સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં સ્પેશિયલ સેલેને મોટી સફળતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 21:28:17

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા 29 મેના રોજ પંજાબના મનસા જિલ્લામાં કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી પોલીસે ઘણા આરોપીની ધરપકડ કરી છે. જ્યારે હવે સ્પેશિયલ સેલે વધુ એક ફરાર આરોપીની ધરપકડ કરી છે. 


ઘણા સમયથી ફરાર હતો આ કુખ્યાત ગેંગસ્ટર...

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં અને બીજા અનેક ગુનામાં નાસતા ફરતા ગેંગસ્ટર દીપક કુમાર ઉર્ફે ટીનુની સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલની ટીમે રાજસ્થાનના અજમેર જિલ્લામાંથી દીપક કુમાર ઉર્ફે ટીનુને પકડી પાડ્યો છે. ભૂતકાળમાં કુખ્યાત ગેંગસ્ટર ટીનુ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. ત્યારથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. ત્યારથી ટીનું પોલીસની પકડથી દૂર હતો અને નાસતો ફરતો હતો. 


કોણ છે આ ટીનુ?

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો કુખ્યાત ગેંગસ્ટર ટીનુ હરિયાણામાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે હરિયાણામાં અનેક ગુના આચરી ચુક્યો છે. ટીનુ વિરુદ્ધ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હીમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને આર્મ્સ એક્ટના 32 જેટલા કેસ નોંધાયેલા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.