વીડિયો કા જવાબ વીડિયો સે... ભાજપે રાહુલનો વીડિયો શેર કર્યો તો કોંગ્રેસે પીએમનો વીડિયો શેર કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 11:30:06

2024માં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને બેઠુ કરવાની કોશિશ કરી રહ્યા છે. અંદાજીત 1000 કિ.મીનો સફર આ યાત્રાએ કાપી દીધો છે. ભારત જોડો યાત્રા કરી પર ભાજપ અનેક વખત કટાક્ષ કરતું આવ્યું છે ઉપરાંત પ્રશ્ન પણ ઉઠાવતું આવ્યું છે. ત્યારે આ વખતે ભાજપે એક એનીમેટેડ વીડિયો શરે કરી ભારત જોડો યાત્રા પર નિશાન સાધ્યું છે. 

ભાજપે રાહુલનો એનિમેડેટ વીડિયો શેર કર્યો 

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી લોકોને મોંઘવારી, અચ્છે દિન વગેરે યાદ કરાવી રહ્યા છે. ભાજપના આવ્યા પછી દેશ પર જે અસર થઈ છે તે બતાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ ભારત જોડો યાત્રા પર ભાજપે અનેક વખત કટાક્ષ કર્યા છે. ત્યારે ભાજપે ટ્વિટર પર એક એનીમેટેડ વીડિયો શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવ્યા છે. આ એનિમેટેડ વીડિયોમાં રાહુલને અસરાની તરીકે બતાવવામાં આવ્યો છે.

 

જવાબમાં કોંગ્રેસે પીએમનો વીડિયો શેર કર્યો 

કોંગ્રેસે આ વીડિયોના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એનિમેટેડ વીડિયો શેર કર્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાના પ્રશ્નોના જવાબ આપવાની બદલીમાં ભાગતા દેખાય છે. મોંઘવારીની વાત હોય કે પછી રોજગારીની વાત હોય, આવા મુદ્દાઓને લઈ કોંગ્રેસે વીડિયો શેર કર્યો છે. પેટ્રોલના વધતા ભાવ પર પણ વીડિયોમાં કટાક્ષ કરવામાં આવ્યો છે.

      




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .