ખેડૂતોને દિવાળીની ભેટ: કેન્દ્ર સરકારે 6 રવી પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 14:39:03


કેન્દ્ર સરકારે ખેડુતોને દિળાળીની ગીફ્ટ આપતા આજે 6 રવી પાકના ટેકાના ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ મિટિંગ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં સરકારના નિર્ણયની જાહેરાત કરી છે. 


કેન્દ્ર સરકારે કયા પાકનો ટેકાનો ભાવ કેટલો વધાર્યો?


કેન્દ્ર સરકારે ઘઉં, જવ, ચણા, મસૂર, સૂર્યમુખી અને સરસવના ટેકાના ભાવ વધાર્યા છે. ઘઉંના ટેકાના ભાવ 110 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જેટલા વધારવામાં આવ્યા છે. જેથી હવે ઘઉંનો ટેકાનો ભાવ 110 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધીને હવે રવી સિઝન 2023-24 માટે 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. ઘઉં ઉપરાંત કેન્દ્ર સરકારે ચણાના ટેકાના ભાવમાં રૂ. 105નો વધારો કર્યો છે, જ્યારે મસૂરમાં રૂ. 500, સરસવના રૂ. 400 અને સૂર્યમુખીના ભાવમાં રૂ. 209 પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે.


PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં MSP અંગે કરાયો નિર્ણય


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA)ની બેઠકમાં ટેકાના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્તમાનમાં કેન્દ્ર સરકાર ખરીફ અને રવી બંને મોસમમાં વાવેતર કરાતા 23 પાક માટે ટેકાના ભાવ નક્કી કરે છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.