બિહારના બેગુસરાયમાં અમેરિકા જેવો ગોળીબાર, 11 લોકોને ગોળી મારી, 1નું મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 11:25:58

બિહારના બેગુસરાઈમાં ગઈકાલે અંધાધૂંધ ગોળીબાર થયો હતો. અજાણ્યા યુવકોએ ટૂવ્હીલ પર આવીને અચાનક જ 11 લોકો પર ગોળીઓનો વરસાદ કર્યો હતો. જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક યુવકનું મોત થઈ ગયું હતું. બિહાર પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરવાના આદેશ આપી દીધા છે. 



CCTVમાં બાઈકર કેદ થયા 

પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે સાંજે બિહારના બેગુસરાઈ જિલ્લામાં રસ્તાઓ પર બે બાઇક પર આવેલા હુમલાખોરોએ લોકો પર ગોળીબાર કર્યા પછી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને બેગુસરાઈ જિલ્લાના વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા.  ગોળીબાર અનેક જગ્યાઓ પર થયો હતો પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે ગોળીબાર થયા તે પોલીસ સ્ટેશનની બહારના વિસ્તારમાં જ થયા હતા. તમામ ઘટનાની ગંભીરતનાને ધ્યાનમાં લઈ બેગુસરાય પોલીસે જિલ્લાની સરહદો બંધ કરી દીધી હતી અને શૂટરોને પકડવા માટે શોધખોળ શરૂ કરી દીધી છે.


CCTVમાં બાઈક ચાલકો કેદ થયા


મૃતકની ઓળખ ચંદન કુમાર તરીકે થઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે મલ્લેહપુરમાં બે લોકોને ગોળી મારવામાં આવી હતી, બરૌની થર્મલ પાવર સ્ટેશન ચોક પાસે ત્રણ લોકોને ગોળી મારવામાં આવી હતી, બેને બરૌની શહેરમાં, બેને તિહરા બ્લોકમાં અને બેને બછવારા બ્લોકમાં ગોળી વાગી હતી.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.