રાજસ્થાનના કદાવર નેતા કેમ કરી રહ્યા છે પીછેહઠ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 12:44:39

આગામી મહિને કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે. અનેક દિગ્ગજ નેતાઓના નામ રેસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૌથી આગળ જેનું નામ ચર્ચામાં હતું એવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે. મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો ઈન્કાર કર્યો જેનાથી હાઈ કમાન્ડ નારાજ થઈ હતી. 

Rajasthan Congress crisis: Gehlot camp quits at Speaker's house as Pilot  awaits meet at CM's place - India News


શા માટે ગેહલોતે પરત લીધું નામ  

કોંગ્રસની નવી નીતિ પ્રમાણે એક વ્યક્તિ એક પદ જ સંભાળી શકે છે. જેને કારણે અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડે. પરંતુ રાજસ્થાનમાં ગેહલોત બાદ કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. કોંગ્રેસ હાઈ-કમાન્ડ સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવા ઈચ્છે છે તેવું લાગે છે. પરંતુ કોઈ પરિણામ આવે તે પહેલા ગેહલોતના સર્મથનમાં આવેલા ધારાસભ્યોએ પોતાનું રાજીનામું સૌંપી દીધુ હતું.

yuri alemao: Congress appoints Yuri Alemao as legislature party leader in  Goa - The Economic Times


નારાજ થયેલા ધારાસભ્યોના મત જાણવા બે સિનિયર નેતાઓને રાજસ્થાન મોકલ્યા હતા. ત્યાં જઈને મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને રજૂઆત કરવામાં આવી હતી કે જ્યાં સુધી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ન પતે ત્યાં સુધી મુખ્યમંત્રી ન બદલવા જોઈએ. રાજસ્થાનની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી પોતાનો રિપોર્ટ કોંગ્રેસ હાઈ કમાન્ડને સોંપશે. અશોક ગેહલોત સિવાય શશિ થરૂર પણ આ રેસમાં આગળ છે. તેમના સિવાય બીજા એક-બે નામો પણ લિસ્ટમાં હતા. અશોક ગેહલોતને સોનિયા ગાંધી તેમજ ગાંધી પરિવારના ખાસ માનવામાં આવતા હતા. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી કોને વોટ આપે છે તેની પર બધાની નજર છે.

ભારત જોડો યાત્રા કરતા કોંગ્રેસ જોડો યાત્રા કરવાની લોકોએ આપી સલાહ

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી દેશમાં રહેલા કોંગ્રેસના સભ્યોને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો બીજી બાજુ દેશના વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ થઈ રહ્યું છે. કોંગ્રેસના વિવિધ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસ જોડો અભિયાન ચલાવવું જોઈએ તેવું લોકો કહી રહ્યા છે. 

Congress launches Bharat Jodo Yatra tagline, logo - The Hindu


રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પડી શકે છે ફટકો

2023માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દર 5 વર્ષે રાજસ્થાનમાં સરકાર બદલાતી રહે છે. ત્યારે આ રાજકીય ડ્રામાની અસર ચૂંટણી પર પણ પડી શકે છે. જો ચૂંટણી લડી અશોક ગેહલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બની જાય અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ન આવે તો અશોક ગેહલોત હાઈ કમાન્ડને શું મોઢું બતાવે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર રહે અને કોઈ વિવાદ ઉભો ન થાય તે માટે અશોક ગેહલોતે પોતાનું નામ પાછું ખેંચી લીધું હોય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.