બેગુસરાય રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી ચોરને ચોરી કરવી ભારે પડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 09:53:27

બિહારના બેગુસરાયમાં એક ચોર ચાલતી ટ્રેનની બારીમાંથી મોબાઈલ ચોરવાનો પ્રયાસ કરવામાં પોતાના જીવની જ બાજી લગાવી દીધી, આ ઘટના 12 સપ્ટેમ્બરે બની હતી. તેનો વીડિયો હવે સામે આવ્યો છે .આ ચોરે સ્ટેશનથી નીકળી રહેલી ટ્રેનની બારીમાં હાથ નાખીને પેસેન્જરનો મોબાઈલ આંચકી લેવાનો પ્રયાસ કર્યો ત્યાં ટ્રેનની અંદરના પેસેન્જરે તેનો હાથ પકડી લીધો હતો અને અન્ય એક મુસાફરે પણ તેનો હાથ પકડી લીધો અને લગભગ 15 કિમી સુધી તેને બારીએ લટકાવી રાખ્યો.

સમગ્ર ઘટનાનો વિડિઓ હાલ સોસીયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે 

ટ્રેનના મુસાફરો આ ચોરને બેગુસરાયના સાહેબપુર કમાલ સ્ટેશનથી ખાગરિયા સુધી લટકેલી હાલતમાં જ રાખ્યો, આ દરમિયાન ટ્રેન દોડતી રહી અને ચોર પોતાનો જીવ બચાવવા માટે આજીજી કરતો રહ્યો. પરંતુ મુસાફરોએ તેને છોડ્યો નહી. બાદમાં તેને ખાગરિયા સ્ટેશન પર પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. આ યુવકનું નામ પંકજ કુમાર હતુ. તે બેગુસરાયના સાહેબપુર કમલ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. ચોર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.