કેન્સર સહિતના જીવલેણ રોગોની દવાઓ મળશે સસ્તી, 384 દવાઓની યાદી જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 17:12:27

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એસેન્સિયલ મેડિસિનની નેશનલ લિસ્ટ 2022 જારી કરી દીધી છે. વર્ષ 2015 બાદ આ લિસ્ટને વર્ષ 2022માં એપડેટ કરવામાં આવ્યા છે. માંડવિયાએ આ જે બપોરે એક કાર્યક્રમ દરમિયાન જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી જાહેર કરી, જેમાં 34 દવાઓ સામેલ કરવામાં આવી છે. અને 24 દવાઓને હટાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ લિસ્ટમાં પબ્લિક હેલ્થ માટે ઉપયોગી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં કુલ 384 દવાઓ સામેલ કરવામાં આવી છે. 350 નિષ્ણાતોએ 140 મિટિંગ બાદ આ નવી અને લેટેસ્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. 



કઈ બિમારીઓની દવાઓ સસ્તી મળશે?


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દવાઓની યાદી જાહેર કરી તેનો હેતું જણાવ્યો હતો. નેશનલ લિસ્ટ ઓફ એસેન્સીયલ મેડિસિન્સ, 2022ની યાદી જાહેર કરી હતી યાદીમાં 27 કેટેગરીની 384 દવાઓને સામેલ કરવામાં આવી છે. દવાઓની યાદી જાહેર કરતા માંડવિયાએ કહ્યું કે  લોકોને જરુરી સસ્તી, સુલભ અને સરળતાથી દવાઓ મળી રહે તે માટે આ લિસ્ટ જાહેર કર્યો હતો. એન્ટીબાયોટિક, વેક્સિન, એન્ટી કેન્સર ડ્રગ્સ અને બીજી ઘણી મહત્વની દવાઓ લોકોને વધારે રસ્તી મળશે અને દર્દીઓના ખર્ચમાં પણ મોટો ઘટાડો થશે. આ પહેલા સાત વર્ષ પહેલા જીવન જરુરી દવાઓની યાદી જાહેર કરવામાં આવી હતી. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.