યુવાઓને લઈ WHOએ આપી ચેતવણી, લગભગ 1.8 બિલિયન પુખ્ત વયના લોકોને પૂરતી શારીરિક પ્રવૃત્તિ ન કરવાથી રોગ થવાનું જોખમ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-27 13:21:07

એક સમય હતો જ્યારે શારીરિક સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવામાં આવતું હતું.. પૂરતા પ્રમાણમાં લોકો કસરત કરતા હતા.. એવું માનવામાં આવે છે કે કસરત કરવાથી દિવસ ભર સ્ફૂરતી રહે છે અને active ફીલ થાય છે. પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ આપણું જીવન બેઠાળું થઈ ગયું.. નિષ્ક્રિય જીવન શૈલીને કારણે નાની ઉંમરે લોકો ગંભીર બિમારીના શિકાર બની રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક રિપોર્ટ પ્રમાણે અંદાજીત 1.8 અબજ પુખ્ત વયના લોકોમાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે, જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, પ્રકાર 2 ડાયાબિટીસ અને અમુક પ્રકારના કેન્સર જેવા રોગો માટે જોખમો વધારે છે. મહિલાઓમાં નિષ્ક્રિયતા વધારે જોવા મળી છે રિપોર્ટ પ્રમાણે.. 

અઠવાડિયા દરમિયાન યુવાનોએ કરવી જોઈએ આટલો ટાઈમ કસરત!

WHOએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે જો આ વલણ ચાલુ રહે છે આગામી સમયમાં પણ ચાલું રહેશે  તો 2030 સુધીમાં નિષ્ક્રિયતાનું સ્તર 35% પણ થઈ જવાનો અંદાજ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુવાનોને ભલામણ કરી છે કે પુખ્ત વયના લોકોમાં જો તમે હળવી કસરત કરો છે તો તે 150 મિનીટ જેટલો સમય કરવી જોઈએ અને જો તમે ભારે કસરત કરો છો તો 75 મિનીટ જેટલો સમય અઠવાડિયા દરમિયાન કાઢવો જોઈએ. 

Physical Exercise કરવાથી થાય છે સ્ફૂર્તીનો અહેસાસ 

પહેલું સુખ તે જાતે નર્યા તેવી કહાવત આપણે ત્યાં કહેવામાં આવે છે. આપણી તબિયત સારી હશે તો જ આપણી પાસે રહેલી વસ્તુઓને માણી શકીશું.. જો તમારૂં સ્વાસ્થ્ય સારૂં નથી તો તમારી આગળ ગમે તેટલા વ્યંજન, તમને ભાવતી વસ્તુ કેમ ના મૂકી હોય તે તમે નહીં ખાઈ શકો.. સાજા રહેવા માટે કસરત કરવી તે શ્રેષ્ઠ ઉપાય છે. Physical Exercise કરવાથી શરીર સારૂં રહે છે... પરંતુ જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી રહી છે તેમ તેમ આપણી જીવનશૈલીમાં પરિવર્તન આવી રહ્યું છે. પહેલા લોકો ચાલતા હતા કસરત કરતા હતા, પરિશ્રમ કરતા હતા જેને કારણે તેમનું સ્વાસ્થ્ય સારૂં રહેતું.. આજે પણ લોકો પરિશ્રમ કરે છે પરંતુ શારિરીક કરતા માનસિક પરિશ્રમ વધારે કરે છે.

નાની ઉંમરના લોકોને થઈ રહી છે ગંભીર બિમારી

એવું કહીએ કે આજકાલ આપણું જીવન બેઠાડું થઈ ગયું છે તો પણ અતિશયોક્તિ નથી.. કસરત નથી કરતા જેને કારણે બિમારીઓ જલ્દી આવી જાય છે. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું કે ડાયાબિટીસ, થાઈરોડ જેવી બિમારીઓ મોટી ઉંમરના લોકોને થાય પરંતુ બદલાતા સમયની સાથે આમાં પરિવર્તન આવ્યું.. 



શારિરીક પ્રવૃતિનો અભાવ..!

લોકોના સ્વાસ્થ્યને લઈ વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં અમારો તાજેતરનો અહેવાલ દર્શાવે છે કે 1.8 અબજ પુખ્ત વયના લોકોમાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે, જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગ જેવા બિનસંચારી રોગો માટે જોખમો વધારે છે. જો તમે નિયમિત કસરત કરો છો કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો નથી કરતા તો શક્ય હોય તેટલી Physical activity કરવાની શરૂઆત કરવી જોઈએ... 



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.