3 વર્ષનું બાળક માતાની ફરિયાદ કરવા પહોંચ્યું પોલીસ સ્ટેશન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 10:53:57

માતાએ ગાલ પર ધીમેથી માર્યું. આ વાત દીકરાની ગમી નહીં
બાળકને સ્નાન કરાવ્યા બાદ માતા કાજળનું પટકું કરવા ઈચ્છી હતી
પોલીસે બાળકની નારાજગી દૂર કરવા એક કાગળ પર બાળકને દેખાડવા ફરિયાદ લખી


મધ્ય પ્રદેશના દેડતલાઈ ગામમાં ત્રણ વર્ષના એક બાળક તેની મમ્મીના ગુસ્સાથી નારાજ થઈ ઘરની નજીક આવેલા દેડતલાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અહીં સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકા નાયકે બાળકની નારાજગી દૂર કરવા માટે તેના કહેવાથી ફરિયાદ લખી. તેમણે ફરિયાદ લખ્યા બાદ જ બાળક ઘરે પરત ફર્યું હતું. આ બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


મધ્ય પ્રદેશના દેડતલાઈ ગામમાં ત્રણ વર્ષના એક બાળક તેની મમ્મીના ગુસ્સાથી નારાજ થઈ ઘરની નજીક આવેલા દેડતલાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અહીં સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકા નાયકે બાળકની નારાજગી દૂર કરવા માટે તેના કહેવાથી ફરિયાદ લખી. તેમણે ફરિયાદ લખ્યા બાદ જ બાળક ઘરે પરત ફર્યું હતું. આ બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


મધ્યપ્રદેશના બુરહાનપુરમાં એક ખૂબ જ રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. બુરહાનપુરના દેડતલાઈ પોલીસ સ્ટેશનમાં 3 વર્ષના એક બાળક તેની માતાની ફરિયાદ કરવા પહોંચ્યું હતું. હકીકતમાં આ ત્રણ વર્ષના બાળકને સ્નાન કરાવ્યા બાદ તેની માતા તેને કાજળનું પટકું કરવા ઈચ્છી હતી. પણ દીકરો આ માટે માનવા તૈયાર ન હતો. માટે તેની માતાએ તેને ગાલ પર ધીમે રહીને પ્રેમથી માર્યું. આ વાત દીકરાની ગમી નહીં અને તે માતા સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ગયું.


બાળક ત્યા પહોંચતા પોલીસ કર્મચારીઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. તેમની પાસે આવી બાળકે કહ્યું- મમ્મી મારી કેન્ડી અને ચોકલેટ ચોરી કરી લે છે. તેને જેલમાં પૂરી દો. તે મને મારે છે. આ માસૂમ બાળકની ફરિયાદ સાંભળી કેટલાક પોલીસવાળા હસવા લાગ્યા.સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકા નાયક બાળકની નારાજગી દૂર કરવા માટે એક કાગળ પર બાળકને દેખાડવા માટે ફરિયાદ લખે છે. ત્યારબાદ બાળકને સહી કરવાનું કહે છે ત્યારે તે પેન લઈ કાગળ પર આડી-અવળી લાઈન દોરે છે.


રવિવારે સવારે માતા ત્રણ વર્ષના બાળકને તૈયાર કરતી હતી ત્યારે તે કાજળ લગાવવા તૈયાર ન હતું અને પ્રેમથી ગાલ પર માર્યું હતું તો તે સીધો પોલીસ સ્ટેશન જઈ પહોંચ્યો હતો. માતાથી નારાજ દીકરાએ તેના પપ્પા પાસે પણ ગયો હતો અને મમ્મીને પોલીસ પાસે લઈ જવા અને જેલમાં મોકલી આપવાની જીદ કરી હતી. મમ્મી-પપ્પા પણ આ બાળકની હરકત અંગે હસી પડ્યા હતા. જ્યારે દીકરાએ ખૂબ જ જીદ કરી તો તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.


પોલીસ અધિકારી પ્રિયંકા નાયક પણ બાળકની વાત સાંભળીને હસી પડ્યા હતા. તેમણે બાળકની જીદ પૂરી કરવા માટે કાગળ-પેન ઉઠાવી અને ફરિયાદ લખવા બેસી ગયા હતા. બાળક મમ્મી દ્વારા કેન્ડી-ચોકલેટની ચોરી કરે છે અને મને મારે છે તેમ કહ્યું હતું. છેવટે મમ્મીને જેલમાં મોકલી આપશે તેમ મનાવીને ઘરે મોકલી આપ્યો હતો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.