પાંડુરંગ શાસ્ત્રી અઠાવલે પૂણ્યતિથિ પર આ 7 વાતો તમારે જાણવી જોઈએ


  • Published By :
  • Published Date : 2022-10-25 15:27:31

પાંડુરંગ શાસ્ત્રી અઠાવલે ભારતના મોટા દાર્શનિક અને સમાજ સુધારક હતા. તેમનો જન્મ 19 ઓક્ટોબરના રોજ 1920માં મુંબઈમાં થયો અને નિધન 25 ઓક્ટોબરના મુંબઈમાં થયું હતું. દેશમાં તેમને લોકો દાદાના હુલામણા નામથી ઓળખે છે. આજે તેમની પૂણ્યતિથિ પર જાણો તેમના જીવનની એ સાત વાતો જે કોઈને ખબર જ નહીં હોય......

दादाजी : मानव और समाज निर्माण के प्रणेता

પાંડુરંગ અઠાવલેજીએ સ્વાધ્યાયના માધ્યમથી સમાજમાં આત્મ ચેતના જગાડવાનું કાર્ય કર્યું હતું. અઠાવલેજીએ વેદો, ઉપનિષદો અને હિંદુ સંસ્કૃતિના આત્માનું મહત્વને લોકો સામે લાવી સમાજના સુધારામાં તે જ્ઞાનનો ઉપયોગ કર્યો હતો. 


1952માં પાંડુરંગ શાસ્ત્રીજીને જાપાનમાં બીજા વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો જેમાં તેમણે ભારતીય દર્શન, સંસ્કૃતિ, ધર્મ અને વૈદિક જ્ઞાન પર વ્યાખ્યાન આપ્યું હતું. 

Pandurang Shastri Athavale - Wikiwand

આઠવલેજીના આહ્વાન પર 1958માં તેમના ભક્તોએ ગામડે ગામડે જઈને સ્વાધ્યાયની મહિમાને લોકોને જણાવવાની શરૂઆત કરી હતી. 


1964માં જ્યારે પોપ પૉલ ચોથા ભારત આવ્યા હતા ત્યારે તેમણે દાદા આઠવલેજી સાથે ચર્ચા કરી હતી અને દર્શન મામલે તેમની સાથે ચર્ચા કરી હતી. 


પાંડુરંગ શાસ્ત્રીજીને વર્ષ 1988માં મહાત્મા ગાંધી પુરસ્કાર અને વર્ષ 1997માં તેમને ધર્મના ક્ષેત્રમાં કામગીરી બદલ ટેમ્પલટન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. 


1999માં પાંડુરંગ શાસ્ત્રીજીને રેમન મેગ્સેસે એવોર્ડ અને વર્ષ 1999માં જ તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા. 


પાંડુરંગજીને વર્ષ 1954માં તત્વજ્ઞાન વિદ્યાપીઠ નામની વિદ્યાલયની સ્થાપના કરી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.