વીડિયો કા જવાબ વીડિયો સે... ભાજપે રાહુલનો વીડિયો શેર કર્યો તો કોંગ્રેસે પીએમનો વીડિયો શેર કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 11:30:06

2024માં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને બેઠુ કરવાની કોશિશ કરી રહ્યા છે. અંદાજીત 1000 કિ.મીનો સફર આ યાત્રાએ કાપી દીધો છે. ભારત જોડો યાત્રા કરી પર ભાજપ અનેક વખત કટાક્ષ કરતું આવ્યું છે ઉપરાંત પ્રશ્ન પણ ઉઠાવતું આવ્યું છે. ત્યારે આ વખતે ભાજપે એક એનીમેટેડ વીડિયો શરે કરી ભારત જોડો યાત્રા પર નિશાન સાધ્યું છે. 

ભાજપે રાહુલનો એનિમેડેટ વીડિયો શેર કર્યો 

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી લોકોને મોંઘવારી, અચ્છે દિન વગેરે યાદ કરાવી રહ્યા છે. ભાજપના આવ્યા પછી દેશ પર જે અસર થઈ છે તે બતાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ ભારત જોડો યાત્રા પર ભાજપે અનેક વખત કટાક્ષ કર્યા છે. ત્યારે ભાજપે ટ્વિટર પર એક એનીમેટેડ વીડિયો શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવ્યા છે. આ એનિમેટેડ વીડિયોમાં રાહુલને અસરાની તરીકે બતાવવામાં આવ્યો છે.

 

જવાબમાં કોંગ્રેસે પીએમનો વીડિયો શેર કર્યો 

કોંગ્રેસે આ વીડિયોના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એનિમેટેડ વીડિયો શેર કર્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાના પ્રશ્નોના જવાબ આપવાની બદલીમાં ભાગતા દેખાય છે. મોંઘવારીની વાત હોય કે પછી રોજગારીની વાત હોય, આવા મુદ્દાઓને લઈ કોંગ્રેસે વીડિયો શેર કર્યો છે. પેટ્રોલના વધતા ભાવ પર પણ વીડિયોમાં કટાક્ષ કરવામાં આવ્યો છે.

      




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.