Chhe ne Jordar Vaat | ચમકતા જીવડાઓમાં કુદરતે પ્રકાશ કેવી રીતે ભર્યો? બાયોલ્યુમિનસન્સ શું હોય?


  • Published By :
  • Published Date : 2023-05-23 23:08:47

તમે જ્યારે ધાબા પર હોવ ત્યારે ઘણીવાર જોયું હશે કે ઘોર અંધકાર રાત હોય, ચારે બાજુ બસ અંધારુ જ અંધારું હોય અને અચાનક એક નાનું જીવ ઉડતું ઉડતું આવે છે અને તમારી આસપાસ ફરવા લાગે છે. આવું કેમ થાય છે? આપણે કુત્રિમ લાઈટ તો રોજ જોઈએ છીએ જે માનવે બનાવી પણ આ તો કુદરતી લાઈટ છે જે સાક્ષાત કુદરતે તેમને આપી છે. દુનિયાના ઘણા જીવોને કુદરતે ભેટમાં લાઈટ આપી છે. જીવો અંધકારમાં આવે છે અને ચમકવા લાગે છે. એ પછી હવામાં હોય કે દરિયામાં પણ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ જીવોમાં લાઈટ કોણે ભરી? એમના શરીરમાં શું થાય છે કે તે જગમગે છે? ચાલો જાણીએ....

कहां चले गए रात में जगमगाने वाले जुगनू |  Where-did-the-glowing-firefly-in-the-night

વૈજ્ઞાનિક ભાષામાં સમજીએ તો જીવજંતુઓમાં જોવા મળતા આ પ્રકાશને બાયોલ્યુમિનસન્સ કહેવાય. આ પ્રકાશ જીવજંતુઓના શરીરમાં થતા રાસાયણિક પ્રક્રિયાઓના કારણે થાય છે. આકાશમાં પેલા લાઈટવાળા જીવડાં જોવા મળે છે તેની તુલનામાં સમુદ્રમાં આવા જબકતા જીવ વધારે જોવા મળે છે. સમુદ્રમાં જ્યારે કંઈક બદલાવો થાય છે ત્યારે આ જીવ વધારે જોવા મળે છે. જ્યારે જહાજ સાથે મોજું અથડાય છે કે દરિયા કિનારે મોજું રેતી સાથે મળે છે ત્યારે આ ક્રિયા થતી જોવા મળે છે. જ્યારે આવું થાય છે ત્યારે તે જગ્યા પર રહેલા જીવજંતુ પ્રકાશ ફેંકવા માંડે છે. શા માટે આવું થાય છે તેની પાછળ વૈજ્ઞાનિકોનો તર્ક માનીએ તો બે રીતે આ જીવ આવું કરતા હોય છે. કાં તો પોતાના દુશ્મનને ભગાડવા માટે અથવા તો પોતાના મિત્રને આકર્ષવા માટે. એંગ્લર માછલીઓ પાસે એક ચમચા જેવો ભાગ હોય છે જે ચમકતો રહે છે. આ ચમકથી તે પોતાના શિકારને મોઢા પાસે લઈ જાય છે. જેવું શિકાર એંગ્લર માછલીના મોઢા પાસે પહોંચે છે તો તે જીવના રામ રમી જાય છે. જો કે તેની બીજી બાજુ અમુક જીંગા પોતાના શરીરમાંથી શાહી જેવો ચમકતો પદાર્થ કાઢતા હોય છે. આ ચમકના કારણે શિકારી ડોફરાઈ જાય છે અને જીંગા બચી જતા હોય છે. આ ચમકના કારણે તે પોતાને શિકાર થતા બચાવી શકે છે. નાના-નાના જીવડાઓ પણ આવી રીતે શરીરમાંથી પ્રકાશ પેદા કરી શકે છે. જો કે તેમનું આવું કરવાનો ઉદ્દેશ્ય શિકાર થતો બચવા માટે જ નથી હોતો. તેનો ઉપયોગ મિત્રોને બોલાવવા માટે હોય છે. 

Bioluminescence Fact Sheet - Deep Ocean Education Project

જંતુઓના શરીર કેમ લાઈટ ફેંકે છે?

