આજે છે વિશ્વ સંસ્કૃત દિવસ, એ દિવસ જેની ઉજવણી હિંદુ કેલેન્ડર પ્રમાણે થાય છે, જાણો કઈ તિથીએ અને શા માટે ઉજવાય છે આ દિવસ


  • Published By :
  • Published Date : 2023-08-31 13:37:11

संस्कृतं नाम दैवी वाक् अन्वाख्याता महर्षिभिः ॥


ભારત દેશ વિવિધ ભાષાઓ તેમજ વિવિધ સંસ્કૃતિથી સમૃદ્ધ દેશ છે. આપણે ત્યાં કહેવાય છે થોડા થોડા અંતરે ભાષા બદલાય છે, બોલવાની રીત બદલાય છે, બોલવાની સ્ટાઈલ બદલાય છે. ભાષા આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભાષાના કારણે આપણે આપણી વાત બીજા સુધી પહોંચાડી શકીએ છીએ. ભાષાના માધ્યમથી આપણે આપણી લાગણીઓ વ્યક્ત કરી શકીએ છીએ. આજે વાત ભાષાની એટલા માટે કરવી છે કારણ કે આજે વિશ્વ સંસ્કૃત દિવસ છે. સંસ્કૃતને ભાષાની જનની ગણવામાં આવે કારણ કે સંસ્કૃતમાંથી અનેક ભાષાઓ જન્મી છે અને સમૃદ્ધ થઈ છે. 


અનેક ભાષાઓની સંસ્કૃત ભાષા છે જનની 

સંસ્કૃત ભાષા એવો શબ્દ જ્યારે આપણા કાનોમાં પડે છે ત્યારે આપણા દિમાગમાં એક જ વુચાર આવે કે સંસ્કૃત એ દેવોની ભાષા છે. સંસ્કૃત વેદોમાં, પ્રાચીનકાળમાં વપરાતી ભાષા છે. પહેલા આ ભાષાનો વ્યાપ વધારે હતો પરંતુ ધીમે ધીમે ભાષાનો ઉપયોગ થતો ઓછો થતો ગયો. સંસ્કૃત ભાષાને અનેક ભાષાઓની જનની કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષાને સૌથી પ્રાચીન ભાષા માનવામાં આવે છે. લોકો સંસ્કૃત ભાષા વિશે માહિતગાર થાય તે માટે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતની જ ભાષાઓ સંસ્કૃતથી બની હોય તેવું નથી પરંતુ વિદેશની અનેક ભાષાઓ પણ સંસ્કૃતમાંથી વિકસી છે. 


હિંદુ કેલેન્ડર પ્રમાણે થાય છે સંસ્કૃત દિવસની ઉજવણી 

જ્યારે પણ દિવસની ઉજવણીની વાત કરવામાં આવે છે ત્યારે આપણને એવું થાય કે આ દિવસ પણ તારીખ પ્રમાણે મનાવવામાં આવતો હશે. જેમ અલગ અલગ તારીખો પર અલગ અલગ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમ આ દિવસની ઉજવણી નથી કરવામાં આવતી. આ દિવસની ઉજવણી તારીખ પ્રમાણે નહીં પરંતુ તિથી પ્રમાણે કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે આ દિવસ મનાવવામાં આવે છે. દર શ્રાવણ મહિનાની પૂનમે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે ઉજવવામાં આવે છે જેને કારણે તારીખોમાં તફાવત હોઈ શકે છે. 


શા માટે શ્રાવણની પૂનમે ઉજવાય છે સંસ્કૃત દિવસ  

જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ, તેમ તેમ આપણે આપણી સંસ્કૃતિને પાછળ ધકેલી રહ્યા છીએ. સંસ્કૃતિની અવગણના જાણે આપણે કરતા હોઈએ છીએ એવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ભારતની પ્રાચીન ભાષાઓમાં સંસ્કૃત સંવાદનું માધ્યમ હતું. અનેક શાસ્ત્રો, વેદ, ગ્રંથ, પુરાણ તેમજ કથાઓ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલી છે. સંસ્કૃત ભાષાનો પ્રચાર થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શ્રાવણની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે આની ઉજવણી થાય છે. શ્રાવણની પૂનમના દિવસે એટલા માટે સંસ્કૃત દિવસની ઉજવણી થાય છે કારણ કે પ્રાચીન કાળમાં આ દિવસથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતો હતો.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.