Delhiનો વીડિયો વાઈરલ થયો જેના કારણે વિવાદ થયો,રાજનીતિ ગરમાઈ|ખાખી શું કામ ખુન્નસ રાખે છે એ પ્રશ્ન થયો...


  • Published By :
  • Published Date : 2024-03-09 15:50:28

ગઈકાલથી એક વીડિયો સામે આવ્યો હતો જેને લઈ વિવાદ છેડાઈ ગયો છે. દિલ્હીના ઈન્દ્રલોક વિસ્તારનો આ વીડિયો છે, અને શરૂઆતમાં જોઈને લાગ્યું હતુ કે જૂનો અથવા ફેક આ વીડિયો હોઈ શકે છે, પણ દિલ્હી પોલીસના અધિકારીઓએ આ વાત અને વીડિયોનો સ્વિકાર કર્યો છે કે આ વાત દિલ્હીની જ છે, અને શુક્રવાર એટલે કે 8મી માર્ચની છે, રસ્તાની વચ્ચોવચ્ચ કેટલાક લોકો નમાઝ પઢી રહ્યા હતા, દિલ્હી શું કોઈ પણ જાહેર માર્ગો પર આ રીતે નમાઝ પઢવી એ અપરાધ છે, પણ અપરાધને રોકવાનો રસ્તો સામે અપરાધ અને એ પણ જેણે ખાખી પહેરી હોય એ વ્યક્તિ અપનાવે એ તો એનાથી પણ ભયાનક છે, ઘટનાના બંને પક્ષ પર વાત કરવી છે.

વીડિયો સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા!

શુક્રવારનો દિવસ હતો, મસ્જીદમાં ભીડ થઈ ગઈ તો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને જાહેર માર્ગમાં વચ્ચોવચ નમાઝ કરવા લાગ્યા, આના કારણે ટ્રાફીક જામ થયો, પોલીસ ત્યાં આવી, એમની જવાબદારી બનતી હતી ટ્રાફીક ક્લીઅર કરાવે અને જાહેર માર્ગ પર સજદા કરતા માણસોને રોકે, પણ પોલીસે જે કર્યું એ પણ ભયાનક હતુ, પોલીસ કર્મચારીએ સીધા જ નમાઝ કરતા માણસને પાછળથી લાત મારી, આ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ થયો, વાતાવરણ તંગ બન્યુ, ભીડ એકઠી થઈ, પોલીસને વધારાના ફોર્સની મદદ લેવી પડી અને વિવાદના અંતે દિલ્હી પોલીસે જે કર્મચારીએ આ વર્તન કર્યુ હતુ એને સસ્પેન્ડ કર્યો. 




રસ્તા પર જો કોઈ નમાઝ પડે છે તો પોલીસની જવાબદારી બને છે કે..  

જાહેર માર્ગ પર નમાઝ માટે બેસી જવું એ ખાલી અયોગ્ય નથી, કાનૂની રીતે પણ અપરાધ બને છે, અને પોલીસની જવાબદારી બને છે કે આવા લોકોને રોકીને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે, પણ પોલીસ જે રીતે લાત મારે છે એ જોતા એટલું તો સમજાય છે કે આ રીતે નમાઝ પઢતા લોકોને જોઈને જ પોલીસનો કર્મચારી પોતાનું કર્તવ્ય અને કાયદો યાદ કરવાની જગ્યાએ ખુન્નસથી ત્યાં ગયો અને મારવા લાગ્યો. કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાના ઈશ્વરને યાદ કરતો હોય ત્યારે બીજુ કોઈ માણસ આવીને એને પાછળથી લાત મારે એ અશોભનિય તો છે જ ઉપરથી વિવાદીત પણ છે. ડીસીપી નોર્થ મનોજ મીણાએ કહ્યું કે વીડિયોના આધારે એક્શન લેવાઈ ગયા છે, અને પરિસ્થિતિ હવે સામાન્ય છે, સ્થાનિકોની સાથે મળીને વિસ્તારની કાનૂન વ્યવસ્થા સાચવીને રાખીશું.


કાનૂનનું જે પાલન કરે છે તેમનામાં પણ ભરી છે ધાર્મિક નફરત!

પ્રશ્ન એ પણ છે કે એ જ સ્થાનિકોની સાથે મળીને એમને જાહેર માર્ગ પર નમાઝ કરતા રોકી શકાયા હતા, પણ કમનસીબે આપણે ત્યાં માત્ર સામાન્ય માણસમાં જ નહીં, કાનૂનનું જેણે પાલન કરવાનું છે એવા લોકોમાં પણ ધાર્મીક નફરત અને ખુન્નસ ભરેલી છે, આ ખોટું છે એવું ખાલી દેશના સામાન્ય નાગરીકોનું જ નહીં પણ પોલીસનું પણ માનવું છે અને એટલે જ એમની સામે પગલા લેવાયા છે, આ જ વિષય પર દેશભરમાંથી વિપક્ષના નેતાઓએ આકરી પ્રતિક્રીયાઓ આપી હતી.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.