સંસદની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે સાંસદોની સુરક્ષા CISFના હાથમાં રહેશે


  • Published By :
  • Published Date : 2024-01-23 18:39:39

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના આગામી સત્ર દરમિયાન મુલાકાતીઓ અને તેમના સામાનની તપાસ કરવા માટે 140 કર્મચારીઓની CISF ટીમને મંજૂરી આપી છે. સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂની અને નવી સંસદની ઇમારતોને CISFના વ્યાપક સુરક્ષા કવરેજ હેઠળ લાવવામાં આવશે. આ સિવાય વર્તમાન સંસદ સુરક્ષા સેવા, દિલ્હી પોલીસ અને CRPFનું પાર્લામેન્ટ સિક્યુરીટી ગ્રૂપ પણ સંસદ પરિસર વિસ્તારને સુરક્ષા પ્રદાન કરશે.


CISFના જવાનોએ શરૂ કરી ગતિવિધીઓ


કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે સંસદના બજેટ સત્ર દરમિયાન CISF સંસદના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજાની સુરક્ષા કરશે. CISF ગેસ્ટ સિક્યુરિટી અને ફ્રિસ્કિંગનું કામ પણ કરશે. આ પહેલા ગેટની સુરક્ષા માટે દિલ્હી પોલીસ અને સંસદની સુરક્ષા સાથે જોડાયેલા લોકોને તૈનાત કરવામાં આવ્યા હતા. CISFના જવાનોએ સંસદની સુરક્ષાને લઈને તેમની ગતિવિધિઓ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.


13 ડિસેમ્બર, 2023ની ઘટના બાદ સરકારે નિર્ણય કર્યો


ગૃહ મંત્રાલયે 13 ડિસેમ્બર 2023ના રોજ સંસદની સુરક્ષા ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે 2001ની સંસદ પર આતંકવાદી હુમલાની 22મી વરસી પર સંસદની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. 13 ડિસેમ્બર, 2023 ના રોજ, બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ તેમણે એક ટીનમાંથી પીળા રંગનો ધુમાડો કાઢ્યો ત્યારે અંધાધૂંધી સર્જાઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે CISFને નવા અને જૂના સંસદ ભવન સંકુલનું નિયંત્રણ આપવામાં આવશે જ્યાં એરપોર્ટ જેવી સુરક્ષા વ્યવસ્થા હશે જેમાં એક્સ-રે મશીનો અને મેટલ ડિટેક્ટર અને શૂઝ, હેવી જેકેટ્સ અને બેલ્ટ્સ દ્વારા લોકો અને સામાનની તપાસ કરવામાં આવશે. ટ્રેમાં એક્સ-રે મશીન વડે તપાસ કરવાની પણ જોગવાઈ છે. CISFમાં લગભગ 1.70 લાખ કર્મચારીઓ છે અને તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. દેશના 68 સિવિલ એરપોર્ટ ઉપરાંત, તે એરોસ્પેસ અને ન્યુક્લિયર એનર્જી સેક્ટર સાથે સંબંધિત મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષા માટે પણ જવાબદાર છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.