વડોદરા કરૂણાંતિકા : જો મૃતક બાળક બોલી શકતું તો રાજ્યના મુખ્યમંત્રીને એ પ્રશ્ન ચોક્કસ પુછતું કે દાદા....


  • Published By :
  • Published Date : 2024-01-19 15:10:06

અમે માનીએ છીએ કે કોઈપણ રાજ્યના મુખિયા સામે આ રીતે નાગરીક કરગરતો હોય તો એમને ના જ ગમ્યું હોય, અમે એ પણ જાણીએ છીએ કે કોઈ રાજ્યનો સીએમ એવું નથી ઈચ્છતો કે રાજ્યના બાળકો આવી રીતે તડપી તડપીને મરે, અમે એ પણ જાણીએ છીએ કે કાળજુ તો મુખ્યમંત્રીનું પણ કંપ્યું હશે કેમ કે એ પણ બાપ છે. પણ અમે એક વાત નથી જાણતા કે સતત આવી દુર્ઘટનાઓ પછી પણ રાજ્યના સત્તાધીશોની સંવેદનાઓ વહ્યે જાય પણ મક્કમતાથી નિર્ણયો ના લેવાય તો આ બધી જ વાતોનું શું કરી લઈશું? 

માત્ર હપ્તાના જોર પર ચાલતી એક્ટિવી બંધ કરાવો

સંવેદના તો અમે પણ પ્રકટ કરી શકીએ છીએ, દુ:ખ તો અમે પણ વ્યક્ત કરી શકીએ છીએ, પણ અમારા અને તમારામાં એક મુખ્ય ફરક છે કે તમે શાસનમાં છો, તમારા હાથમાં સત્તા છે અને તમે ધારો તો આ બધું જ રોકી શકો એમ છો. પહેલા બીજા ધોરણના બાળકની લાશ ઘરે આવે, અને બાળકનું શરીર જોઈને થાય કે હજું હમણાં બોલી ઉઠશે મારુ ફુલ, પણ એ નથી બોલતું, નિશ્ચેતન હોય છે. પંખી પીંજરુ છોડીને ઉડી ગયું હોય છે, પણ... જો એ બોલી શકતું તો રાજ્યના મુખ્યમંત્રી એ તમને પ્રશ્ન ચોક્કસ પુછતું કે દાદા...દરેક શહેરમાં મનોરંજનના નામે કોઈ જ પરવાનગી વગર, માત્ર હપ્તાના જોરે ચાલતી આ એક્ટીવીટી બંધ કરાવોને. એ કહેતું તમને કે બોટીંગ કરવાનું છે એવું સાંભળતા જ એ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા, એમને નહોતી સમજ કે 15એ બેસાય કે 30એ, એમને નહોતી ખબર કે સેફ્ટી જેકેટનો મતલબ શું થાય છે. એમને નહોતી ખબર કે એમનાં જીવ આટલા સસ્તા હશે. કે એમનાં મૃત્યું પછી તરત જ, ક્ષણનો વિલંબ કર્યા વગર મુખ્યમંત્રીથી લઈ પ્રધાનમંત્રીના કાર્યાલયો સહાયના નામે કિંમત કરી નાખશે, દરેક લોકો કહેશે કે જવાબદારોને છોડીશું નહીં, પણ... આ બેજવાબદાર લોકોને આવી જવાબદારી અપાય શું કામ છે એનો જવાબ આપશો? 


શું કામ બાળકોનો સોદો કરી દેવાય છે? 

વડોદરાની કરુણાંતિકામાં સામે આવેલા દરેક તથ્યો સરકારને પ્રશ્ન કરે છે. પુછે છે કે થોડા રૂપિયાઓ માટે શું કામ બાળકોના જીવનો સોદો કરી દેવાય છે. હિન્દીમાં એક વાક્ય છે... જનાઝા જીતના છોટા હોતા હૈ, કંધોં પર ઉતના હી ભારી લગતા હૈ... નાના બાળકોનું મૃત્યુ અભિશાપ જેવું લાગે છે. આપણા પૂર્વજોએ લખ્યું હતુ ઈન્સાફ કી ડગર પે, બચ્ચોં દીખાઓ ચલ કે, યે દેશ હૈ તુમ્હારા, નેતા તુમ્હી હો કલ કે. પણ આ લોકો શું શીખીને મોટા થશે? જેણે ઈન્સાફનો રસ્તો બનાવવાનો હતો આજે એ જ લોકો ઈન્સાફ માટે કગરે છે. જો તમે ઈચ્છો છો કે આ બંધ થાય તો હપ્તારાજ બંધ કરવું પડશે.


પ્રશ્નો અંતહિન છે પરંતુ જવાબો કદાચ અનંત હશે

નીતિ - નિયમોથી ઉપર કોઈના પણ માટે કશું જ ના હોવું જોઈએ. ખાલી આ દુર્ઘટનામાં સજાની નહીં, આવનારા સમયમાં કોઈ જ આવી દુર્ઘટના નહીં એની ખાતરી અમારે જોઈએ છે. અમારે ખાતરી જોઈએ છે કે બાળકોને નાગરીક બનાવવા માટે સરકાર પણ મદદ કરશે અને બાઈકના હેલ્મેટથી માંડીને નદીમાં લાઈફ જેકેટનું મહત્વ સમજાવશે. છેલ્લી ખાતરી આ દેશના ચાણક્યો પાસેથી જોઈએ છે, જે જરૂર પડે પોતાને માથી વિશેષ કહી દે છે, પણ બાળકોના જીવન માટે બોલવાનું આવે છે ત્યારે ચૂપ થઈ જાય છે. એ શાળાને દોષી કેમ ના માનવી જેણે બાળકોની સુરક્ષાની કોઈ જ ચિંતા કર્યા વગર આ પીકનીક કરાવી. પ્રશ્નો અંતહિન છે, જવાબો પણ કદાચ અનંત હશે, આ માયાજાળમાં નથી પડવું. આ બાળકોને ન્યાય તો જ કહેવાશે જો ફરી આવી દુર્ઘટના નહીં થાય. તક્ષશીલા અને મોરબીના લોકોને તો ન્યાય ના આપી શક્યા. આમને મળે ઈન્સાફ એવી અપેક્ષા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.