કેન્સર સહિતના જીવલેણ રોગોની દવાઓ મળશે સસ્તી, 384 દવાઓની યાદી જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 17:12:27

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એસેન્સિયલ મેડિસિનની નેશનલ લિસ્ટ 2022 જારી કરી દીધી છે. વર્ષ 2015 બાદ આ લિસ્ટને વર્ષ 2022માં એપડેટ કરવામાં આવ્યા છે. માંડવિયાએ આ જે બપોરે એક કાર્યક્રમ દરમિયાન જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી જાહેર કરી, જેમાં 34 દવાઓ સામેલ કરવામાં આવી છે. અને 24 દવાઓને હટાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ લિસ્ટમાં પબ્લિક હેલ્થ માટે ઉપયોગી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં કુલ 384 દવાઓ સામેલ કરવામાં આવી છે. 350 નિષ્ણાતોએ 140 મિટિંગ બાદ આ નવી અને લેટેસ્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. 



કઈ બિમારીઓની દવાઓ સસ્તી મળશે?


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દવાઓની યાદી જાહેર કરી તેનો હેતું જણાવ્યો હતો. નેશનલ લિસ્ટ ઓફ એસેન્સીયલ મેડિસિન્સ, 2022ની યાદી જાહેર કરી હતી યાદીમાં 27 કેટેગરીની 384 દવાઓને સામેલ કરવામાં આવી છે. દવાઓની યાદી જાહેર કરતા માંડવિયાએ કહ્યું કે  લોકોને જરુરી સસ્તી, સુલભ અને સરળતાથી દવાઓ મળી રહે તે માટે આ લિસ્ટ જાહેર કર્યો હતો. એન્ટીબાયોટિક, વેક્સિન, એન્ટી કેન્સર ડ્રગ્સ અને બીજી ઘણી મહત્વની દવાઓ લોકોને વધારે રસ્તી મળશે અને દર્દીઓના ખર્ચમાં પણ મોટો ઘટાડો થશે. આ પહેલા સાત વર્ષ પહેલા જીવન જરુરી દવાઓની યાદી જાહેર કરવામાં આવી હતી. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.