3 વર્ષનું બાળક માતાની ફરિયાદ કરવા પહોંચ્યું પોલીસ સ્ટેશન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 10:53:57

માતાએ ગાલ પર ધીમેથી માર્યું. આ વાત દીકરાની ગમી નહીં
બાળકને સ્નાન કરાવ્યા બાદ માતા કાજળનું પટકું કરવા ઈચ્છી હતી
પોલીસે બાળકની નારાજગી દૂર કરવા એક કાગળ પર બાળકને દેખાડવા ફરિયાદ લખી


મધ્ય પ્રદેશના દેડતલાઈ ગામમાં ત્રણ વર્ષના એક બાળક તેની મમ્મીના ગુસ્સાથી નારાજ થઈ ઘરની નજીક આવેલા દેડતલાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અહીં સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકા નાયકે બાળકની નારાજગી દૂર કરવા માટે તેના કહેવાથી ફરિયાદ લખી. તેમણે ફરિયાદ લખ્યા બાદ જ બાળક ઘરે પરત ફર્યું હતું. આ બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


મધ્ય પ્રદેશના દેડતલાઈ ગામમાં ત્રણ વર્ષના એક બાળક તેની મમ્મીના ગુસ્સાથી નારાજ થઈ ઘરની નજીક આવેલા દેડતલાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અહીં સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકા નાયકે બાળકની નારાજગી દૂર કરવા માટે તેના કહેવાથી ફરિયાદ લખી. તેમણે ફરિયાદ લખ્યા બાદ જ બાળક ઘરે પરત ફર્યું હતું. આ બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


મધ્યપ્રદેશના બુરહાનપુરમાં એક ખૂબ જ રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. બુરહાનપુરના દેડતલાઈ પોલીસ સ્ટેશનમાં 3 વર્ષના એક બાળક તેની માતાની ફરિયાદ કરવા પહોંચ્યું હતું. હકીકતમાં આ ત્રણ વર્ષના બાળકને સ્નાન કરાવ્યા બાદ તેની માતા તેને કાજળનું પટકું કરવા ઈચ્છી હતી. પણ દીકરો આ માટે માનવા તૈયાર ન હતો. માટે તેની માતાએ તેને ગાલ પર ધીમે રહીને પ્રેમથી માર્યું. આ વાત દીકરાની ગમી નહીં અને તે માતા સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ગયું.


બાળક ત્યા પહોંચતા પોલીસ કર્મચારીઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. તેમની પાસે આવી બાળકે કહ્યું- મમ્મી મારી કેન્ડી અને ચોકલેટ ચોરી કરી લે છે. તેને જેલમાં પૂરી દો. તે મને મારે છે. આ માસૂમ બાળકની ફરિયાદ સાંભળી કેટલાક પોલીસવાળા હસવા લાગ્યા.સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકા નાયક બાળકની નારાજગી દૂર કરવા માટે એક કાગળ પર બાળકને દેખાડવા માટે ફરિયાદ લખે છે. ત્યારબાદ બાળકને સહી કરવાનું કહે છે ત્યારે તે પેન લઈ કાગળ પર આડી-અવળી લાઈન દોરે છે.


રવિવારે સવારે માતા ત્રણ વર્ષના બાળકને તૈયાર કરતી હતી ત્યારે તે કાજળ લગાવવા તૈયાર ન હતું અને પ્રેમથી ગાલ પર માર્યું હતું તો તે સીધો પોલીસ સ્ટેશન જઈ પહોંચ્યો હતો. માતાથી નારાજ દીકરાએ તેના પપ્પા પાસે પણ ગયો હતો અને મમ્મીને પોલીસ પાસે લઈ જવા અને જેલમાં મોકલી આપવાની જીદ કરી હતી. મમ્મી-પપ્પા પણ આ બાળકની હરકત અંગે હસી પડ્યા હતા. જ્યારે દીકરાએ ખૂબ જ જીદ કરી તો તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.


પોલીસ અધિકારી પ્રિયંકા નાયક પણ બાળકની વાત સાંભળીને હસી પડ્યા હતા. તેમણે બાળકની જીદ પૂરી કરવા માટે કાગળ-પેન ઉઠાવી અને ફરિયાદ લખવા બેસી ગયા હતા. બાળક મમ્મી દ્વારા કેન્ડી-ચોકલેટની ચોરી કરે છે અને મને મારે છે તેમ કહ્યું હતું. છેવટે મમ્મીને જેલમાં મોકલી આપશે તેમ મનાવીને ઘરે મોકલી આપ્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.