો હતો. 


કોણ છે આ ટીનુ?

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો કુખ્યાત ગેંગસ્ટર ટીનુ હરિયાણામાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે હરિયાણામાં અનેક ગુના આચરી ચુક્યો છે. ટીનુ વિરુદ્ધ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હીમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને આર્મ્સ એક્ટના 32 જેટલા કેસ નોંધાયેલા છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .