યુવાઓને લઈ WHOએ આપી ચેતવણી, લગભગ 1.8 બિલિયન પુખ્ત વયના લોકોને પૂરતી શારીરિક પ્રવૃત્તિ ન કરવાથી રોગ થવાનું જોખમ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-27 13:21:07

એક સમય હતો જ્યારે શારીરિક સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવામાં આવતું હતું.. પૂરતા પ્રમાણમાં લોકો કસરત કરતા હતા.. એવું માનવામાં આવે છે કે કસરત કરવાથી દિવસ ભર સ્ફૂરતી રહે છે અને active ફીલ થાય છે. પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ આપણું જીવન બેઠાળું થઈ ગયું.. નિષ્ક્રિય જીવન શૈલીને કારણે નાની ઉંમરે લોકો ગંભીર બિમારીના શિકાર બની રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક રિપોર્ટ પ્રમાણે અંદાજીત 1.8 અબજ પુખ્ત વયના લોકોમાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે, જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, પ્રકાર 2 ડાયાબિટીસ અને અમુક પ્રકારના કેન્સર જેવા રોગો માટે જોખમો વધારે છે. મહિલાઓમાં નિષ્ક્રિયતા વધારે જોવા મળી છે રિપોર્ટ પ્રમાણે.. 

અઠવાડિયા દરમિયાન યુવાનોએ કરવી જોઈએ આટલો ટાઈમ કસરત!

WHOએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે જો આ વલણ ચાલુ રહે છે આગામી સમયમાં પણ ચાલું રહેશે  તો 2030 સુધીમાં નિષ્ક્રિયતાનું સ્તર 35% પણ થઈ જવાનો અંદાજ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુવાનોને ભલામણ કરી છે કે પુખ્ત વયના લોકોમાં જો તમે હળવી કસરત કરો છે તો તે 150 મિનીટ જેટલો સમય કરવી જોઈએ અને જો તમે ભારે કસરત કરો છો તો 75 મિનીટ જેટલો સમય અઠવાડિયા દરમિયાન કાઢવો જોઈએ. 

Physical Exercise કરવાથી થાય છે સ્ફૂર્તીનો અહેસાસ 

પહેલું સુખ તે જાતે નર્યા તેવી કહાવત આપણે ત્યાં કહેવામાં આવે છે. આપણી તબિયત સારી હશે તો જ આપણી પાસે રહેલી વસ્તુઓને માણી શકીશું.. જો તમારૂં સ્વાસ્થ્ય સારૂં નથી તો તમારી આગળ ગમે તેટલા વ્યંજન, તમને ભાવતી વસ્તુ કેમ ના મૂકી હોય તે તમે નહીં ખાઈ શકો.. સાજા રહેવા માટે કસરત કરવી તે શ્રેષ્ઠ ઉપાય છે. Physical Exercise કરવાથી શરીર સારૂં રહે છે... પરંતુ જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી રહી છે તેમ તેમ આપણી જીવનશૈલીમાં પરિવર્તન આવી રહ્યું છે. પહેલા લોકો ચાલતા હતા કસરત કરતા હતા, પરિશ્રમ કરતા હતા જેને કારણે તેમનું સ્વાસ્થ્ય સારૂં રહેતું.. આજે પણ લોકો પરિશ્રમ કરે છે પરંતુ શારિરીક કરતા માનસિક પરિશ્રમ વધારે કરે છે.

નાની ઉંમરના લોકોને થઈ રહી છે ગંભીર બિમારી

એવું કહીએ કે આજકાલ આપણું જીવન બેઠાડું થઈ ગયું છે તો પણ અતિશયોક્તિ નથી.. કસરત નથી કરતા જેને કારણે બિમારીઓ જલ્દી આવી જાય છે. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું કે ડાયાબિટીસ, થાઈરોડ જેવી બિમારીઓ મોટી ઉંમરના લોકોને થાય પરંતુ બદલાતા સમયની સાથે આમાં પરિવર્તન આવ્યું.. 



શારિરીક પ્રવૃતિનો અભાવ..!

લોકોના સ્વાસ્થ્યને લઈ વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં અમારો તાજેતરનો અહેવાલ દર્શાવે છે કે 1.8 અબજ પુખ્ત વયના લોકોમાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે, જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગ જેવા બિનસંચારી રોગો માટે જોખમો વધારે છે. જો તમે નિયમિત કસરત કરો છો કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો નથી કરતા તો શક્ય હોય તેટલી Physical activity કરવાની શરૂઆત કરવી જોઈએ... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.