રાજસ્થાનના કદાવર નેતા કેમ કરી રહ્યા છે પીછેહઠ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 12:44:39

આગામી મહિને કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે. અનેક દિગ્ગજ નેતાઓના નામ રેસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૌથી આગળ જેનું નામ ચર્ચામાં હતું એવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે. મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો ઈન્કાર કર્યો જેનાથી હાઈ કમાન્ડ નારાજ થઈ હતી. 

Rajasthan Congress crisis: Gehlot camp quits at Speaker's house as Pilot  awaits meet at CM's place - India News


શા માટે ગેહલોતે પરત લીધું નામ  

કોંગ્રસની નવી નીતિ પ્રમાણે એક વ્યક્તિ એક પદ જ સંભાળી શકે છે. જેને કારણે અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડે. પરંતુ રાજસ્થાનમાં ગેહલોત બાદ કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. કોંગ્રેસ હાઈ-કમાન્ડ સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવા ઈચ્છે છે તેવું લાગે છે. પરંતુ કોઈ પરિણામ આવે તે પહેલા ગેહલોતના સર્મથનમાં આવેલા ધારાસભ્યોએ પોતાનું રાજીનામું સૌંપી દીધુ હતું.

yuri alemao: Congress appoints Yuri Alemao as legislature party leader in  Goa - The Economic Times


નારાજ થયેલા ધારાસભ્યોના મત જાણવા બે સિનિયર નેતાઓને રાજસ્થાન મોકલ્યા હતા. ત્યાં જઈને મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને રજૂઆત કરવામાં આવી હતી કે જ્યાં સુધી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ન પતે ત્યાં સુધી મુખ્યમંત્રી ન બદલવા જોઈએ. રાજસ્થાનની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી પોતાનો રિપોર્ટ કોંગ્રેસ હાઈ કમાન્ડને સોંપશે. અશોક ગેહલોત સિવાય શશિ થરૂર પણ આ રેસમાં આગળ છે. તેમના સિવાય બીજા એક-બે નામો પણ લિસ્ટમાં હતા. અશોક ગેહલોતને સોનિયા ગાંધી તેમજ ગાંધી પરિવારના ખાસ માનવામાં આવતા હતા. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી કોને વોટ આપે છે તેની પર બધાની નજર છે.

ભારત જોડો યાત્રા કરતા કોંગ્રેસ જોડો યાત્રા કરવાની લોકોએ આપી સલાહ

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી દેશમાં રહેલા કોંગ્રેસના સભ્યોને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો બીજી બાજુ દેશના વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ થઈ રહ્યું છે. કોંગ્રેસના વિવિધ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસ જોડો અભિયાન ચલાવવું જોઈએ તેવું લોકો કહી રહ્યા છે. 

Congress launches Bharat Jodo Yatra tagline, logo - The Hindu


રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પડી શકે છે ફટકો

2023માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દર 5 વર્ષે રાજસ્થાનમાં સરકાર બદલાતી રહે છે. ત્યારે આ રાજકીય ડ્રામાની અસર ચૂંટણી પર પણ પડી શકે છે. જો ચૂંટણી લડી અશોક ગેહલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બની જાય અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ન આવે તો અશોક ગેહલોત હાઈ કમાન્ડને શું મોઢું બતાવે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર રહે અને કોઈ વિવાદ ઉભો ન થાય તે માટે અશોક ગેહલોતે પોતાનું નામ પાછું ખેંચી લીધું હોય તેવું હાલ માનવામાં આવી રહ્યું છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.