જીવ જંતુઓના શરીરમાં થતા રાષાયણીક બદલાવોના કારણે આ ઘટના સામે આવતી હોય છે. જેના કારણે પેદા થાય છે પ્રકાશ ઊર્જા. શરીરને પ્રકાશ બનાવવા માટે કે પ્રકાશ પેદા કરવા માટે સૌથી પહેલી વસ્તુની જરૂર હોય છે તે લુસિફેરિન હોય છે. શરીરમાંથી આ કેમિકલ પેદા થાય છે ત્યારે તે પ્રાણવાયુ એટલે કે ઓક્સિજનના સંપર્કમાં આવે છે અને પરિણામે મળે છે અજવાળું. ઘણા બધા જીવજંતુ પ્રકાશ પેદા કરવા માટે લુસિફેરેઝ નામનું ઉત્ષેચક પણ પેદા કરતા હોય. ઉત્ષેચક એટલે કોઈ પણ પ્રક્રિયાને ઝડપી બનાવતી વસ્તુ. અહીં વાત લાઈટની થઈ રહી છે તો એવું માની શકાય કે આ પ્રક્રિયાની જે ઝડપ વધારે છે તે લુસીફેરેઝ હોય છે. બાયોલુમિનસન્સ જંતુઓ કે પ્રાણીઓ પોતાના શરીરની જરૂરિયાત મુજબ પ્રકાશ ઊર્જા પેદા કરે છે. તેનું શરીર અને મગજ બંને નિયંત્રિત કરે છે કે પ્રકાશ કેટલો હોવો જોઈએ. જ્યારે જંતુને બચવાનું હોય, કોઈનો શિકાર કરવો હોય અને કોઈને આકર્ષવાનું હોય ત્યારે જરૂરિયાત મુજબ આ બધા કેસમાં શરીરમાંથી અલગ-અલગ પ્રમાણમાં પ્રકાશ પેદા થતો હોય છે.

What is bioluminescence and where can you find it in nature? – Urbz®

કયા જીવમાં સ્વયંપ્રકાશીત થવાનો ગુણ હોય છે?

ઘણા બધા સમુદ્રી જીવ શરીરની અંદર લાઈટ પેદા કરી શકે છે. હવામાં ઉડતા જીવડા એટલે કે જુગનુ સિવાય, બેક્ટેરિયા, એલ્ગી એટલે કે ફુગ, જેલિફિશ, જીંગા, સમુદ્રી જીવડા, સમુદ્રી તારા, માછલી અને સમુદ્રી સાપ લાઈટ પેદા કરે છે. આપણી દુનિયાની લગભગ 1500થી પણ વધુ માછલીઓમાં પ્રકાશ પેદા કરવાની ક્ષમતા જોવા મળી છે. ઘણીવાર તો એવું પણ જોવા મળ્યું છે કે અમુક જીવ બીજા જીવની મદદ લઈને પોતે લાઈટ પેદા કરતું હોય છે. ઉદાહરણ તરીકે એંગ્લર માછલી પાસે પોતાની કોઈ લાઈટ નથી હોતી. તે પોતાની ઉપર ચમચી જેવો ભાગ છે ત્યાં ચમકતા બેક્ટેરિયા ભરી દે છે. જે ચમકે રાખે છે અને માછલી પોતાના ખોરાકને કોરી ખાય છે. આપણને એવું લાગે છે કે માછલી ચમકી રહી છે. 

Scientists Use Tobacco Plants to Research Their Glowing ...

તમને એક વૈજ્ઞાનિકનો કારનામો પણ કહેવો છે જે વાંચીને તમને પણ થશે કે કેવા-કેવા અખતરા આ દુનિયામાં થયા છે. એક વૈજ્ઞાનિકે લાઈટ થાય તેવો જનીન એટલે કે જીન એક પ્રાણીમાંથી કાઢ્યો અને તેને તમાકુના છોડમાં ફીટ કરી દીધો. વિશ્વાસ નહીં આવે પણ એ તમાકુનો છોડ ઝગમગવા લાગ્યો હતો કારણ કે તેમાં બાયોલ્યુમિનસન્સવાળા જીવનો જીન(Gene) હતો. ટૂંકમાં વાત કરીએ તો સૃષ્ટિએ જીવવા માટે  માણસને બુદ્ધિ આપી છે એમ આવા જંતુઓને પોતાનું રક્ષણ કરવા માટે પ્રકાશ આપ્યો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.