ભારતમાં હવે જોવા મળશે જંગલી ચિત્તા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 09:00:20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે સવારે 10:45  વાગ્યે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ભારતમાંથી લુપ્ત થયેલા જંગલી ચિત્તાને ખુલ્લા મૂકશે. બપોરે 12 કલાકે શ્યોપુરમાં મહિલાઓના SHG સંમેલનમાં સંબોધન કરશે. 


આજે પ્રધાનમંત્રી SCO બેઠક માટે વિદેશ મુલાકાતે છે

આજે પ્રધાનમંત્રી ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈજેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવાના છે. 16 સપ્ટેમ્બરે સમરકંદથી ભારત પરત રવાના થશે. ભારત આવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ જશે. 


કુનો નેશનલ પાર્કમાં જોવા મળશે જંગલી ચિત્તા  

સરકારના આંકડાઓ મુજબ ચિત્તાઓ 1952થી ભારતમાંથી લુપ્ત જાહેર કરવામાં આવ્યા છે. ભારતના વન્યજીવનને પુનર્જીવિત કરવા માટે પ્રોજેક્ટ ચિતા હેઠળ નામીબિયાથી ચિત્તા મગાવાયા છે જે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.