ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પક્ષ આરોપ આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ કરતું જોવા મળે છે. ત્યારે દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાની ધરપકડ થઈ ગઈ છે. આ ધરપકડને ગુજરાત સાથે જોડવામાં આવી રહી છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, ગુજરાતમાં ખૂબ તકલીફ થઈ રહી છે.
શું કર્યા પ્રહાર ?
અરવિંદ કેજરીવાલએ ટ્વીટ કરી કહ્યું કે, પેહલા સત્યેન્દ્ર જૈનની ધડપકડ કરી. કોર્ટમાં વારંવાર પૂછવા છતાં તેઓ કોઈ પુરાવા રજૂ કરી શકતા નથી. ત્યારબાદ મનીષ સીસોદિયાના ઘરે રેડ કરવામાં આવી. જેમાં તપાસ સંસ્થાને કંઈ મળ્યું ન હતું. હવે અમાનતુલ્લાની ધરપકડ કરવામાં આવી છે, હજુ ઘણા ધારાસભ્યોની ધરપકડ કરશે. લાગે છે કે તેઓને ગુજરાતમાં ખૂબ જ તકલીફ થઈ રહી છે.
શું છે વાસ્તવિક ઘટના ?
જાન્યુઆરી 2020માં કેન્દ્રીય એજન્સી દ્વારા aap ધારાસભ્ય સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને IPCની કલમ 120B હેઠળ વકફ બોર્ડના બેંક ખાતામાં ‘નાણાકીય ઊથલ પાથલ’ માટે કેસ નોંધવામાં આવ્યો હતો. અમાનતુલ્લા જ્યારે વક્ફ બોર્ડના અધ્યક્ષ હતા ત્યારે તેમણે 33 લોકોની ગેરકાયદે ભરતી કરી હતી. ઉપરાંત આરોપ છે કે બોર્ડના ખાતામાં હેરાફેરી કરીને પૈસા ઉપાડી લેવામાં પણ આવ્યા હતા. ત્યારે શુક્રવારે aapના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘર સહિત બીજા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.






.jpg)








