દિલ્હી જેવી રાજનીતિ ગુજરાતમાં ચાલશે ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:39:29

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પક્ષ આરોપ આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ કરતું જોવા મળે છે. ત્યારે દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાની ધરપકડ થઈ ગઈ છે. આ ધરપકડને ગુજરાત સાથે જોડવામાં આવી રહી છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, ગુજરાતમાં ખૂબ તકલીફ થઈ રહી છે.


શું કર્યા પ્રહાર ?

અરવિંદ કેજરીવાલએ ટ્વીટ કરી કહ્યું કે, પેહલા સત્યેન્દ્ર જૈનની ધડપકડ કરી. કોર્ટમાં વારંવાર પૂછવા છતાં તેઓ કોઈ પુરાવા રજૂ કરી શકતા નથી. ત્યારબાદ મનીષ સીસોદિયાના ઘરે રેડ કરવામાં આવી. જેમાં તપાસ સંસ્થાને કંઈ મળ્યું ન હતું. હવે અમાનતુલ્લાની ધરપકડ કરવામાં આવી છે, હજુ ઘણા ધારાસભ્યોની ધરપકડ કરશે. લાગે છે કે તેઓને ગુજરાતમાં ખૂબ જ તકલીફ થઈ રહી છે.  


શું છે વાસ્તવિક ઘટના ?

જાન્યુઆરી 2020માં કેન્દ્રીય એજન્સી દ્વારા aap ધારાસભ્ય સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને IPCની કલમ 120B હેઠળ વકફ બોર્ડના બેંક ખાતામાં ‘નાણાકીય ઊથલ પાથલ’ માટે કેસ નોંધવામાં આવ્યો હતો. અમાનતુલ્લા જ્યારે વક્ફ બોર્ડના અધ્યક્ષ હતા ત્યારે તેમણે 33 લોકોની ગેરકાયદે ભરતી કરી હતી. ઉપરાંત આરોપ છે કે બોર્ડના ખાતામાં હેરાફેરી કરીને પૈસા ઉપાડી લેવામાં પણ આવ્યા હતા. ત્યારે શુક્રવારે aapના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘર સહિત બીજા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.






દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.