મહિલાઓએ હિજાબ સળગાવી અને વાળ કાપી વિરોધ નોંધાવ્યો !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 16:50:48

મહિલાઓ નો વિરોધ 

ઈરાનમાં હિજાબ કેસમાં યુવતીના મોત બાદ હંગામો મચી ગયો છે અને હવે આ મામલો બહુ આગળ વધી ગયો છે. અગાઉ હિજબ પહેરવાની ના પડતાં એક યુવતીનું પોલીસ કસ્ટડીમાં મોત થતાં ઈરાની મહિલાઓમાં ભારે રોષ છે. અને આનો વિરોધ કરતાં મહિલાઓ હિજાબ સળગાવી રહી છે અને પોતાના વાળ પણ કાપીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. 

શું હતી સમગ્ર ઘટના ? 

વાસ્તવમાં ઈરાનમાં 22 વર્ષની યુવતી મહેસા અમીનીએ હિજાબ પહેરવાની ના પાડી હતી, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં તેણીના શંકાસ્પદ મૃત્યુ બાદ, ઈરાનમાં વિરોધ ફાટી નીકળ્યો અને મહિલા વિરોધીઓ રસ્તા પર ઉતરી આવી. દરમિયાન, હવે ઘણી સ્ત્રીઓએ તેમના વાળ કાપી નાખ્યા છે અને હિજાબ પણ બાળી નાખ્યો છે. આની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. 

મહિલાઓ ઉગ્ર આંદોલન પર ઉતરી છે જેટલા વિડીયો વાઇરલ થાય છે તેમ દેખાય છે ઈરાનમાં તીવ્ર દેખાવો શરૂ થઈ ગયો છે. 



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.