આજે છે વિશ્વ સંસ્કૃત દિવસ, એ દિવસ જેની ઉજવણી હિંદુ કેલેન્ડર પ્રમાણે થાય છે, જાણો કઈ તિથીએ અને શા માટે ઉજવાય છે આ દિવસ


  • Published By :
  • Published Date : 2023-08-31 13:37:11

संस्कृतं नाम दैवी वाक् अन्वाख्याता महर्षिभिः ॥


ભારત દેશ વિવિધ ભાષાઓ તેમજ વિવિધ સંસ્કૃતિથી સમૃદ્ધ દેશ છે. આપણે ત્યાં કહેવાય છે થોડા થોડા અંતરે ભાષા બદલાય છે, બોલવાની રીત બદલાય છે, બોલવાની સ્ટાઈલ બદલાય છે. ભાષા આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભાષાના કારણે આપણે આપણી વાત બીજા સુધી પહોંચાડી શકીએ છીએ. ભાષાના માધ્યમથી આપણે આપણી લાગણીઓ વ્યક્ત કરી શકીએ છીએ. આજે વાત ભાષાની એટલા માટે કરવી છે કારણ કે આજે વિશ્વ સંસ્કૃત દિવસ છે. સંસ્કૃતને ભાષાની જનની ગણવામાં આવે કારણ કે સંસ્કૃતમાંથી અનેક ભાષાઓ જન્મી છે અને સમૃદ્ધ થઈ છે. 


અનેક ભાષાઓની સંસ્કૃત ભાષા છે જનની 

સંસ્કૃત ભાષા એવો શબ્દ જ્યારે આપણા કાનોમાં પડે છે ત્યારે આપણા દિમાગમાં એક જ વુચાર આવે કે સંસ્કૃત એ દેવોની ભાષા છે. સંસ્કૃત વેદોમાં, પ્રાચીનકાળમાં વપરાતી ભાષા છે. પહેલા આ ભાષાનો વ્યાપ વધારે હતો પરંતુ ધીમે ધીમે ભાષાનો ઉપયોગ થતો ઓછો થતો ગયો. સંસ્કૃત ભાષાને અનેક ભાષાઓની જનની કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષાને સૌથી પ્રાચીન ભાષા માનવામાં આવે છે. લોકો સંસ્કૃત ભાષા વિશે માહિતગાર થાય તે માટે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતની જ ભાષાઓ સંસ્કૃતથી બની હોય તેવું નથી પરંતુ વિદેશની અનેક ભાષાઓ પણ સંસ્કૃતમાંથી વિકસી છે. 


હિંદુ કેલેન્ડર પ્રમાણે થાય છે સંસ્કૃત દિવસની ઉજવણી 

જ્યારે પણ દિવસની ઉજવણીની વાત કરવામાં આવે છે ત્યારે આપણને એવું થાય કે આ દિવસ પણ તારીખ પ્રમાણે મનાવવામાં આવતો હશે. જેમ અલગ અલગ તારીખો પર અલગ અલગ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમ આ દિવસની ઉજવણી નથી કરવામાં આવતી. આ દિવસની ઉજવણી તારીખ પ્રમાણે નહીં પરંતુ તિથી પ્રમાણે કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે આ દિવસ મનાવવામાં આવે છે. દર શ્રાવણ મહિનાની પૂનમે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે ઉજવવામાં આવે છે જેને કારણે તારીખોમાં તફાવત હોઈ શકે છે. 


શા માટે શ્રાવણની પૂનમે ઉજવાય છે સંસ્કૃત દિવસ  

જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ, તેમ તેમ આપણે આપણી સંસ્કૃતિને પાછળ ધકેલી રહ્યા છીએ. સંસ્કૃતિની અવગણના જાણે આપણે કરતા હોઈએ છીએ એવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ભારતની પ્રાચીન ભાષાઓમાં સંસ્કૃત સંવાદનું માધ્યમ હતું. અનેક શાસ્ત્રો, વેદ, ગ્રંથ, પુરાણ તેમજ કથાઓ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલી છે. સંસ્કૃત ભાષાનો પ્રચાર થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શ્રાવણની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે આની ઉજવણી થાય છે. શ્રાવણની પૂનમના દિવસે એટલા માટે સંસ્કૃત દિવસની ઉજવણી થાય છે કારણ કે પ્રાચીન કાળમાં આ દિવસથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતો હતો.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.