બિહારના બેગુસરાયમાં અમેરિકા જેવો ગોળીબાર, 11 લોકોને ગોળી મારી, 1નું મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 11:25:58

બિહારના બેગુસરાઈમાં ગઈકાલે અંધાધૂંધ ગોળીબાર થયો હતો. અજાણ્યા યુવકોએ ટૂવ્હીલ પર આવીને અચાનક જ 11 લોકો પર ગોળીઓનો વરસાદ કર્યો હતો. જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક યુવકનું મોત થઈ ગયું હતું. બિહાર પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરવાના આદેશ આપી દીધા છે. 



CCTVમાં બાઈકર કેદ થયા 

પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે સાંજે બિહારના બેગુસરાઈ જિલ્લામાં રસ્તાઓ પર બે બાઇક પર આવેલા હુમલાખોરોએ લોકો પર ગોળીબાર કર્યા પછી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને બેગુસરાઈ જિલ્લાના વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા.  ગોળીબાર અનેક જગ્યાઓ પર થયો હતો પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે ગોળીબાર થયા તે પોલીસ સ્ટેશનની બહારના વિસ્તારમાં જ થયા હતા. તમામ ઘટનાની ગંભીરતનાને ધ્યાનમાં લઈ બેગુસરાય પોલીસે જિલ્લાની સરહદો બંધ કરી દીધી હતી અને શૂટરોને પકડવા માટે શોધખોળ શરૂ કરી દીધી છે.


CCTVમાં બાઈક ચાલકો કેદ થયા


મૃતકની ઓળખ ચંદન કુમાર તરીકે થઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે મલ્લેહપુરમાં બે લોકોને ગોળી મારવામાં આવી હતી, બરૌની થર્મલ પાવર સ્ટેશન ચોક પાસે ત્રણ લોકોને ગોળી મારવામાં આવી હતી, બેને બરૌની શહેરમાં, બેને તિહરા બ્લોકમાં અને બેને બછવારા બ્લોકમાં ગોળી વાગી હતી.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.