વાયુસેના દિવસ આજે જ શા માટે મનાવવામાં આવે છે? વાંચો જમાવટ સ્પેશિયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 15:48:52

આજના દિવસને દેશભરમાં વાયુ સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાયુ સેનાનું વાક્ય 'નભઃ સ્પૃશં દીપ્તમ્' ભગવત ગીતાના 11મા અધ્યાયથી લેવામાં આવ્યું છે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારતીય વાયુસેના દુનિયાની સૌથી ચોથી મોટી વાયુસેના છે. આવો જમાવટ પર જાણીએ ભારતીય વાયુસેનાની વાતો...


આ સમયે થઈ હતી ભારતીય વાયુસેનાની શરૂઆત...

ભારતીય અને પાકિસ્તાનના વિભાજન પહેલા વાયુસેનાની સ્થાપના થઈ ગઈ હતી. 8 ઓક્ટોબર 1932ના દિવસે વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય વાયુસેનાએ બીજા વિશ્વ યુદ્ધમાં પણ લડાઈ લડી હતી. બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય વાયુસેનાએ ભાગ લીધો આથી ઈંગ્લેન્ડના રાજા જોર્જ છઠ્ઠાએ વાયુસેનાને રોયલ પ્રીફિક્સથી સન્માનિત કર્યા હતા. ભારતીય વાયુસેનાને રોયલ ઈન્ડિયન એરફોર્સ કહેવામાં આવતું હતું. ભારત આઝાદ થયું ત્યાર બાદ વાયુસેનાના નામમાંથી રોયલ શબ્દ હટાવી દેવામાં આવ્યો હતો. 


કેવી છે ભારતીય વાયુસેનાની તાકાત?

ભારતીય વાયુસેના પાસે સુખોઈ-30ના 12, જેગુઆરના 6, મિરાજ-2000ના 3, મિગ-29ના 3, મિગ-21ના 4, લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટના બે અને રાફેલના 2 સ્ક્વાડ્રન છે. આમ ભારતીય સેના પાસે કુલ 42 ફાઈટર સ્વાડ્રનની તાકાત છે.


આવો આપણા એરક્રાફ્ટ વીશે જાણીએ...


ભારતીય વાયુસેનાની શાન છે રાફેલ      


ભારતીય વાયુસેના પાસે હાલ 36 રાફેલ વિમાન છે. આ રાફેલ વિમાન ફ્રાંસ પાસેથી ખરીદવામાં આવ્યા હતા. રાફેલ વિમાન ગમે તેવા દુશ્મનો હંફાવવા માટે કાફી છે. રાફેલ વિમાન હવાથી હવામાં અને હવાથી જમીન પર હુમલો કરી શકે છે. 


મિગ-21 


1960ના દશકમાં વાયુસેનામાં મિગ-21 વિમાનને ભારતીય વાયુસેનામાં જોડવામાં આવ્યું હતું. ભારતના તમામ યુદ્ધમાં દેશની રક્ષા માટે મિગ-21માં ઘણું મોટું યોગદાન રહ્યું છે. આ એ જ વિમાન છે જે વિમાનથી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાનના એફ-16 લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું. વાયુસેના પાસે હાલ મિગ-21ના ત્રણ સ્ક્વોડ્રન છે. 2015માં મિગ-21ને સેવા નિવૃત કરી દેવામાં આવશે. 


સુખોઈ-30 MKI છે વાયુસેનાનું બેકબોન


સુખોઈ-30 MKIને વાયુસેનાનું બેકબોન કહેવામાં આવે છે. વાયુસેના પાસે અઢી સોથી વધુ સુખોઈ-30 MKIના એરક્રાફ્ટ છે. રુસી ટેક્નોલોજીથી બનાવેલા આ વિમાન હવામાનની કોઈ પણ સ્થિતિમાં હુમલો કરવા માટે કટીબદ્ધ છે. આ વિમાનનું નિર્માણ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને રૂસે સાથે મળીને કર્યું છે. સુખોઈ-30 MKI બ્રહ્મોસ મિસાઈલ ફાયર કરવા માટે પણ સક્ષમ છે. 


મિરાજ-2000 


ફ્રાંસની દસોલ્ટ કંપનીએ મિરાજ-2000 વિમાન બનાવ્યા છે જે ભારતીય વાયુસેનામાં ઉપયોગમાં લેવાય છે. મિરાજ-2000એ કારગીલ યુદ્ધથી લઈ બાલાકોટ એરસ્ટ્રાઈક સુધી બખૂબી સેવા આપી છે. વર્ષ 1980ના સમયમાં મિરાજ એરક્રાફ્ટને ભારતીય વાયુસેનામાં જોડવામાં આવ્યું હતું.


મિગ-29 


રશિયાની મિકોયાંગ કંપનીએ મિગ-29 વિમાન બનાવ્યા છે. ભારતીય વાયુસેનામાં 70થી વધુ મિગ-29 વિમાન છે. ભારતીય વાયુસેના અને નૌસેના મિગ-29 વિમાનનો ઉપયોગ કરે છે. 




આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.