ભારતમાં હવે જોવા મળશે જંગલી ચિત્તા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 09:00:20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે સવારે 10:45  વાગ્યે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ભારતમાંથી લુપ્ત થયેલા જંગલી ચિત્તાને ખુલ્લા મૂકશે. બપોરે 12 કલાકે શ્યોપુરમાં મહિલાઓના SHG સંમેલનમાં સંબોધન કરશે. 


આજે પ્રધાનમંત્રી SCO બેઠક માટે વિદેશ મુલાકાતે છે

આજે પ્રધાનમંત્રી ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈજેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવાના છે. 16 સપ્ટેમ્બરે સમરકંદથી ભારત પરત રવાના થશે. ભારત આવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ જશે. 


કુનો નેશનલ પાર્કમાં જોવા મળશે જંગલી ચિત્તા  

સરકારના આંકડાઓ મુજબ ચિત્તાઓ 1952થી ભારતમાંથી લુપ્ત જાહેર કરવામાં આવ્યા છે. ભારતના વન્યજીવનને પુનર્જીવિત કરવા માટે પ્રોજેક્ટ ચિતા હેઠળ નામીબિયાથી ચિત્તા મગાવાયા છે જે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવશે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.