3 વર્ષનું બાળક માતાની ફરિયાદ કરવા પહોંચ્યું પોલીસ સ્ટેશન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 10:53:57

માતાએ ગાલ પર ધીમેથી માર્યું. આ વાત દીકરાની ગમી નહીં
બાળકને સ્નાન કરાવ્યા બાદ માતા કાજળનું પટકું કરવા ઈચ્છી હતી
પોલીસે બાળકની નારાજગી દૂર કરવા એક કાગળ પર બાળકને દેખાડવા ફરિયાદ લખી


મધ્ય પ્રદેશના દેડતલાઈ ગામમાં ત્રણ વર્ષના એક બાળક તેની મમ્મીના ગુસ્સાથી નારાજ થઈ ઘરની નજીક આવેલા દેડતલાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અહીં સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકા નાયકે બાળકની નારાજગી દૂર કરવા માટે તેના કહેવાથી ફરિયાદ લખી. તેમણે ફરિયાદ લખ્યા બાદ જ બાળક ઘરે પરત ફર્યું હતું. આ બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


મધ્ય પ્રદેશના દેડતલાઈ ગામમાં ત્રણ વર્ષના એક બાળક તેની મમ્મીના ગુસ્સાથી નારાજ થઈ ઘરની નજીક આવેલા દેડતલાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અહીં સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકા નાયકે બાળકની નારાજગી દૂર કરવા માટે તેના કહેવાથી ફરિયાદ લખી. તેમણે ફરિયાદ લખ્યા બાદ જ બાળક ઘરે પરત ફર્યું હતું. આ બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


મધ્યપ્રદેશના બુરહાનપુરમાં એક ખૂબ જ રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. બુરહાનપુરના દેડતલાઈ પોલીસ સ્ટેશનમાં 3 વર્ષના એક બાળક તેની માતાની ફરિયાદ કરવા પહોંચ્યું હતું. હકીકતમાં આ ત્રણ વર્ષના બાળકને સ્નાન કરાવ્યા બાદ તેની માતા તેને કાજળનું પટકું કરવા ઈચ્છી હતી. પણ દીકરો આ માટે માનવા તૈયાર ન હતો. માટે તેની માતાએ તેને ગાલ પર ધીમે રહીને પ્રેમથી માર્યું. આ વાત દીકરાની ગમી નહીં અને તે માતા સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ગયું.


બાળક ત્યા પહોંચતા પોલીસ કર્મચારીઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. તેમની પાસે આવી બાળકે કહ્યું- મમ્મી મારી કેન્ડી અને ચોકલેટ ચોરી કરી લે છે. તેને જેલમાં પૂરી દો. તે મને મારે છે. આ માસૂમ બાળકની ફરિયાદ સાંભળી કેટલાક પોલીસવાળા હસવા લાગ્યા.સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકા નાયક બાળકની નારાજગી દૂર કરવા માટે એક કાગળ પર બાળકને દેખાડવા માટે ફરિયાદ લખે છે. ત્યારબાદ બાળકને સહી કરવાનું કહે છે ત્યારે તે પેન લઈ કાગળ પર આડી-અવળી લાઈન દોરે છે.


રવિવારે સવારે માતા ત્રણ વર્ષના બાળકને તૈયાર કરતી હતી ત્યારે તે કાજળ લગાવવા તૈયાર ન હતું અને પ્રેમથી ગાલ પર માર્યું હતું તો તે સીધો પોલીસ સ્ટેશન જઈ પહોંચ્યો હતો. માતાથી નારાજ દીકરાએ તેના પપ્પા પાસે પણ ગયો હતો અને મમ્મીને પોલીસ પાસે લઈ જવા અને જેલમાં મોકલી આપવાની જીદ કરી હતી. મમ્મી-પપ્પા પણ આ બાળકની હરકત અંગે હસી પડ્યા હતા. જ્યારે દીકરાએ ખૂબ જ જીદ કરી તો તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.


પોલીસ અધિકારી પ્રિયંકા નાયક પણ બાળકની વાત સાંભળીને હસી પડ્યા હતા. તેમણે બાળકની જીદ પૂરી કરવા માટે કાગળ-પેન ઉઠાવી અને ફરિયાદ લખવા બેસી ગયા હતા. બાળક મમ્મી દ્વારા કેન્ડી-ચોકલેટની ચોરી કરે છે અને મને મારે છે તેમ કહ્યું હતું. છેવટે મમ્મીને જેલમાં મોકલી આપશે તેમ મનાવીને ઘરે મોકલી આપ્યો હતો.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.