સેનામાં ભરતી થવા યુવકે વાપરી જબરી ચાલાકી, પણ પકડાઈ ગયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 16:27:50

ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે ભરતી થવા માટે યુવકોની લાઈનો લાગી રહી છે.
જોકે, કેટલાક યુવકો સેનામાં ભરતી થવા જબરા જુગાડ લગાવતા હોય છે.
મધ્ય પ્રદેશમાં પણ અગ્નિવીરની ભરતી દરમિયાન યુવકોની જબરી ચાલાકીઓ પકડાઈ.

Agniveer Bharti cheating


ભારતીય સેનામાં ભરતી થવા માટે આજકાલ યુવાનોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, તેના માટે ફીટ બોડી અને પૂરતી ઊંચાઈ હોઈ જરૂરી છે. ઘણા યુવાનો હાઈટમાં માર ખાઈ જતા હોય છે. ત્યારે મધ્ય પ્રદેશના સાગરમાં ચાલી રહેલી અગ્નિવીર ભરતીમાં કેટલાક યુવકોએ એવા-એવા જુગાડ કર્યા કે, એ જોઈને આર્મીના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે.

Army issues notification for Agnipath scheme - The Hindu

મધ્ય પ્રદેશમાં અગ્નિવીર ભરતીમાં કેટલાક યુવકોને એવી-એવી ચાલાકી કરતા ઝડપાયા કે, જેને જોઈને આર્મીના અધિકારીઓ પણ ચોંકી ગયા.

ભારતીય સેનામાં ભરતી થવા માટે યુવકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સેનામાં ભરતી થવા ઘણા યુવકો રાત-દિવસ મહેનત કરે છે. પરંતુ કેટલાક યુવકો એવા પણ છે જેઓ મહેનત કરવા છતાં પણ એક કે બીજા કારણોસર સેનામાં ભરતી થઈ શકતા નથી. જ્યારે કેટલાક માત્ર ઊંચાઈના કારણે જ રહી જાય છે. મધ્ય પ્રદેશમાં યોજાયેલી અગ્નિવીરની ભરતીમાં કેટલાક યુવકોએ પોતાની ઊંચાઈ વધારે બતાવવા માટે જે ચાલાકી વાપરી તે જોઈને આર્મીના અધિકારીઓ પણ આશ્રર્યમાં મૂકાઈ ગયા હતા. આ યુવકોએ માથામાં વિગ અને પોતાની એડી નીચે લાકડાના ચોરસ ટૂકડા લગાવીને આવ્યા હતા. જોકે, સેનાના અધિકારીઓની બાજ નજરથી એ લોકો બચી શક્યા ન હતા અને પકડાઈ ગયા હતા. મધ્ય પ્રદેશના સાગરમાં ઈન્દિરા ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ચાલી રહેલી અગ્નિવીર ભરતી દરમિયાન આ મામલો સામે આવ્યો છે.


કોલેજના મેદાનમાં ચાલી રહેલા આ ભરતી મેળાનો છઠ્ઠો દિવસ હતો. ઘણા યુવક આ ભરતીમાં આવ્યા હતા. ભરતી દરમિયાન ફિઝિકલ ટેસ્ટ લઈ રહેલા અધિકારીઓને કેટલાક યુવકો પર શંકા ગઈ. તેમની તપાસ કરવામાં આવી તો, તેઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ યુવકોએ લંબાઈ વધારવા માટે પગની નીચે લાકડાના ટૂકડા લગાવેલા હતા. અધિકારીઓએ તેમને તાત્કાલીક ભરતીમાંથી બહાર કરી દીધા. કર્નલ સંતોષ કુમારે જણાવ્યું કે, કેટલાક વિદ્યાર્થીઓ લંબાઈ વધારવા માટે પગ નીચે લાકડાના ટૂકડા લગાવ્યા હતા. જ્યારે કેટલાકે તો માથા પર નકલી વાળ પણ લગાવેલા હતા.


આ અગ્નિવીર ભરતી 20 ઓક્ટોબર સુધી ચાલવાની છે. જેમાં 14 જિલ્લાના લગભગ 73 હજાર યુવકો ભાગ લઈ રહ્યા છે. સફળ થનારા યુવકોની પરીક્ષા 15 જાન્યુઆરી, 2023એ ગ્વાલિયરમાં લેવામાં આવશે. હાલમાં જે યુવકો પાસ થયા છે, તેમને ભોપાલ અને જબલપુર આર્મી હોસ્પિટલમાં ફાઈનલ મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.