સુપ્રીમ કોર્ટે કહ્યું બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકાર જવાબ રજૂ કરે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 12:02:39

બિલકિસ બાનો કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટે 3 અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને પણ પોતાનો પક્ષ રાખવા માટે મોકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસેથી સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો છે.  


કેમ બિલકિસનો કેસ પાછો ઉછળ્યો?

સીપીએમના નેતા સુભાષિની અલી, સામાજિક કાર્યકર રુપરેખા વર્મા અને ટીએમસીના નેતા મહુવા મોઈત્રાએ ગુજરાત સરકારના નિર્ણયને રદ કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. દેશના મુખ્ય ન્યાયમૂર્તિની પીઠે સમગ્ર મામલે નોટિસ બહાર પાડી હતી અને ગુજરાત સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. 


શું હતો બિલકિસ બાનોનો કેસ?

બિલકિસ બાનો મામલામાં 15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે 11 દોષિતોને માફી નીતિ હેઠળ જેલ મુક્ત કર્યા હતા. ગુજરાતના કલંક 2002ના ગોધરા કાંડ બાદ 2002માં સાંપ્રદાયિક દંગા ભડક્યા હતા. જેમાં 21 વર્ષના ગર્ભવતી બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. બળાત્કારીઓએ 14 વર્ષની સજા પૂરી કરીને ગુજરાત સરકારે આઝાદી દિવસના રોજ આઝાદ કરી દીધા હતા. દંગાઓમાં બિલકિસના પરિવારના સાત લોકોને મારી નાખવામાં આવ્યા હતા જેમાં તેમની ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. 


સુપ્રીમ કોર્ટે અગાઉ સમગ્ર કેસ મામલે શું નિર્ણય લીધો હતો?

ટૂંક સમય પહેલા સુપ્રીમ કોર્ટે તમામ દોષિતોને જેલ મુક્ત કરવા કે નહીં તેનો નિર્ણય ગુજરાત સરકાર પર રાખ્યો હતો. ગુજરાત સરકારે 1992ના નિયમો મુજબ તમામ દોષિતોને જેલ મુક્ત કરી દીધા હતા. તમામ આરોપીને 1992ના નિયમો મુજબ સજા થઈ હતી તેમના પર 2014ના નવા નિયમો લાગુ કરવામાં નહોતી આવી.


ગુજરાત સરકારે દોષિતોને આઝાદી દિવસે આઝાદ કરવાના નિર્ણય બાદ દોષિતોનું ઘરે ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે અમુક રાજકીય પક્ષોને છોડીને કોઈ પણ પક્ષે ઉંહ પણ નહોતી કરી. એક મહિલા પર થયેલા બળાત્કાર મામલે જાતિના આધારને જોતા તમામ લોકો ચૂપ છે તે ગંભીર વિષય છે. બળાત્કાર બળાત્કાર હોય છે ચાહે તે કોઈ પણ જાતિના વ્યક્તિ પર થયો હોય, બળાત્કારી બળાત્કારી હોય છે તેનો કોઈ જાતિ-ધર્મ નથી હોતો. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.