રાજસ્થાનના કદાવર નેતા કેમ કરી રહ્યા છે પીછેહઠ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 12:44:39

આગામી મહિને કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે. અનેક દિગ્ગજ નેતાઓના નામ રેસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૌથી આગળ જેનું નામ ચર્ચામાં હતું એવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે. મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો ઈન્કાર કર્યો જેનાથી હાઈ કમાન્ડ નારાજ થઈ હતી. 

Rajasthan Congress crisis: Gehlot camp quits at Speaker's house as Pilot  awaits meet at CM's place - India News


શા માટે ગેહલોતે પરત લીધું નામ  

કોંગ્રસની નવી નીતિ પ્રમાણે એક વ્યક્તિ એક પદ જ સંભાળી શકે છે. જેને કારણે અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડે. પરંતુ રાજસ્થાનમાં ગેહલોત બાદ કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. કોંગ્રેસ હાઈ-કમાન્ડ સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવા ઈચ્છે છે તેવું લાગે છે. પરંતુ કોઈ પરિણામ આવે તે પહેલા ગેહલોતના સર્મથનમાં આવેલા ધારાસભ્યોએ પોતાનું રાજીનામું સૌંપી દીધુ હતું.

yuri alemao: Congress appoints Yuri Alemao as legislature party leader in  Goa - The Economic Times


નારાજ થયેલા ધારાસભ્યોના મત જાણવા બે સિનિયર નેતાઓને રાજસ્થાન મોકલ્યા હતા. ત્યાં જઈને મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને રજૂઆત કરવામાં આવી હતી કે જ્યાં સુધી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ન પતે ત્યાં સુધી મુખ્યમંત્રી ન બદલવા જોઈએ. રાજસ્થાનની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી પોતાનો રિપોર્ટ કોંગ્રેસ હાઈ કમાન્ડને સોંપશે. અશોક ગેહલોત સિવાય શશિ થરૂર પણ આ રેસમાં આગળ છે. તેમના સિવાય બીજા એક-બે નામો પણ લિસ્ટમાં હતા. અશોક ગેહલોતને સોનિયા ગાંધી તેમજ ગાંધી પરિવારના ખાસ માનવામાં આવતા હતા. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી કોને વોટ આપે છે તેની પર બધાની નજર છે.

ભારત જોડો યાત્રા કરતા કોંગ્રેસ જોડો યાત્રા કરવાની લોકોએ આપી સલાહ

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી દેશમાં રહેલા કોંગ્રેસના સભ્યોને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો બીજી બાજુ દેશના વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ થઈ રહ્યું છે. કોંગ્રેસના વિવિધ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસ જોડો અભિયાન ચલાવવું જોઈએ તેવું લોકો કહી રહ્યા છે. 

Congress launches Bharat Jodo Yatra tagline, logo - The Hindu


રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પડી શકે છે ફટકો

2023માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દર 5 વર્ષે રાજસ્થાનમાં સરકાર બદલાતી રહે છે. ત્યારે આ રાજકીય ડ્રામાની અસર ચૂંટણી પર પણ પડી શકે છે. જો ચૂંટણી લડી અશોક ગેહલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બની જાય અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ન આવે તો અશોક ગેહલોત હાઈ કમાન્ડને શું મોઢું બતાવે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર રહે અને કોઈ વિવાદ ઉભો ન થાય તે માટે અશોક ગેહલોતે પોતાનું નામ પાછું ખેંચી લીધું હોય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.