વાયુસેના દિવસ આજે જ શા માટે મનાવવામાં આવે છે? વાંચો જમાવટ સ્પેશિયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 15:48:52

આજના દિવસને દેશભરમાં વાયુ સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાયુ સેનાનું વાક્ય 'નભઃ સ્પૃશં દીપ્તમ્' ભગવત ગીતાના 11મા અધ્યાયથી લેવામાં આવ્યું છે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારતીય વાયુસેના દુનિયાની સૌથી ચોથી મોટી વાયુસેના છે. આવો જમાવટ પર જાણીએ ભારતીય વાયુસેનાની વાતો...


આ સમયે થઈ હતી ભારતીય વાયુસેનાની શરૂઆત...

ભારતીય અને પાકિસ્તાનના વિભાજન પહેલા વાયુસેનાની સ્થાપના થઈ ગઈ હતી. 8 ઓક્ટોબર 1932ના દિવસે વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય વાયુસેનાએ બીજા વિશ્વ યુદ્ધમાં પણ લડાઈ લડી હતી. બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય વાયુસેનાએ ભાગ લીધો આથી ઈંગ્લેન્ડના રાજા જોર્જ છઠ્ઠાએ વાયુસેનાને રોયલ પ્રીફિક્સથી સન્માનિત કર્યા હતા. ભારતીય વાયુસેનાને રોયલ ઈન્ડિયન એરફોર્સ કહેવામાં આવતું હતું. ભારત આઝાદ થયું ત્યાર બાદ વાયુસેનાના નામમાંથી રોયલ શબ્દ હટાવી દેવામાં આવ્યો હતો. 


કેવી છે ભારતીય વાયુસેનાની તાકાત?

ભારતીય વાયુસેના પાસે સુખોઈ-30ના 12, જેગુઆરના 6, મિરાજ-2000ના 3, મિગ-29ના 3, મિગ-21ના 4, લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટના બે અને રાફેલના 2 સ્ક્વાડ્રન છે. આમ ભારતીય સેના પાસે કુલ 42 ફાઈટર સ્વાડ્રનની તાકાત છે.


આવો આપણા એરક્રાફ્ટ વીશે જાણીએ...


ભારતીય વાયુસેનાની શાન છે રાફેલ      


ભારતીય વાયુસેના પાસે હાલ 36 રાફેલ વિમાન છે. આ રાફેલ વિમાન ફ્રાંસ પાસેથી ખરીદવામાં આવ્યા હતા. રાફેલ વિમાન ગમે તેવા દુશ્મનો હંફાવવા માટે કાફી છે. રાફેલ વિમાન હવાથી હવામાં અને હવાથી જમીન પર હુમલો કરી શકે છે. 


મિગ-21 


1960ના દશકમાં વાયુસેનામાં મિગ-21 વિમાનને ભારતીય વાયુસેનામાં જોડવામાં આવ્યું હતું. ભારતના તમામ યુદ્ધમાં દેશની રક્ષા માટે મિગ-21માં ઘણું મોટું યોગદાન રહ્યું છે. આ એ જ વિમાન છે જે વિમાનથી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાનના એફ-16 લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું. વાયુસેના પાસે હાલ મિગ-21ના ત્રણ સ્ક્વોડ્રન છે. 2015માં મિગ-21ને સેવા નિવૃત કરી દેવામાં આવશે. 


સુખોઈ-30 MKI છે વાયુસેનાનું બેકબોન


સુખોઈ-30 MKIને વાયુસેનાનું બેકબોન કહેવામાં આવે છે. વાયુસેના પાસે અઢી સોથી વધુ સુખોઈ-30 MKIના એરક્રાફ્ટ છે. રુસી ટેક્નોલોજીથી બનાવેલા આ વિમાન હવામાનની કોઈ પણ સ્થિતિમાં હુમલો કરવા માટે કટીબદ્ધ છે. આ વિમાનનું નિર્માણ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને રૂસે સાથે મળીને કર્યું છે. સુખોઈ-30 MKI બ્રહ્મોસ મિસાઈલ ફાયર કરવા માટે પણ સક્ષમ છે. 


મિરાજ-2000 


ફ્રાંસની દસોલ્ટ કંપનીએ મિરાજ-2000 વિમાન બનાવ્યા છે જે ભારતીય વાયુસેનામાં ઉપયોગમાં લેવાય છે. મિરાજ-2000એ કારગીલ યુદ્ધથી લઈ બાલાકોટ એરસ્ટ્રાઈક સુધી બખૂબી સેવા આપી છે. વર્ષ 1980ના સમયમાં મિરાજ એરક્રાફ્ટને ભારતીય વાયુસેનામાં જોડવામાં આવ્યું હતું.


મિગ-29 


રશિયાની મિકોયાંગ કંપનીએ મિગ-29 વિમાન બનાવ્યા છે. ભારતીય વાયુસેનામાં 70થી વધુ મિગ-29 વિમાન છે. ભારતીય વાયુસેના અને નૌસેના મિગ-29 વિમાનનો ઉપયોગ કરે છે. 




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.