આજે વિશ્વ જળ દિવસે જોઈએ ગુજરાતમાં પાણીની સ્થિતિ અને ભવિષ્ય, છોટા ઉદેપુરની સુચિતાના ઘર સુધી પાણી પહોંચશે ત્યારે સાચો જળ દિવસ....


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-22 18:19:13

પાણી.. આપણે જળ વગર તો જીવનની કલ્પના પણ ન કરી શકીએ આજે વિશ્વ જળ દિવસ પર આપણે અચાનક પાણી બચવવાની વાત કરીશું . પાછું કાલે ઉઠીને ભૂલી પણ જાશું આજે પણ જ્યારે હું પાણી વિષે વિચારું તો મને છોટાઉદેપુરના એ ગામ યાદ આવે જ્યાં લોકો પાણી માટે હજુ વલખાં મારે છે મને કચ્છની એ સરીફા યાદ આવે જે વાવાઝોડા વચ્ચે પણ બેડા લઈને પાણી ભરવા આવી હતી તો વાત કરીએ ગુજરાતમાં પાણીની સમસ્યા એના સમાધાન અને ભવિષ્ય વિષે.. 


આજે, 22 માર્ચ, 2025ના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ જળ દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ પાણીના મહત્વને ઉજાગર કરવા અને તેના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. ગુજરાત, જે એક સમયે દુષ્કાળગ્રસ્ત રાજ્યમાં આવતું હતું , તેણે છેલ્લા બે દાયકામાં જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. પરંતુ હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી એક મોટો પડકાર છે.

ગુજરાતમાં પાણીની વર્તમાન સ્થિતિ

ગુજરાત સરકારના જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ તાજેતરમાં જણાવ્યું હતું કે રાજ્યના જળાશયોમાં હાલ 55% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યાને ઘટાડવામાં મદદરૂપ થશે. 2024ના ચોમાસામાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમ 99% ભરાઈ ગયો હતો અને રાજ્યના 122 ડેમ સંપૂર્ણ રીતે ભરાયા હતા. રાજ્યના કુલ 206 જળાશયોમાં સરેરાશ 93.09% પાણીનો સંગ્રહ થયો હતો. આ આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતે પાણીના સંગ્રહમાં સારી સફળતા મેળવી છે, પરંતુ આ સફળતા દરેક વિસ્તાર સુધી પહોંચી નથી.


ભવિષ્યમાં પાણીની જરૂરિયાત

ગુજરાતની વસ્તી અને ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં લેતા, ભવિષ્યમાં પાણીની માંગમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. એક અંદાજ મુજબ, 2025 સુધીમાં રાજ્યની કુલ વાર્ષિક પાણીની જરૂરિયાત 44,890 મિલિયન ઘન મીટર (MCM) હોઈ શકે છે, જેમાં ખેતી માટે 67%, ઉદ્યોગો માટે 23% અને ઘરેલુ વપરાશ માટે 8% પાણીનો સમાવેશ થાય છે. હાલમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો આ જરૂરિયાતને પહોંચી વળે છે, પરંતુ વરસાદની અનિશ્ચિતતા અને વધતી વસ્તીને કારણે આ સંતુલન બગડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં પાણીની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર વધી શકે છે.



પાણીની તંગીવાળા વિસ્તારો

ગુજરાતમાં પાણીની સમસ્યા એક સમાન નથી; તે પ્રદેશ અનુસાર બદલાય છે. નીચેના વિસ્તારોમાં હાલ પાણીની તંગી એક મોટી સમસ્યા છે


સરકારની કઈ યોજનાઓ છે?

ગુજરાત સરકારે ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ અને ‘જલ જીવન મિશન’ જેવી યોજનાઓ દ્વારા પાણીની સમસ્યાને દૂર કરવા પ્રયાસો કર્યા છે. આ યોજનાઓએ 1.07 લાખ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરીને 119,144 લાખ ઘન ફૂટ પાણીની સંગ્રહ ક્ષમતા વધારી છે. આ ઉપરાંત, નર્મદા નદીના પાણીનું વિતરણ અને ચેકડેમ-તળાવોનું નિર્માણ ભૂગર્ભજળના સ્તરમાં સુધારો લાવી રહ્યું છે. 2024માં ગુજરાતને ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યું હતું, જે રાજ્યની સફળતાને દર્શાવે છે.



છેલ્લા બે દાયકામાં ગુજરાતે પાણીના સંચય અને વ્યવસ્થાપનમાં ઘણી પ્રગતિ કરી છે, પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હજુ પણ પાણીની તંગી એક વાસ્તવિકતા છે. ભવિષ્યમાં વધતી માંગને પહોંચી વળવા માટે વરસાદી પાણીનો સંગ્રહ, રિસાયક્લિંગ અને જાગૃતિ જેવા પગલાં લેવા જરૂરી છે. આ વિશ્વ જળ દિવસે, આપણે સૌએ પાણીના મૂલ્યને સમજીને તેનો સદુપયોગ કરવાનો સંકલ્પ લેવો જોઈએ, જેથી ગુજરાત ખરેખર જળ સમૃદ્ધ રાજ્ય બને અને છેવાળાના એ માનવી સુધી પણ પીવા લાયક પાણી પહોંચે.. 



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.