આજે છે વિશ્વ સંસ્કૃત દિવસ, એ દિવસ જેની ઉજવણી હિંદુ કેલેન્ડર પ્રમાણે થાય છે, જાણો કઈ તિથીએ અને શા માટે ઉજવાય છે આ દિવસ


  • Published By :
  • Published Date : 2023-08-31 13:37:11

संस्कृतं नाम दैवी वाक् अन्वाख्याता महर्षिभिः ॥


ભારત દેશ વિવિધ ભાષાઓ તેમજ વિવિધ સંસ્કૃતિથી સમૃદ્ધ દેશ છે. આપણે ત્યાં કહેવાય છે થોડા થોડા અંતરે ભાષા બદલાય છે, બોલવાની રીત બદલાય છે, બોલવાની સ્ટાઈલ બદલાય છે. ભાષા આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભાષાના કારણે આપણે આપણી વાત બીજા સુધી પહોંચાડી શકીએ છીએ. ભાષાના માધ્યમથી આપણે આપણી લાગણીઓ વ્યક્ત કરી શકીએ છીએ. આજે વાત ભાષાની એટલા માટે કરવી છે કારણ કે આજે વિશ્વ સંસ્કૃત દિવસ છે. સંસ્કૃતને ભાષાની જનની ગણવામાં આવે કારણ કે સંસ્કૃતમાંથી અનેક ભાષાઓ જન્મી છે અને સમૃદ્ધ થઈ છે. 


અનેક ભાષાઓની સંસ્કૃત ભાષા છે જનની 

સંસ્કૃત ભાષા એવો શબ્દ જ્યારે આપણા કાનોમાં પડે છે ત્યારે આપણા દિમાગમાં એક જ વુચાર આવે કે સંસ્કૃત એ દેવોની ભાષા છે. સંસ્કૃત વેદોમાં, પ્રાચીનકાળમાં વપરાતી ભાષા છે. પહેલા આ ભાષાનો વ્યાપ વધારે હતો પરંતુ ધીમે ધીમે ભાષાનો ઉપયોગ થતો ઓછો થતો ગયો. સંસ્કૃત ભાષાને અનેક ભાષાઓની જનની કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષાને સૌથી પ્રાચીન ભાષા માનવામાં આવે છે. લોકો સંસ્કૃત ભાષા વિશે માહિતગાર થાય તે માટે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતની જ ભાષાઓ સંસ્કૃતથી બની હોય તેવું નથી પરંતુ વિદેશની અનેક ભાષાઓ પણ સંસ્કૃતમાંથી વિકસી છે. 


હિંદુ કેલેન્ડર પ્રમાણે થાય છે સંસ્કૃત દિવસની ઉજવણી 

જ્યારે પણ દિવસની ઉજવણીની વાત કરવામાં આવે છે ત્યારે આપણને એવું થાય કે આ દિવસ પણ તારીખ પ્રમાણે મનાવવામાં આવતો હશે. જેમ અલગ અલગ તારીખો પર અલગ અલગ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમ આ દિવસની ઉજવણી નથી કરવામાં આવતી. આ દિવસની ઉજવણી તારીખ પ્રમાણે નહીં પરંતુ તિથી પ્રમાણે કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે આ દિવસ મનાવવામાં આવે છે. દર શ્રાવણ મહિનાની પૂનમે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે ઉજવવામાં આવે છે જેને કારણે તારીખોમાં તફાવત હોઈ શકે છે. 


શા માટે શ્રાવણની પૂનમે ઉજવાય છે સંસ્કૃત દિવસ  

જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ, તેમ તેમ આપણે આપણી સંસ્કૃતિને પાછળ ધકેલી રહ્યા છીએ. સંસ્કૃતિની અવગણના જાણે આપણે કરતા હોઈએ છીએ એવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ભારતની પ્રાચીન ભાષાઓમાં સંસ્કૃત સંવાદનું માધ્યમ હતું. અનેક શાસ્ત્રો, વેદ, ગ્રંથ, પુરાણ તેમજ કથાઓ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલી છે. સંસ્કૃત ભાષાનો પ્રચાર થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શ્રાવણની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે આની ઉજવણી થાય છે. શ્રાવણની પૂનમના દિવસે એટલા માટે સંસ્કૃત દિવસની ઉજવણી થાય છે કારણ કે પ્રાચીન કાળમાં આ દિવસથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતો હતો.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.