રાજસ્થાનના કદાવર નેતા કેમ કરી રહ્યા છે પીછેહઠ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 12:44:39

આગામી મહિને કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે. અનેક દિગ્ગજ નેતાઓના નામ રેસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૌથી આગળ જેનું નામ ચર્ચામાં હતું એવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે. મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો ઈન્કાર કર્યો જેનાથી હાઈ કમાન્ડ નારાજ થઈ હતી. 

Rajasthan Congress crisis: Gehlot camp quits at Speaker's house as Pilot  awaits meet at CM's place - India News


શા માટે ગેહલોતે પરત લીધું નામ  

કોંગ્રસની નવી નીતિ પ્રમાણે એક વ્યક્તિ એક પદ જ સંભાળી શકે છે. જેને કારણે અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડે. પરંતુ રાજસ્થાનમાં ગેહલોત બાદ કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. કોંગ્રેસ હાઈ-કમાન્ડ સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવા ઈચ્છે છે તેવું લાગે છે. પરંતુ કોઈ પરિણામ આવે તે પહેલા ગેહલોતના સર્મથનમાં આવેલા ધારાસભ્યોએ પોતાનું રાજીનામું સૌંપી દીધુ હતું.

yuri alemao: Congress appoints Yuri Alemao as legislature party leader in  Goa - The Economic Times


નારાજ થયેલા ધારાસભ્યોના મત જાણવા બે સિનિયર નેતાઓને રાજસ્થાન મોકલ્યા હતા. ત્યાં જઈને મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને રજૂઆત કરવામાં આવી હતી કે જ્યાં સુધી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ન પતે ત્યાં સુધી મુખ્યમંત્રી ન બદલવા જોઈએ. રાજસ્થાનની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી પોતાનો રિપોર્ટ કોંગ્રેસ હાઈ કમાન્ડને સોંપશે. અશોક ગેહલોત સિવાય શશિ થરૂર પણ આ રેસમાં આગળ છે. તેમના સિવાય બીજા એક-બે નામો પણ લિસ્ટમાં હતા. અશોક ગેહલોતને સોનિયા ગાંધી તેમજ ગાંધી પરિવારના ખાસ માનવામાં આવતા હતા. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી કોને વોટ આપે છે તેની પર બધાની નજર છે.

ભારત જોડો યાત્રા કરતા કોંગ્રેસ જોડો યાત્રા કરવાની લોકોએ આપી સલાહ

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી દેશમાં રહેલા કોંગ્રેસના સભ્યોને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો બીજી બાજુ દેશના વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ થઈ રહ્યું છે. કોંગ્રેસના વિવિધ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસ જોડો અભિયાન ચલાવવું જોઈએ તેવું લોકો કહી રહ્યા છે. 

Congress launches Bharat Jodo Yatra tagline, logo - The Hindu


રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પડી શકે છે ફટકો

2023માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દર 5 વર્ષે રાજસ્થાનમાં સરકાર બદલાતી રહે છે. ત્યારે આ રાજકીય ડ્રામાની અસર ચૂંટણી પર પણ પડી શકે છે. જો ચૂંટણી લડી અશોક ગેહલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બની જાય અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ન આવે તો અશોક ગેહલોત હાઈ કમાન્ડને શું મોઢું બતાવે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર રહે અને કોઈ વિવાદ ઉભો ન થાય તે માટે અશોક ગેહલોતે પોતાનું નામ પાછું ખેંચી લીધું હોય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.