સુપ્રીમ કોર્ટે કહ્યું બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકાર જવાબ રજૂ કરે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 12:02:39

બિલકિસ બાનો કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટે 3 અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને પણ પોતાનો પક્ષ રાખવા માટે મોકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસેથી સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો છે.  


કેમ બિલકિસનો કેસ પાછો ઉછળ્યો?

સીપીએમના નેતા સુભાષિની અલી, સામાજિક કાર્યકર રુપરેખા વર્મા અને ટીએમસીના નેતા મહુવા મોઈત્રાએ ગુજરાત સરકારના નિર્ણયને રદ કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. દેશના મુખ્ય ન્યાયમૂર્તિની પીઠે સમગ્ર મામલે નોટિસ બહાર પાડી હતી અને ગુજરાત સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. 


શું હતો બિલકિસ બાનોનો કેસ?

બિલકિસ બાનો મામલામાં 15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે 11 દોષિતોને માફી નીતિ હેઠળ જેલ મુક્ત કર્યા હતા. ગુજરાતના કલંક 2002ના ગોધરા કાંડ બાદ 2002માં સાંપ્રદાયિક દંગા ભડક્યા હતા. જેમાં 21 વર્ષના ગર્ભવતી બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. બળાત્કારીઓએ 14 વર્ષની સજા પૂરી કરીને ગુજરાત સરકારે આઝાદી દિવસના રોજ આઝાદ કરી દીધા હતા. દંગાઓમાં બિલકિસના પરિવારના સાત લોકોને મારી નાખવામાં આવ્યા હતા જેમાં તેમની ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. 


સુપ્રીમ કોર્ટે અગાઉ સમગ્ર કેસ મામલે શું નિર્ણય લીધો હતો?

ટૂંક સમય પહેલા સુપ્રીમ કોર્ટે તમામ દોષિતોને જેલ મુક્ત કરવા કે નહીં તેનો નિર્ણય ગુજરાત સરકાર પર રાખ્યો હતો. ગુજરાત સરકારે 1992ના નિયમો મુજબ તમામ દોષિતોને જેલ મુક્ત કરી દીધા હતા. તમામ આરોપીને 1992ના નિયમો મુજબ સજા થઈ હતી તેમના પર 2014ના નવા નિયમો લાગુ કરવામાં નહોતી આવી.


ગુજરાત સરકારે દોષિતોને આઝાદી દિવસે આઝાદ કરવાના નિર્ણય બાદ દોષિતોનું ઘરે ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે અમુક રાજકીય પક્ષોને છોડીને કોઈ પણ પક્ષે ઉંહ પણ નહોતી કરી. એક મહિલા પર થયેલા બળાત્કાર મામલે જાતિના આધારને જોતા તમામ લોકો ચૂપ છે તે ગંભીર વિષય છે. બળાત્કાર બળાત્કાર હોય છે ચાહે તે કોઈ પણ જાતિના વ્યક્તિ પર થયો હોય, બળાત્કારી બળાત્કારી હોય છે તેનો કોઈ જાતિ-ધર્મ નથી હોતો. 




ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..