પાંડુરંગ શાસ્ત્રી અઠાવલે પૂણ્યતિથિ પર આ 7 વાતો તમારે જાણવી જોઈએ


  • Published By :
  • Published Date : 2022-10-25 15:27:31

પાંડુરંગ શાસ્ત્રી અઠાવલે ભારતના મોટા દાર્શનિક અને સમાજ સુધારક હતા. તેમનો જન્મ 19 ઓક્ટોબરના રોજ 1920માં મુંબઈમાં થયો અને નિધન 25 ઓક્ટોબરના મુંબઈમાં થયું હતું. દેશમાં તેમને લોકો દાદાના હુલામણા નામથી ઓળખે છે. આજે તેમની પૂણ્યતિથિ પર જાણો તેમના જીવનની એ સાત વાતો જે કોઈને ખબર જ નહીં હોય......

दादाजी : मानव और समाज निर्माण के प्रणेता

પાંડુરંગ અઠાવલેજીએ સ્વાધ્યાયના માધ્યમથી સમાજમાં આત્મ ચેતના જગાડવાનું કાર્ય કર્યું હતું. અઠાવલેજીએ વેદો, ઉપનિષદો અને હિંદુ સંસ્કૃતિના આત્માનું મહત્વને લોકો સામે લાવી સમાજના સુધારામાં તે જ્ઞાનનો ઉપયોગ કર્યો હતો. 


1952માં પાંડુરંગ શાસ્ત્રીજીને જાપાનમાં બીજા વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો જેમાં તેમણે ભારતીય દર્શન, સંસ્કૃતિ, ધર્મ અને વૈદિક જ્ઞાન પર વ્યાખ્યાન આપ્યું હતું. 

Pandurang Shastri Athavale - Wikiwand

આઠવલેજીના આહ્વાન પર 1958માં તેમના ભક્તોએ ગામડે ગામડે જઈને સ્વાધ્યાયની મહિમાને લોકોને જણાવવાની શરૂઆત કરી હતી. 


1964માં જ્યારે પોપ પૉલ ચોથા ભારત આવ્યા હતા ત્યારે તેમણે દાદા આઠવલેજી સાથે ચર્ચા કરી હતી અને દર્શન મામલે તેમની સાથે ચર્ચા કરી હતી. 


પાંડુરંગ શાસ્ત્રીજીને વર્ષ 1988માં મહાત્મા ગાંધી પુરસ્કાર અને વર્ષ 1997માં તેમને ધર્મના ક્ષેત્રમાં કામગીરી બદલ ટેમ્પલટન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. 


1999માં પાંડુરંગ શાસ્ત્રીજીને રેમન મેગ્સેસે એવોર્ડ અને વર્ષ 1999માં જ તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા. 


પાંડુરંગજીને વર્ષ 1954માં તત્વજ્ઞાન વિદ્યાપીઠ નામની વિદ્યાલયની સ્થાપના કરી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.