સુપ્રીમ કોર્ટે કહ્યું બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકાર જવાબ રજૂ કરે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 12:02:39

બિલકિસ બાનો કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટે 3 અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને પણ પોતાનો પક્ષ રાખવા માટે મોકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસેથી સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો છે.  


કેમ બિલકિસનો કેસ પાછો ઉછળ્યો?

સીપીએમના નેતા સુભાષિની અલી, સામાજિક કાર્યકર રુપરેખા વર્મા અને ટીએમસીના નેતા મહુવા મોઈત્રાએ ગુજરાત સરકારના નિર્ણયને રદ કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. દેશના મુખ્ય ન્યાયમૂર્તિની પીઠે સમગ્ર મામલે નોટિસ બહાર પાડી હતી અને ગુજરાત સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. 


શું હતો બિલકિસ બાનોનો કેસ?

બિલકિસ બાનો મામલામાં 15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે 11 દોષિતોને માફી નીતિ હેઠળ જેલ મુક્ત કર્યા હતા. ગુજરાતના કલંક 2002ના ગોધરા કાંડ બાદ 2002માં સાંપ્રદાયિક દંગા ભડક્યા હતા. જેમાં 21 વર્ષના ગર્ભવતી બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. બળાત્કારીઓએ 14 વર્ષની સજા પૂરી કરીને ગુજરાત સરકારે આઝાદી દિવસના રોજ આઝાદ કરી દીધા હતા. દંગાઓમાં બિલકિસના પરિવારના સાત લોકોને મારી નાખવામાં આવ્યા હતા જેમાં તેમની ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. 


સુપ્રીમ કોર્ટે અગાઉ સમગ્ર કેસ મામલે શું નિર્ણય લીધો હતો?

ટૂંક સમય પહેલા સુપ્રીમ કોર્ટે તમામ દોષિતોને જેલ મુક્ત કરવા કે નહીં તેનો નિર્ણય ગુજરાત સરકાર પર રાખ્યો હતો. ગુજરાત સરકારે 1992ના નિયમો મુજબ તમામ દોષિતોને જેલ મુક્ત કરી દીધા હતા. તમામ આરોપીને 1992ના નિયમો મુજબ સજા થઈ હતી તેમના પર 2014ના નવા નિયમો લાગુ કરવામાં નહોતી આવી.


ગુજરાત સરકારે દોષિતોને આઝાદી દિવસે આઝાદ કરવાના નિર્ણય બાદ દોષિતોનું ઘરે ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે અમુક રાજકીય પક્ષોને છોડીને કોઈ પણ પક્ષે ઉંહ પણ નહોતી કરી. એક મહિલા પર થયેલા બળાત્કાર મામલે જાતિના આધારને જોતા તમામ લોકો ચૂપ છે તે ગંભીર વિષય છે. બળાત્કાર બળાત્કાર હોય છે ચાહે તે કોઈ પણ જાતિના વ્યક્તિ પર થયો હોય, બળાત્કારી બળાત્કારી હોય છે તેનો કોઈ જાતિ-ધર્મ નથી હોતો. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .