યુવરાજસિંહનું છલકાઈ આવ્યું દર્દ! જાણો કઈ વાતને કારણે યુવરાજસિંહ ચાલું લાઈવમાં રડી પડયા...


  • Published By :
  • Published Date : 2023-04-13 16:47:05

થોડા સમયથી યુવરાજસિંહ અનેક ઘટસ્ફોટ કરતા આવ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસવાનો મામલો હોય કે પછી પેપર ફૂટવાનો મામલો હોય આવા અનેક મુદ્દાઓ પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ખુલીને બોલ્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં રહેલી ખામીઓ તેમજ ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવા અંગે વાતો કરવા અનેક વખત મીડિયા સમક્ષ યુવરાજસિંહ બોલ્યા છે.


 


પરિવારને હેરાન કરાતા હોવાનો યુવરાજસિંહનો આરોપ!

ત્યારે ગઈકાલે યુવરાજસિંહે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લાઈવ કર્યું હતું. જેમાં તેમણે પોતાની વેદના ઠાલવી હતી. અનેક વખત એવું કહીને ભાવુક થયા હતા કે મારા પરિવારને ખોટી રીતના હેરાન કરવામાં આવી રહ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે અનેક વખત તેમને ખોટી રીતે ફસાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. જે રીતે ફેમિલીને હેરાન કરે છે, હું કંટાળી ગયો છું. સિંહ પર ઘા કરી લેજે, સિંહના બચ્ચાને કે તેના પરિવારને નુકસાન થશે તો હું છોડીશ નહીં. જે બાદ જમાવટની ટીમે તેમનો સંપર્ક કર્યો હતો અને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે તે કયા વ્યક્તિ વિશે વાત કરી રહ્યા હતા.  


પૂર્વમંત્રી પર યુવરાજસિંહે સાધ્યું નિશાન!

યુવરાજસિંહે પૂર્વમંત્રી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 'અનેક વખત તેમને રોકવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. ફસાવવા અનેક ખોટા પુરાવાઓ ઉભા કરવામાં આવ્યા છે. અનેક કાવાદાવા કરવામાં આવ્યા છે. બદનામ કરવા સામ, દામ,દંડ ભેદની નીતિ અપનાવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આવનાર દિવસોમાં નામ સાથે એક એકને ખુલ્લા પાડવામાં આવશે. જેમણે મને ખોટી રીતે ફસાવવા, ધમકાવવાનો પ્રયાસ કર્યો છે હું નહીં છોડું. તેમણે કહ્યું હતું કે જે રીતે ફેમિલીને હેરાન કરે છે, હું કંટાળી ગયો છું. સિંહ પર ઘા કરી લેજે, સિંહના બચ્ચાને કે તેના પરિવારને નુકસાન થશે તો હું છોડીશ નહીં. હશે તમારા રાજકીય છેડા, રાજકારણમાં હશો. તમારૂં મંત્રી પદ તમારા કર્મોને કારણે ગયું છે. તમે હજારો વ્યક્તિઓની હાય લીધી છે. તમારા કર્મ ખોટા હતા, તમારા ધંધા ખોટા હતા એના કારણે તમારૂ પદ ગયું છે.'   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .