બિલકિસ બાનોના બળાત્કારીઓના સમર્થનમાં આવ્યા કેન્દ્રીય મંત્રી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 17:21:37

ગુજરાતના બિલકિસ બાનોના સામુહિક બળાત્કારના મામલામાં ગુજરાત સરકારે 11 હવસખોરોની જેલમુક્તિ કરી હતી. 11 બળાત્કારીઓની જેલમુક્તિ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આની વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી બળાત્કારીઓના સમર્થનમાં કૂદી પડ્યા હતા. 


પ્રહલાદ જોશીએ શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે કંઈ ખોટું નથી થયું. કાયદા મુજબ દોષિતોને જેલમુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે દોષિતોએ જેલમાં ઘણો સમય પસાર કર્યો હતો. આ એક કાયદાની પ્રક્રિયા છે. કાયદા મુજબ તેમને જેલમુક્ત કરવામાં આવ્યા છે. તમામ દોષિતોનો વ્યવહાર સારો હતો માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી હતી. 


સુપ્રીમ કોર્ટે અરજી પર શું પ્રતિક્રિયા આપી?

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સમગ્ર મામલે આગામી 29 નવેમ્બરના સુનાવણી કરવામાં આવશે. 2002માં બિલકિસ બાનો પર 11 લોકો દ્વારા સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. અરજીકરનાર લોકોને ગુજરાત સરકારના એફિડેવિટ પર જવાબ આપવા માટે સમય આપ્યો છે. 


દેશભરના આક્રોષ વચ્ચે ગુજરાત સરકારે 15 ઓગસ્ટ 2022ના રોજ બિલકિસ બાનોના બળાત્કારીઓને જેલમુક્ત કરી દીધા હતા. 11 બળાત્કારીઓ જેલમુક્ત થયા બાદ વીરોની જેમ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બળાત્કારીઓના પરિવારજનોએ મીઠાઈ ખવડાવી તેમનું સ્વાગત કર્યું હતું. 

 



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.