સેનામાં ભરતી થવા યુવકે વાપરી જબરી ચાલાકી, પણ પકડાઈ ગયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 16:27:50

ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે ભરતી થવા માટે યુવકોની લાઈનો લાગી રહી છે.
જોકે, કેટલાક યુવકો સેનામાં ભરતી થવા જબરા જુગાડ લગાવતા હોય છે.
મધ્ય પ્રદેશમાં પણ અગ્નિવીરની ભરતી દરમિયાન યુવકોની જબરી ચાલાકીઓ પકડાઈ.

Agniveer Bharti cheating


ભારતીય સેનામાં ભરતી થવા માટે આજકાલ યુવાનોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, તેના માટે ફીટ બોડી અને પૂરતી ઊંચાઈ હોઈ જરૂરી છે. ઘણા યુવાનો હાઈટમાં માર ખાઈ જતા હોય છે. ત્યારે મધ્ય પ્રદેશના સાગરમાં ચાલી રહેલી અગ્નિવીર ભરતીમાં કેટલાક યુવકોએ એવા-એવા જુગાડ કર્યા કે, એ જોઈને આર્મીના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે.

Army issues notification for Agnipath scheme - The Hindu

મધ્ય પ્રદેશમાં અગ્નિવીર ભરતીમાં કેટલાક યુવકોને એવી-એવી ચાલાકી કરતા ઝડપાયા કે, જેને જોઈને આર્મીના અધિકારીઓ પણ ચોંકી ગયા.

ભારતીય સેનામાં ભરતી થવા માટે યુવકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સેનામાં ભરતી થવા ઘણા યુવકો રાત-દિવસ મહેનત કરે છે. પરંતુ કેટલાક યુવકો એવા પણ છે જેઓ મહેનત કરવા છતાં પણ એક કે બીજા કારણોસર સેનામાં ભરતી થઈ શકતા નથી. જ્યારે કેટલાક માત્ર ઊંચાઈના કારણે જ રહી જાય છે. મધ્ય પ્રદેશમાં યોજાયેલી અગ્નિવીરની ભરતીમાં કેટલાક યુવકોએ પોતાની ઊંચાઈ વધારે બતાવવા માટે જે ચાલાકી વાપરી તે જોઈને આર્મીના અધિકારીઓ પણ આશ્રર્યમાં મૂકાઈ ગયા હતા. આ યુવકોએ માથામાં વિગ અને પોતાની એડી નીચે લાકડાના ચોરસ ટૂકડા લગાવીને આવ્યા હતા. જોકે, સેનાના અધિકારીઓની બાજ નજરથી એ લોકો બચી શક્યા ન હતા અને પકડાઈ ગયા હતા. મધ્ય પ્રદેશના સાગરમાં ઈન્દિરા ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ચાલી રહેલી અગ્નિવીર ભરતી દરમિયાન આ મામલો સામે આવ્યો છે.


કોલેજના મેદાનમાં ચાલી રહેલા આ ભરતી મેળાનો છઠ્ઠો દિવસ હતો. ઘણા યુવક આ ભરતીમાં આવ્યા હતા. ભરતી દરમિયાન ફિઝિકલ ટેસ્ટ લઈ રહેલા અધિકારીઓને કેટલાક યુવકો પર શંકા ગઈ. તેમની તપાસ કરવામાં આવી તો, તેઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ યુવકોએ લંબાઈ વધારવા માટે પગની નીચે લાકડાના ટૂકડા લગાવેલા હતા. અધિકારીઓએ તેમને તાત્કાલીક ભરતીમાંથી બહાર કરી દીધા. કર્નલ સંતોષ કુમારે જણાવ્યું કે, કેટલાક વિદ્યાર્થીઓ લંબાઈ વધારવા માટે પગ નીચે લાકડાના ટૂકડા લગાવ્યા હતા. જ્યારે કેટલાકે તો માથા પર નકલી વાળ પણ લગાવેલા હતા.


આ અગ્નિવીર ભરતી 20 ઓક્ટોબર સુધી ચાલવાની છે. જેમાં 14 જિલ્લાના લગભગ 73 હજાર યુવકો ભાગ લઈ રહ્યા છે. સફળ થનારા યુવકોની પરીક્ષા 15 જાન્યુઆરી, 2023એ ગ્વાલિયરમાં લેવામાં આવશે. હાલમાં જે યુવકો પાસ થયા છે, તેમને ભોપાલ અને જબલપુર આર્મી હોસ્પિટલમાં ફાઈનલ મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.