મહિલાઓએ હિજાબ સળગાવી અને વાળ કાપી વિરોધ નોંધાવ્યો !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 16:50:48

મહિલાઓ નો વિરોધ 

ઈરાનમાં હિજાબ કેસમાં યુવતીના મોત બાદ હંગામો મચી ગયો છે અને હવે આ મામલો બહુ આગળ વધી ગયો છે. અગાઉ હિજબ પહેરવાની ના પડતાં એક યુવતીનું પોલીસ કસ્ટડીમાં મોત થતાં ઈરાની મહિલાઓમાં ભારે રોષ છે. અને આનો વિરોધ કરતાં મહિલાઓ હિજાબ સળગાવી રહી છે અને પોતાના વાળ પણ કાપીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. 

શું હતી સમગ્ર ઘટના ? 

વાસ્તવમાં ઈરાનમાં 22 વર્ષની યુવતી મહેસા અમીનીએ હિજાબ પહેરવાની ના પાડી હતી, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં તેણીના શંકાસ્પદ મૃત્યુ બાદ, ઈરાનમાં વિરોધ ફાટી નીકળ્યો અને મહિલા વિરોધીઓ રસ્તા પર ઉતરી આવી. દરમિયાન, હવે ઘણી સ્ત્રીઓએ તેમના વાળ કાપી નાખ્યા છે અને હિજાબ પણ બાળી નાખ્યો છે. આની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. 

મહિલાઓ ઉગ્ર આંદોલન પર ઉતરી છે જેટલા વિડીયો વાઇરલ થાય છે તેમ દેખાય છે ઈરાનમાં તીવ્ર દેખાવો શરૂ થઈ ગયો છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.