અમે બોર્ડર પર છીએ, તમે શાંતિથી દિવાળી મનાવો - સરહદની રક્ષા કરતા દેશના જવાન


  • Published By :
  • Published Date : 2022-10-24 08:56:09

સમગ્ર દેશવાસીઓ દિવાળીનો તહેવાર મનાવી રહ્યા છે. આપણો દેશ સુરક્ષિત છે તેની પાછળનું કારણ છે દેશના સરહદની રક્ષા કરતા આપણા સૈનિકો. દેશની સીમા પર દેશના જવાનો ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યા છે જેને કારણે નિશ્ચિત પણે આપણા તહેવારની ઉજવણી કરી શકીયે છીએ. ત્યારે ભારતીય જવાનોએ જમ્મુમાં LoC પર દિવાળી મનાવી છે. 

અમે બોર્ડર પર ઉભા છીએ, તમે શાંતિથી દિવાળી મનાવો - ભારતીય આર્મી 

દેશની સુરક્ષા કરવા આર્મીના જવાનો પોતાના ઘરથી તેમજ પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે. પરિવારથી દૂર રહી તેઓ તહેવારોની ઉજવણી કરતા હોય છે. સેનાના જવાનોએ દિવાળીની ઉજવણી કરતા સંદેશો આપ્યો કે અમે બોર્ડર પર ઉભા છીએ, તમે શાંતિથી દિવાળી મનાવો. દીવા  પ્રગટાવી તેમજ ફટાકડા ફોડી આર્મીના જવાનોએ દિવાળીની ઉજવણી કરી હતી.

  

વડાપ્રધાન મોદી સરહદ પર સૈનિકો સાથે કરશે દિવાળીની ઉજવણી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિવાળીનો તહેવાર આર્મી જવાનો સાથે મનાવતા આવ્યા છે. જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેઓ દર વર્ષે આર્મીની સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે. અલગ અલગ સરહદો પર જઈ તેઓ દિવાળીનો પર્વ મનાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ સરહદ પર પોતાની દિવાળી મનાવાના છે.           



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .