બિલકિસ બાનોના બળાત્કારીઓના સમર્થનમાં આવ્યા કેન્દ્રીય મંત્રી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 17:21:37

ગુજરાતના બિલકિસ બાનોના સામુહિક બળાત્કારના મામલામાં ગુજરાત સરકારે 11 હવસખોરોની જેલમુક્તિ કરી હતી. 11 બળાત્કારીઓની જેલમુક્તિ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આની વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી બળાત્કારીઓના સમર્થનમાં કૂદી પડ્યા હતા. 


પ્રહલાદ જોશીએ શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે કંઈ ખોટું નથી થયું. કાયદા મુજબ દોષિતોને જેલમુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે દોષિતોએ જેલમાં ઘણો સમય પસાર કર્યો હતો. આ એક કાયદાની પ્રક્રિયા છે. કાયદા મુજબ તેમને જેલમુક્ત કરવામાં આવ્યા છે. તમામ દોષિતોનો વ્યવહાર સારો હતો માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી હતી. 


સુપ્રીમ કોર્ટે અરજી પર શું પ્રતિક્રિયા આપી?

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સમગ્ર મામલે આગામી 29 નવેમ્બરના સુનાવણી કરવામાં આવશે. 2002માં બિલકિસ બાનો પર 11 લોકો દ્વારા સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. અરજીકરનાર લોકોને ગુજરાત સરકારના એફિડેવિટ પર જવાબ આપવા માટે સમય આપ્યો છે. 


દેશભરના આક્રોષ વચ્ચે ગુજરાત સરકારે 15 ઓગસ્ટ 2022ના રોજ બિલકિસ બાનોના બળાત્કારીઓને જેલમુક્ત કરી દીધા હતા. 11 બળાત્કારીઓ જેલમુક્ત થયા બાદ વીરોની જેમ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બળાત્કારીઓના પરિવારજનોએ મીઠાઈ ખવડાવી તેમનું સ્વાગત કર્યું હતું. 

 



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.