વાયુસેના દિવસ આજે જ શા માટે મનાવવામાં આવે છે? વાંચો જમાવટ સ્પેશિયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 15:48:52

આજના દિવસને દેશભરમાં વાયુ સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાયુ સેનાનું વાક્ય 'નભઃ સ્પૃશં દીપ્તમ્' ભગવત ગીતાના 11મા અધ્યાયથી લેવામાં આવ્યું છે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારતીય વાયુસેના દુનિયાની સૌથી ચોથી મોટી વાયુસેના છે. આવો જમાવટ પર જાણીએ ભારતીય વાયુસેનાની વાતો...


આ સમયે થઈ હતી ભારતીય વાયુસેનાની શરૂઆત...

ભારતીય અને પાકિસ્તાનના વિભાજન પહેલા વાયુસેનાની સ્થાપના થઈ ગઈ હતી. 8 ઓક્ટોબર 1932ના દિવસે વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય વાયુસેનાએ બીજા વિશ્વ યુદ્ધમાં પણ લડાઈ લડી હતી. બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય વાયુસેનાએ ભાગ લીધો આથી ઈંગ્લેન્ડના રાજા જોર્જ છઠ્ઠાએ વાયુસેનાને રોયલ પ્રીફિક્સથી સન્માનિત કર્યા હતા. ભારતીય વાયુસેનાને રોયલ ઈન્ડિયન એરફોર્સ કહેવામાં આવતું હતું. ભારત આઝાદ થયું ત્યાર બાદ વાયુસેનાના નામમાંથી રોયલ શબ્દ હટાવી દેવામાં આવ્યો હતો. 


કેવી છે ભારતીય વાયુસેનાની તાકાત?

ભારતીય વાયુસેના પાસે સુખોઈ-30ના 12, જેગુઆરના 6, મિરાજ-2000ના 3, મિગ-29ના 3, મિગ-21ના 4, લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટના બે અને રાફેલના 2 સ્ક્વાડ્રન છે. આમ ભારતીય સેના પાસે કુલ 42 ફાઈટર સ્વાડ્રનની તાકાત છે.


આવો આપણા એરક્રાફ્ટ વીશે જાણીએ...


ભારતીય વાયુસેનાની શાન છે રાફેલ      


ભારતીય વાયુસેના પાસે હાલ 36 રાફેલ વિમાન છે. આ રાફેલ વિમાન ફ્રાંસ પાસેથી ખરીદવામાં આવ્યા હતા. રાફેલ વિમાન ગમે તેવા દુશ્મનો હંફાવવા માટે કાફી છે. રાફેલ વિમાન હવાથી હવામાં અને હવાથી જમીન પર હુમલો કરી શકે છે. 


મિગ-21 


1960ના દશકમાં વાયુસેનામાં મિગ-21 વિમાનને ભારતીય વાયુસેનામાં જોડવામાં આવ્યું હતું. ભારતના તમામ યુદ્ધમાં દેશની રક્ષા માટે મિગ-21માં ઘણું મોટું યોગદાન રહ્યું છે. આ એ જ વિમાન છે જે વિમાનથી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાનના એફ-16 લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું. વાયુસેના પાસે હાલ મિગ-21ના ત્રણ સ્ક્વોડ્રન છે. 2015માં મિગ-21ને સેવા નિવૃત કરી દેવામાં આવશે. 


સુખોઈ-30 MKI છે વાયુસેનાનું બેકબોન


સુખોઈ-30 MKIને વાયુસેનાનું બેકબોન કહેવામાં આવે છે. વાયુસેના પાસે અઢી સોથી વધુ સુખોઈ-30 MKIના એરક્રાફ્ટ છે. રુસી ટેક્નોલોજીથી બનાવેલા આ વિમાન હવામાનની કોઈ પણ સ્થિતિમાં હુમલો કરવા માટે કટીબદ્ધ છે. આ વિમાનનું નિર્માણ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને રૂસે સાથે મળીને કર્યું છે. સુખોઈ-30 MKI બ્રહ્મોસ મિસાઈલ ફાયર કરવા માટે પણ સક્ષમ છે. 


મિરાજ-2000 


ફ્રાંસની દસોલ્ટ કંપનીએ મિરાજ-2000 વિમાન બનાવ્યા છે જે ભારતીય વાયુસેનામાં ઉપયોગમાં લેવાય છે. મિરાજ-2000એ કારગીલ યુદ્ધથી લઈ બાલાકોટ એરસ્ટ્રાઈક સુધી બખૂબી સેવા આપી છે. વર્ષ 1980ના સમયમાં મિરાજ એરક્રાફ્ટને ભારતીય વાયુસેનામાં જોડવામાં આવ્યું હતું.


મિગ-29 


રશિયાની મિકોયાંગ કંપનીએ મિગ-29 વિમાન બનાવ્યા છે. ભારતીય વાયુસેનામાં 70થી વધુ મિગ-29 વિમાન છે. ભારતીય વાયુસેના અને નૌસેના મિગ-29 વિમાનનો ઉપયોગ કરે છે. 




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.