વીડિયો કા જવાબ વીડિયો સે... ભાજપે રાહુલનો વીડિયો શેર કર્યો તો કોંગ્રેસે પીએમનો વીડિયો શેર કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 11:30:06

2024માં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને બેઠુ કરવાની કોશિશ કરી રહ્યા છે. અંદાજીત 1000 કિ.મીનો સફર આ યાત્રાએ કાપી દીધો છે. ભારત જોડો યાત્રા કરી પર ભાજપ અનેક વખત કટાક્ષ કરતું આવ્યું છે ઉપરાંત પ્રશ્ન પણ ઉઠાવતું આવ્યું છે. ત્યારે આ વખતે ભાજપે એક એનીમેટેડ વીડિયો શરે કરી ભારત જોડો યાત્રા પર નિશાન સાધ્યું છે. 

ભાજપે રાહુલનો એનિમેડેટ વીડિયો શેર કર્યો 

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી લોકોને મોંઘવારી, અચ્છે દિન વગેરે યાદ કરાવી રહ્યા છે. ભાજપના આવ્યા પછી દેશ પર જે અસર થઈ છે તે બતાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ ભારત જોડો યાત્રા પર ભાજપે અનેક વખત કટાક્ષ કર્યા છે. ત્યારે ભાજપે ટ્વિટર પર એક એનીમેટેડ વીડિયો શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવ્યા છે. આ એનિમેટેડ વીડિયોમાં રાહુલને અસરાની તરીકે બતાવવામાં આવ્યો છે.

 

જવાબમાં કોંગ્રેસે પીએમનો વીડિયો શેર કર્યો 

કોંગ્રેસે આ વીડિયોના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એનિમેટેડ વીડિયો શેર કર્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાના પ્રશ્નોના જવાબ આપવાની બદલીમાં ભાગતા દેખાય છે. મોંઘવારીની વાત હોય કે પછી રોજગારીની વાત હોય, આવા મુદ્દાઓને લઈ કોંગ્રેસે વીડિયો શેર કર્યો છે. પેટ્રોલના વધતા ભાવ પર પણ વીડિયોમાં કટાક્ષ કરવામાં આવ્યો છે.

      




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.