ભારતમાં હવે જોવા મળશે જંગલી ચિત્તા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 09:00:20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે સવારે 10:45  વાગ્યે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ભારતમાંથી લુપ્ત થયેલા જંગલી ચિત્તાને ખુલ્લા મૂકશે. બપોરે 12 કલાકે શ્યોપુરમાં મહિલાઓના SHG સંમેલનમાં સંબોધન કરશે. 


આજે પ્રધાનમંત્રી SCO બેઠક માટે વિદેશ મુલાકાતે છે

આજે પ્રધાનમંત્રી ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈજેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવાના છે. 16 સપ્ટેમ્બરે સમરકંદથી ભારત પરત રવાના થશે. ભારત આવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ જશે. 


કુનો નેશનલ પાર્કમાં જોવા મળશે જંગલી ચિત્તા  

સરકારના આંકડાઓ મુજબ ચિત્તાઓ 1952થી ભારતમાંથી લુપ્ત જાહેર કરવામાં આવ્યા છે. ભારતના વન્યજીવનને પુનર્જીવિત કરવા માટે પ્રોજેક્ટ ચિતા હેઠળ નામીબિયાથી ચિત્તા મગાવાયા છે જે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવશે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.