બિલકિસ બાનોના બળાત્કારીઓના સમર્થનમાં આવ્યા કેન્દ્રીય મંત્રી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 17:21:37

ગુજરાતના બિલકિસ બાનોના સામુહિક બળાત્કારના મામલામાં ગુજરાત સરકારે 11 હવસખોરોની જેલમુક્તિ કરી હતી. 11 બળાત્કારીઓની જેલમુક્તિ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આની વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી બળાત્કારીઓના સમર્થનમાં કૂદી પડ્યા હતા. 


પ્રહલાદ જોશીએ શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે કંઈ ખોટું નથી થયું. કાયદા મુજબ દોષિતોને જેલમુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે દોષિતોએ જેલમાં ઘણો સમય પસાર કર્યો હતો. આ એક કાયદાની પ્રક્રિયા છે. કાયદા મુજબ તેમને જેલમુક્ત કરવામાં આવ્યા છે. તમામ દોષિતોનો વ્યવહાર સારો હતો માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી હતી. 


સુપ્રીમ કોર્ટે અરજી પર શું પ્રતિક્રિયા આપી?

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સમગ્ર મામલે આગામી 29 નવેમ્બરના સુનાવણી કરવામાં આવશે. 2002માં બિલકિસ બાનો પર 11 લોકો દ્વારા સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. અરજીકરનાર લોકોને ગુજરાત સરકારના એફિડેવિટ પર જવાબ આપવા માટે સમય આપ્યો છે. 


દેશભરના આક્રોષ વચ્ચે ગુજરાત સરકારે 15 ઓગસ્ટ 2022ના રોજ બિલકિસ બાનોના બળાત્કારીઓને જેલમુક્ત કરી દીધા હતા. 11 બળાત્કારીઓ જેલમુક્ત થયા બાદ વીરોની જેમ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બળાત્કારીઓના પરિવારજનોએ મીઠાઈ ખવડાવી તેમનું સ્વાગત કર્યું હતું. 

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.