સેનામાં ભરતી થવા યુવકે વાપરી જબરી ચાલાકી, પણ પકડાઈ ગયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 16:27:50

ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે ભરતી થવા માટે યુવકોની લાઈનો લાગી રહી છે.
જોકે, કેટલાક યુવકો સેનામાં ભરતી થવા જબરા જુગાડ લગાવતા હોય છે.
મધ્ય પ્રદેશમાં પણ અગ્નિવીરની ભરતી દરમિયાન યુવકોની જબરી ચાલાકીઓ પકડાઈ.

Agniveer Bharti cheating


ભારતીય સેનામાં ભરતી થવા માટે આજકાલ યુવાનોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, તેના માટે ફીટ બોડી અને પૂરતી ઊંચાઈ હોઈ જરૂરી છે. ઘણા યુવાનો હાઈટમાં માર ખાઈ જતા હોય છે. ત્યારે મધ્ય પ્રદેશના સાગરમાં ચાલી રહેલી અગ્નિવીર ભરતીમાં કેટલાક યુવકોએ એવા-એવા જુગાડ કર્યા કે, એ જોઈને આર્મીના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે.

Army issues notification for Agnipath scheme - The Hindu

મધ્ય પ્રદેશમાં અગ્નિવીર ભરતીમાં કેટલાક યુવકોને એવી-એવી ચાલાકી કરતા ઝડપાયા કે, જેને જોઈને આર્મીના અધિકારીઓ પણ ચોંકી ગયા.

ભારતીય સેનામાં ભરતી થવા માટે યુવકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સેનામાં ભરતી થવા ઘણા યુવકો રાત-દિવસ મહેનત કરે છે. પરંતુ કેટલાક યુવકો એવા પણ છે જેઓ મહેનત કરવા છતાં પણ એક કે બીજા કારણોસર સેનામાં ભરતી થઈ શકતા નથી. જ્યારે કેટલાક માત્ર ઊંચાઈના કારણે જ રહી જાય છે. મધ્ય પ્રદેશમાં યોજાયેલી અગ્નિવીરની ભરતીમાં કેટલાક યુવકોએ પોતાની ઊંચાઈ વધારે બતાવવા માટે જે ચાલાકી વાપરી તે જોઈને આર્મીના અધિકારીઓ પણ આશ્રર્યમાં મૂકાઈ ગયા હતા. આ યુવકોએ માથામાં વિગ અને પોતાની એડી નીચે લાકડાના ચોરસ ટૂકડા લગાવીને આવ્યા હતા. જોકે, સેનાના અધિકારીઓની બાજ નજરથી એ લોકો બચી શક્યા ન હતા અને પકડાઈ ગયા હતા. મધ્ય પ્રદેશના સાગરમાં ઈન્દિરા ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ચાલી રહેલી અગ્નિવીર ભરતી દરમિયાન આ મામલો સામે આવ્યો છે.


કોલેજના મેદાનમાં ચાલી રહેલા આ ભરતી મેળાનો છઠ્ઠો દિવસ હતો. ઘણા યુવક આ ભરતીમાં આવ્યા હતા. ભરતી દરમિયાન ફિઝિકલ ટેસ્ટ લઈ રહેલા અધિકારીઓને કેટલાક યુવકો પર શંકા ગઈ. તેમની તપાસ કરવામાં આવી તો, તેઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ યુવકોએ લંબાઈ વધારવા માટે પગની નીચે લાકડાના ટૂકડા લગાવેલા હતા. અધિકારીઓએ તેમને તાત્કાલીક ભરતીમાંથી બહાર કરી દીધા. કર્નલ સંતોષ કુમારે જણાવ્યું કે, કેટલાક વિદ્યાર્થીઓ લંબાઈ વધારવા માટે પગ નીચે લાકડાના ટૂકડા લગાવ્યા હતા. જ્યારે કેટલાકે તો માથા પર નકલી વાળ પણ લગાવેલા હતા.


આ અગ્નિવીર ભરતી 20 ઓક્ટોબર સુધી ચાલવાની છે. જેમાં 14 જિલ્લાના લગભગ 73 હજાર યુવકો ભાગ લઈ રહ્યા છે. સફળ થનારા યુવકોની પરીક્ષા 15 જાન્યુઆરી, 2023એ ગ્વાલિયરમાં લેવામાં આવશે. હાલમાં જે યુવકો પાસ થયા છે, તેમને ભોપાલ અને જબલપુર આર્મી હોસ્પિટલમાં ફાઈનલ મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવશે.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.