બેગુસરાય રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી ચોરને ચોરી કરવી ભારે પડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 09:53:27

બિહારના બેગુસરાયમાં એક ચોર ચાલતી ટ્રેનની બારીમાંથી મોબાઈલ ચોરવાનો પ્રયાસ કરવામાં પોતાના જીવની જ બાજી લગાવી દીધી, આ ઘટના 12 સપ્ટેમ્બરે બની હતી. તેનો વીડિયો હવે સામે આવ્યો છે .આ ચોરે સ્ટેશનથી નીકળી રહેલી ટ્રેનની બારીમાં હાથ નાખીને પેસેન્જરનો મોબાઈલ આંચકી લેવાનો પ્રયાસ કર્યો ત્યાં ટ્રેનની અંદરના પેસેન્જરે તેનો હાથ પકડી લીધો હતો અને અન્ય એક મુસાફરે પણ તેનો હાથ પકડી લીધો અને લગભગ 15 કિમી સુધી તેને બારીએ લટકાવી રાખ્યો.

સમગ્ર ઘટનાનો વિડિઓ હાલ સોસીયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે 

ટ્રેનના મુસાફરો આ ચોરને બેગુસરાયના સાહેબપુર કમાલ સ્ટેશનથી ખાગરિયા સુધી લટકેલી હાલતમાં જ રાખ્યો, આ દરમિયાન ટ્રેન દોડતી રહી અને ચોર પોતાનો જીવ બચાવવા માટે આજીજી કરતો રહ્યો. પરંતુ મુસાફરોએ તેને છોડ્યો નહી. બાદમાં તેને ખાગરિયા સ્ટેશન પર પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. આ યુવકનું નામ પંકજ કુમાર હતુ. તે બેગુસરાયના સાહેબપુર કમલ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. ચોર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.