આજે વિશ્વ જળ દિવસે જોઈએ ગુજરાતમાં પાણીની સ્થિતિ અને ભવિષ્ય, છોટા ઉદેપુરની સુચિતાના ઘર સુધી પાણી પહોંચશે ત્યારે સાચો જળ દિવસ....


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-22 18:19:13

પાણી.. આપણે જળ વગર તો જીવનની કલ્પના પણ ન કરી શકીએ આજે વિશ્વ જળ દિવસ પર આપણે અચાનક પાણી બચવવાની વાત કરીશું . પાછું કાલે ઉઠીને ભૂલી પણ જાશું આજે પણ જ્યારે હું પાણી વિષે વિચારું તો મને છોટાઉદેપુરના એ ગામ યાદ આવે જ્યાં લોકો પાણી માટે હજુ વલખાં મારે છે મને કચ્છની એ સરીફા યાદ આવે જે વાવાઝોડા વચ્ચે પણ બેડા લઈને પાણી ભરવા આવી હતી તો વાત કરીએ ગુજરાતમાં પાણીની સમસ્યા એના સમાધાન અને ભવિષ્ય વિષે.. 


આજે, 22 માર્ચ, 2025ના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ જળ દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ પાણીના મહત્વને ઉજાગર કરવા અને તેના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. ગુજરાત, જે એક સમયે દુષ્કાળગ્રસ્ત રાજ્યમાં આવતું હતું , તેણે છેલ્લા બે દાયકામાં જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. પરંતુ હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી એક મોટો પડકાર છે.

ગુજરાતમાં પાણીની વર્તમાન સ્થિતિ

ગુજરાત સરકારના જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ તાજેતરમાં જણાવ્યું હતું કે રાજ્યના જળાશયોમાં હાલ 55% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યાને ઘટાડવામાં મદદરૂપ થશે. 2024ના ચોમાસામાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમ 99% ભરાઈ ગયો હતો અને રાજ્યના 122 ડેમ સંપૂર્ણ રીતે ભરાયા હતા. રાજ્યના કુલ 206 જળાશયોમાં સરેરાશ 93.09% પાણીનો સંગ્રહ થયો હતો. આ આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતે પાણીના સંગ્રહમાં સારી સફળતા મેળવી છે, પરંતુ આ સફળતા દરેક વિસ્તાર સુધી પહોંચી નથી.


ભવિષ્યમાં પાણીની જરૂરિયાત

ગુજરાતની વસ્તી અને ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં લેતા, ભવિષ્યમાં પાણીની માંગમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. એક અંદાજ મુજબ, 2025 સુધીમાં રાજ્યની કુલ વાર્ષિક પાણીની જરૂરિયાત 44,890 મિલિયન ઘન મીટર (MCM) હોઈ શકે છે, જેમાં ખેતી માટે 67%, ઉદ્યોગો માટે 23% અને ઘરેલુ વપરાશ માટે 8% પાણીનો સમાવેશ થાય છે. હાલમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો આ જરૂરિયાતને પહોંચી વળે છે, પરંતુ વરસાદની અનિશ્ચિતતા અને વધતી વસ્તીને કારણે આ સંતુલન બગડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં પાણીની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર વધી શકે છે.



પાણીની તંગીવાળા વિસ્તારો

ગુજરાતમાં પાણીની સમસ્યા એક સમાન નથી; તે પ્રદેશ અનુસાર બદલાય છે. નીચેના વિસ્તારોમાં હાલ પાણીની તંગી એક મોટી સમસ્યા છે


સરકારની કઈ યોજનાઓ છે?

ગુજરાત સરકારે ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ અને ‘જલ જીવન મિશન’ જેવી યોજનાઓ દ્વારા પાણીની સમસ્યાને દૂર કરવા પ્રયાસો કર્યા છે. આ યોજનાઓએ 1.07 લાખ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરીને 119,144 લાખ ઘન ફૂટ પાણીની સંગ્રહ ક્ષમતા વધારી છે. આ ઉપરાંત, નર્મદા નદીના પાણીનું વિતરણ અને ચેકડેમ-તળાવોનું નિર્માણ ભૂગર્ભજળના સ્તરમાં સુધારો લાવી રહ્યું છે. 2024માં ગુજરાતને ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યું હતું, જે રાજ્યની સફળતાને દર્શાવે છે.



છેલ્લા બે દાયકામાં ગુજરાતે પાણીના સંચય અને વ્યવસ્થાપનમાં ઘણી પ્રગતિ કરી છે, પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હજુ પણ પાણીની તંગી એક વાસ્તવિકતા છે. ભવિષ્યમાં વધતી માંગને પહોંચી વળવા માટે વરસાદી પાણીનો સંગ્રહ, રિસાયક્લિંગ અને જાગૃતિ જેવા પગલાં લેવા જરૂરી છે. આ વિશ્વ જળ દિવસે, આપણે સૌએ પાણીના મૂલ્યને સમજીને તેનો સદુપયોગ કરવાનો સંકલ્પ લેવો જોઈએ, જેથી ગુજરાત ખરેખર જળ સમૃદ્ધ રાજ્ય બને અને છેવાળાના એ માનવી સુધી પણ પીવા લાયક પાણી પહોંચે.. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.