સેનામાં ભરતી થવા યુવકે વાપરી જબરી ચાલાકી, પણ પકડાઈ ગયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 16:27:50

ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે ભરતી થવા માટે યુવકોની લાઈનો લાગી રહી છે.
જોકે, કેટલાક યુવકો સેનામાં ભરતી થવા જબરા જુગાડ લગાવતા હોય છે.
મધ્ય પ્રદેશમાં પણ અગ્નિવીરની ભરતી દરમિયાન યુવકોની જબરી ચાલાકીઓ પકડાઈ.

Agniveer Bharti cheating


ભારતીય સેનામાં ભરતી થવા માટે આજકાલ યુવાનોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, તેના માટે ફીટ બોડી અને પૂરતી ઊંચાઈ હોઈ જરૂરી છે. ઘણા યુવાનો હાઈટમાં માર ખાઈ જતા હોય છે. ત્યારે મધ્ય પ્રદેશના સાગરમાં ચાલી રહેલી અગ્નિવીર ભરતીમાં કેટલાક યુવકોએ એવા-એવા જુગાડ કર્યા કે, એ જોઈને આર્મીના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે.

Army issues notification for Agnipath scheme - The Hindu

મધ્ય પ્રદેશમાં અગ્નિવીર ભરતીમાં કેટલાક યુવકોને એવી-એવી ચાલાકી કરતા ઝડપાયા કે, જેને જોઈને આર્મીના અધિકારીઓ પણ ચોંકી ગયા.

ભારતીય સેનામાં ભરતી થવા માટે યુવકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સેનામાં ભરતી થવા ઘણા યુવકો રાત-દિવસ મહેનત કરે છે. પરંતુ કેટલાક યુવકો એવા પણ છે જેઓ મહેનત કરવા છતાં પણ એક કે બીજા કારણોસર સેનામાં ભરતી થઈ શકતા નથી. જ્યારે કેટલાક માત્ર ઊંચાઈના કારણે જ રહી જાય છે. મધ્ય પ્રદેશમાં યોજાયેલી અગ્નિવીરની ભરતીમાં કેટલાક યુવકોએ પોતાની ઊંચાઈ વધારે બતાવવા માટે જે ચાલાકી વાપરી તે જોઈને આર્મીના અધિકારીઓ પણ આશ્રર્યમાં મૂકાઈ ગયા હતા. આ યુવકોએ માથામાં વિગ અને પોતાની એડી નીચે લાકડાના ચોરસ ટૂકડા લગાવીને આવ્યા હતા. જોકે, સેનાના અધિકારીઓની બાજ નજરથી એ લોકો બચી શક્યા ન હતા અને પકડાઈ ગયા હતા. મધ્ય પ્રદેશના સાગરમાં ઈન્દિરા ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ચાલી રહેલી અગ્નિવીર ભરતી દરમિયાન આ મામલો સામે આવ્યો છે.


કોલેજના મેદાનમાં ચાલી રહેલા આ ભરતી મેળાનો છઠ્ઠો દિવસ હતો. ઘણા યુવક આ ભરતીમાં આવ્યા હતા. ભરતી દરમિયાન ફિઝિકલ ટેસ્ટ લઈ રહેલા અધિકારીઓને કેટલાક યુવકો પર શંકા ગઈ. તેમની તપાસ કરવામાં આવી તો, તેઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ યુવકોએ લંબાઈ વધારવા માટે પગની નીચે લાકડાના ટૂકડા લગાવેલા હતા. અધિકારીઓએ તેમને તાત્કાલીક ભરતીમાંથી બહાર કરી દીધા. કર્નલ સંતોષ કુમારે જણાવ્યું કે, કેટલાક વિદ્યાર્થીઓ લંબાઈ વધારવા માટે પગ નીચે લાકડાના ટૂકડા લગાવ્યા હતા. જ્યારે કેટલાકે તો માથા પર નકલી વાળ પણ લગાવેલા હતા.


આ અગ્નિવીર ભરતી 20 ઓક્ટોબર સુધી ચાલવાની છે. જેમાં 14 જિલ્લાના લગભગ 73 હજાર યુવકો ભાગ લઈ રહ્યા છે. સફળ થનારા યુવકોની પરીક્ષા 15 જાન્યુઆરી, 2023એ ગ્વાલિયરમાં લેવામાં આવશે. હાલમાં જે યુવકો પાસ થયા છે, તેમને ભોપાલ અને જબલપુર આર્મી હોસ્પિટલમાં ફાઈનલ મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવશે.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.