વાયુસેના દિવસ આજે જ શા માટે મનાવવામાં આવે છે? વાંચો જમાવટ સ્પેશિયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 15:48:52

આજના દિવસને દેશભરમાં વાયુ સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાયુ સેનાનું વાક્ય 'નભઃ સ્પૃશં દીપ્તમ્' ભગવત ગીતાના 11મા અધ્યાયથી લેવામાં આવ્યું છે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારતીય વાયુસેના દુનિયાની સૌથી ચોથી મોટી વાયુસેના છે. આવો જમાવટ પર જાણીએ ભારતીય વાયુસેનાની વાતો...


આ સમયે થઈ હતી ભારતીય વાયુસેનાની શરૂઆત...

ભારતીય અને પાકિસ્તાનના વિભાજન પહેલા વાયુસેનાની સ્થાપના થઈ ગઈ હતી. 8 ઓક્ટોબર 1932ના દિવસે વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય વાયુસેનાએ બીજા વિશ્વ યુદ્ધમાં પણ લડાઈ લડી હતી. બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય વાયુસેનાએ ભાગ લીધો આથી ઈંગ્લેન્ડના રાજા જોર્જ છઠ્ઠાએ વાયુસેનાને રોયલ પ્રીફિક્સથી સન્માનિત કર્યા હતા. ભારતીય વાયુસેનાને રોયલ ઈન્ડિયન એરફોર્સ કહેવામાં આવતું હતું. ભારત આઝાદ થયું ત્યાર બાદ વાયુસેનાના નામમાંથી રોયલ શબ્દ હટાવી દેવામાં આવ્યો હતો. 


કેવી છે ભારતીય વાયુસેનાની તાકાત?

ભારતીય વાયુસેના પાસે સુખોઈ-30ના 12, જેગુઆરના 6, મિરાજ-2000ના 3, મિગ-29ના 3, મિગ-21ના 4, લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટના બે અને રાફેલના 2 સ્ક્વાડ્રન છે. આમ ભારતીય સેના પાસે કુલ 42 ફાઈટર સ્વાડ્રનની તાકાત છે.


આવો આપણા એરક્રાફ્ટ વીશે જાણીએ...


ભારતીય વાયુસેનાની શાન છે રાફેલ      


ભારતીય વાયુસેના પાસે હાલ 36 રાફેલ વિમાન છે. આ રાફેલ વિમાન ફ્રાંસ પાસેથી ખરીદવામાં આવ્યા હતા. રાફેલ વિમાન ગમે તેવા દુશ્મનો હંફાવવા માટે કાફી છે. રાફેલ વિમાન હવાથી હવામાં અને હવાથી જમીન પર હુમલો કરી શકે છે. 


મિગ-21 


1960ના દશકમાં વાયુસેનામાં મિગ-21 વિમાનને ભારતીય વાયુસેનામાં જોડવામાં આવ્યું હતું. ભારતના તમામ યુદ્ધમાં દેશની રક્ષા માટે મિગ-21માં ઘણું મોટું યોગદાન રહ્યું છે. આ એ જ વિમાન છે જે વિમાનથી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાનના એફ-16 લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું. વાયુસેના પાસે હાલ મિગ-21ના ત્રણ સ્ક્વોડ્રન છે. 2015માં મિગ-21ને સેવા નિવૃત કરી દેવામાં આવશે. 


સુખોઈ-30 MKI છે વાયુસેનાનું બેકબોન


સુખોઈ-30 MKIને વાયુસેનાનું બેકબોન કહેવામાં આવે છે. વાયુસેના પાસે અઢી સોથી વધુ સુખોઈ-30 MKIના એરક્રાફ્ટ છે. રુસી ટેક્નોલોજીથી બનાવેલા આ વિમાન હવામાનની કોઈ પણ સ્થિતિમાં હુમલો કરવા માટે કટીબદ્ધ છે. આ વિમાનનું નિર્માણ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને રૂસે સાથે મળીને કર્યું છે. સુખોઈ-30 MKI બ્રહ્મોસ મિસાઈલ ફાયર કરવા માટે પણ સક્ષમ છે. 


મિરાજ-2000 


ફ્રાંસની દસોલ્ટ કંપનીએ મિરાજ-2000 વિમાન બનાવ્યા છે જે ભારતીય વાયુસેનામાં ઉપયોગમાં લેવાય છે. મિરાજ-2000એ કારગીલ યુદ્ધથી લઈ બાલાકોટ એરસ્ટ્રાઈક સુધી બખૂબી સેવા આપી છે. વર્ષ 1980ના સમયમાં મિરાજ એરક્રાફ્ટને ભારતીય વાયુસેનામાં જોડવામાં આવ્યું હતું.


મિગ-29 


રશિયાની મિકોયાંગ કંપનીએ મિગ-29 વિમાન બનાવ્યા છે. ભારતીય વાયુસેનામાં 70થી વધુ મિગ-29 વિમાન છે. ભારતીય વાયુસેના અને નૌસેના મિગ-29 વિમાનનો ઉપયોગ કરે છે. 




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.