દિલ્હી જેવી રાજનીતિ ગુજરાતમાં ચાલશે ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:39:29

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પક્ષ આરોપ આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ કરતું જોવા મળે છે. ત્યારે દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાની ધરપકડ થઈ ગઈ છે. આ ધરપકડને ગુજરાત સાથે જોડવામાં આવી રહી છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, ગુજરાતમાં ખૂબ તકલીફ થઈ રહી છે.


શું કર્યા પ્રહાર ?

અરવિંદ કેજરીવાલએ ટ્વીટ કરી કહ્યું કે, પેહલા સત્યેન્દ્ર જૈનની ધડપકડ કરી. કોર્ટમાં વારંવાર પૂછવા છતાં તેઓ કોઈ પુરાવા રજૂ કરી શકતા નથી. ત્યારબાદ મનીષ સીસોદિયાના ઘરે રેડ કરવામાં આવી. જેમાં તપાસ સંસ્થાને કંઈ મળ્યું ન હતું. હવે અમાનતુલ્લાની ધરપકડ કરવામાં આવી છે, હજુ ઘણા ધારાસભ્યોની ધરપકડ કરશે. લાગે છે કે તેઓને ગુજરાતમાં ખૂબ જ તકલીફ થઈ રહી છે.  


શું છે વાસ્તવિક ઘટના ?

જાન્યુઆરી 2020માં કેન્દ્રીય એજન્સી દ્વારા aap ધારાસભ્ય સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને IPCની કલમ 120B હેઠળ વકફ બોર્ડના બેંક ખાતામાં ‘નાણાકીય ઊથલ પાથલ’ માટે કેસ નોંધવામાં આવ્યો હતો. અમાનતુલ્લા જ્યારે વક્ફ બોર્ડના અધ્યક્ષ હતા ત્યારે તેમણે 33 લોકોની ગેરકાયદે ભરતી કરી હતી. ઉપરાંત આરોપ છે કે બોર્ડના ખાતામાં હેરાફેરી કરીને પૈસા ઉપાડી લેવામાં પણ આવ્યા હતા. ત્યારે શુક્રવારે aapના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘર સહિત બીજા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.






અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.