ખેડૂતોને દિવાળીની ભેટ: કેન્દ્ર સરકારે 6 રવી પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 14:39:03


કેન્દ્ર સરકારે ખેડુતોને દિળાળીની ગીફ્ટ આપતા આજે 6 રવી પાકના ટેકાના ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ મિટિંગ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં સરકારના નિર્ણયની જાહેરાત કરી છે. 


કેન્દ્ર સરકારે કયા પાકનો ટેકાનો ભાવ કેટલો વધાર્યો?


કેન્દ્ર સરકારે ઘઉં, જવ, ચણા, મસૂર, સૂર્યમુખી અને સરસવના ટેકાના ભાવ વધાર્યા છે. ઘઉંના ટેકાના ભાવ 110 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જેટલા વધારવામાં આવ્યા છે. જેથી હવે ઘઉંનો ટેકાનો ભાવ 110 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધીને હવે રવી સિઝન 2023-24 માટે 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. ઘઉં ઉપરાંત કેન્દ્ર સરકારે ચણાના ટેકાના ભાવમાં રૂ. 105નો વધારો કર્યો છે, જ્યારે મસૂરમાં રૂ. 500, સરસવના રૂ. 400 અને સૂર્યમુખીના ભાવમાં રૂ. 209 પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે.


PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં MSP અંગે કરાયો નિર્ણય


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA)ની બેઠકમાં ટેકાના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્તમાનમાં કેન્દ્ર સરકાર ખરીફ અને રવી બંને મોસમમાં વાવેતર કરાતા 23 પાક માટે ટેકાના ભાવ નક્કી કરે છે.




પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.