અમે બોર્ડર પર છીએ, તમે શાંતિથી દિવાળી મનાવો - સરહદની રક્ષા કરતા દેશના જવાન


  • Published By :
  • Published Date : 2022-10-24 08:56:09

સમગ્ર દેશવાસીઓ દિવાળીનો તહેવાર મનાવી રહ્યા છે. આપણો દેશ સુરક્ષિત છે તેની પાછળનું કારણ છે દેશના સરહદની રક્ષા કરતા આપણા સૈનિકો. દેશની સીમા પર દેશના જવાનો ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યા છે જેને કારણે નિશ્ચિત પણે આપણા તહેવારની ઉજવણી કરી શકીયે છીએ. ત્યારે ભારતીય જવાનોએ જમ્મુમાં LoC પર દિવાળી મનાવી છે. 

અમે બોર્ડર પર ઉભા છીએ, તમે શાંતિથી દિવાળી મનાવો - ભારતીય આર્મી 

દેશની સુરક્ષા કરવા આર્મીના જવાનો પોતાના ઘરથી તેમજ પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે. પરિવારથી દૂર રહી તેઓ તહેવારોની ઉજવણી કરતા હોય છે. સેનાના જવાનોએ દિવાળીની ઉજવણી કરતા સંદેશો આપ્યો કે અમે બોર્ડર પર ઉભા છીએ, તમે શાંતિથી દિવાળી મનાવો. દીવા  પ્રગટાવી તેમજ ફટાકડા ફોડી આર્મીના જવાનોએ દિવાળીની ઉજવણી કરી હતી.

  

વડાપ્રધાન મોદી સરહદ પર સૈનિકો સાથે કરશે દિવાળીની ઉજવણી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિવાળીનો તહેવાર આર્મી જવાનો સાથે મનાવતા આવ્યા છે. જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેઓ દર વર્ષે આર્મીની સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે. અલગ અલગ સરહદો પર જઈ તેઓ દિવાળીનો પર્વ મનાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ સરહદ પર પોતાની દિવાળી મનાવાના છે.           



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.