ખેડૂતોને દિવાળીની ભેટ: કેન્દ્ર સરકારે 6 રવી પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 14:39:03


કેન્દ્ર સરકારે ખેડુતોને દિળાળીની ગીફ્ટ આપતા આજે 6 રવી પાકના ટેકાના ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ મિટિંગ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં સરકારના નિર્ણયની જાહેરાત કરી છે. 


કેન્દ્ર સરકારે કયા પાકનો ટેકાનો ભાવ કેટલો વધાર્યો?


કેન્દ્ર સરકારે ઘઉં, જવ, ચણા, મસૂર, સૂર્યમુખી અને સરસવના ટેકાના ભાવ વધાર્યા છે. ઘઉંના ટેકાના ભાવ 110 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જેટલા વધારવામાં આવ્યા છે. જેથી હવે ઘઉંનો ટેકાનો ભાવ 110 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધીને હવે રવી સિઝન 2023-24 માટે 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. ઘઉં ઉપરાંત કેન્દ્ર સરકારે ચણાના ટેકાના ભાવમાં રૂ. 105નો વધારો કર્યો છે, જ્યારે મસૂરમાં રૂ. 500, સરસવના રૂ. 400 અને સૂર્યમુખીના ભાવમાં રૂ. 209 પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે.


PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં MSP અંગે કરાયો નિર્ણય


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA)ની બેઠકમાં ટેકાના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્તમાનમાં કેન્દ્ર સરકાર ખરીફ અને રવી બંને મોસમમાં વાવેતર કરાતા 23 પાક માટે ટેકાના ભાવ નક્કી કરે છે.




ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.