યુવરાજસિંહનું છલકાઈ આવ્યું દર્દ! જાણો કઈ વાતને કારણે યુવરાજસિંહ ચાલું લાઈવમાં રડી પડયા...


  • Published By :
  • Published Date : 2023-04-13 16:47:05

થોડા સમયથી યુવરાજસિંહ અનેક ઘટસ્ફોટ કરતા આવ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસવાનો મામલો હોય કે પછી પેપર ફૂટવાનો મામલો હોય આવા અનેક મુદ્દાઓ પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ખુલીને બોલ્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં રહેલી ખામીઓ તેમજ ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવા અંગે વાતો કરવા અનેક વખત મીડિયા સમક્ષ યુવરાજસિંહ બોલ્યા છે.


 


પરિવારને હેરાન કરાતા હોવાનો યુવરાજસિંહનો આરોપ!

ત્યારે ગઈકાલે યુવરાજસિંહે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લાઈવ કર્યું હતું. જેમાં તેમણે પોતાની વેદના ઠાલવી હતી. અનેક વખત એવું કહીને ભાવુક થયા હતા કે મારા પરિવારને ખોટી રીતના હેરાન કરવામાં આવી રહ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે અનેક વખત તેમને ખોટી રીતે ફસાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. જે રીતે ફેમિલીને હેરાન કરે છે, હું કંટાળી ગયો છું. સિંહ પર ઘા કરી લેજે, સિંહના બચ્ચાને કે તેના પરિવારને નુકસાન થશે તો હું છોડીશ નહીં. જે બાદ જમાવટની ટીમે તેમનો સંપર્ક કર્યો હતો અને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે તે કયા વ્યક્તિ વિશે વાત કરી રહ્યા હતા.  


પૂર્વમંત્રી પર યુવરાજસિંહે સાધ્યું નિશાન!

યુવરાજસિંહે પૂર્વમંત્રી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 'અનેક વખત તેમને રોકવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. ફસાવવા અનેક ખોટા પુરાવાઓ ઉભા કરવામાં આવ્યા છે. અનેક કાવાદાવા કરવામાં આવ્યા છે. બદનામ કરવા સામ, દામ,દંડ ભેદની નીતિ અપનાવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આવનાર દિવસોમાં નામ સાથે એક એકને ખુલ્લા પાડવામાં આવશે. જેમણે મને ખોટી રીતે ફસાવવા, ધમકાવવાનો પ્રયાસ કર્યો છે હું નહીં છોડું. તેમણે કહ્યું હતું કે જે રીતે ફેમિલીને હેરાન કરે છે, હું કંટાળી ગયો છું. સિંહ પર ઘા કરી લેજે, સિંહના બચ્ચાને કે તેના પરિવારને નુકસાન થશે તો હું છોડીશ નહીં. હશે તમારા રાજકીય છેડા, રાજકારણમાં હશો. તમારૂં મંત્રી પદ તમારા કર્મોને કારણે ગયું છે. તમે હજારો વ્યક્તિઓની હાય લીધી છે. તમારા કર્મ ખોટા હતા, તમારા ધંધા ખોટા હતા એના કારણે તમારૂ પદ ગયું છે.'   



રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.

ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.

ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.