બિલકિસ બાનોના બળાત્કારીઓના સમર્થનમાં આવ્યા કેન્દ્રીય મંત્રી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 17:21:37

ગુજરાતના બિલકિસ બાનોના સામુહિક બળાત્કારના મામલામાં ગુજરાત સરકારે 11 હવસખોરોની જેલમુક્તિ કરી હતી. 11 બળાત્કારીઓની જેલમુક્તિ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આની વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી બળાત્કારીઓના સમર્થનમાં કૂદી પડ્યા હતા. 


પ્રહલાદ જોશીએ શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે કંઈ ખોટું નથી થયું. કાયદા મુજબ દોષિતોને જેલમુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે દોષિતોએ જેલમાં ઘણો સમય પસાર કર્યો હતો. આ એક કાયદાની પ્રક્રિયા છે. કાયદા મુજબ તેમને જેલમુક્ત કરવામાં આવ્યા છે. તમામ દોષિતોનો વ્યવહાર સારો હતો માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી હતી. 


સુપ્રીમ કોર્ટે અરજી પર શું પ્રતિક્રિયા આપી?

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સમગ્ર મામલે આગામી 29 નવેમ્બરના સુનાવણી કરવામાં આવશે. 2002માં બિલકિસ બાનો પર 11 લોકો દ્વારા સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. અરજીકરનાર લોકોને ગુજરાત સરકારના એફિડેવિટ પર જવાબ આપવા માટે સમય આપ્યો છે. 


દેશભરના આક્રોષ વચ્ચે ગુજરાત સરકારે 15 ઓગસ્ટ 2022ના રોજ બિલકિસ બાનોના બળાત્કારીઓને જેલમુક્ત કરી દીધા હતા. 11 બળાત્કારીઓ જેલમુક્ત થયા બાદ વીરોની જેમ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બળાત્કારીઓના પરિવારજનોએ મીઠાઈ ખવડાવી તેમનું સ્વાગત કર્યું હતું. 

 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.