સંસદની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે સાંસદોની સુરક્ષા CISFના હાથમાં રહેશે


  • Published By :
  • Published Date : 2024-01-23 18:39:39

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના આગામી સત્ર દરમિયાન મુલાકાતીઓ અને તેમના સામાનની તપાસ કરવા માટે 140 કર્મચારીઓની CISF ટીમને મંજૂરી આપી છે. સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂની અને નવી સંસદની ઇમારતોને CISFના વ્યાપક સુરક્ષા કવરેજ હેઠળ લાવવામાં આવશે. આ સિવાય વર્તમાન સંસદ સુરક્ષા સેવા, દિલ્હી પોલીસ અને CRPFનું પાર્લામેન્ટ સિક્યુરીટી ગ્રૂપ પણ સંસદ પરિસર વિસ્તારને સુરક્ષા પ્રદાન કરશે.


CISFના જવાનોએ શરૂ કરી ગતિવિધીઓ


કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે સંસદના બજેટ સત્ર દરમિયાન CISF સંસદના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજાની સુરક્ષા કરશે. CISF ગેસ્ટ સિક્યુરિટી અને ફ્રિસ્કિંગનું કામ પણ કરશે. આ પહેલા ગેટની સુરક્ષા માટે દિલ્હી પોલીસ અને સંસદની સુરક્ષા સાથે જોડાયેલા લોકોને તૈનાત કરવામાં આવ્યા હતા. CISFના જવાનોએ સંસદની સુરક્ષાને લઈને તેમની ગતિવિધિઓ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.


13 ડિસેમ્બર, 2023ની ઘટના બાદ સરકારે નિર્ણય કર્યો


ગૃહ મંત્રાલયે 13 ડિસેમ્બર 2023ના રોજ સંસદની સુરક્ષા ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે 2001ની સંસદ પર આતંકવાદી હુમલાની 22મી વરસી પર સંસદની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. 13 ડિસેમ્બર, 2023 ના રોજ, બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ તેમણે એક ટીનમાંથી પીળા રંગનો ધુમાડો કાઢ્યો ત્યારે અંધાધૂંધી સર્જાઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે CISFને નવા અને જૂના સંસદ ભવન સંકુલનું નિયંત્રણ આપવામાં આવશે જ્યાં એરપોર્ટ જેવી સુરક્ષા વ્યવસ્થા હશે જેમાં એક્સ-રે મશીનો અને મેટલ ડિટેક્ટર અને શૂઝ, હેવી જેકેટ્સ અને બેલ્ટ્સ દ્વારા લોકો અને સામાનની તપાસ કરવામાં આવશે. ટ્રેમાં એક્સ-રે મશીન વડે તપાસ કરવાની પણ જોગવાઈ છે. CISFમાં લગભગ 1.70 લાખ કર્મચારીઓ છે અને તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. દેશના 68 સિવિલ એરપોર્ટ ઉપરાંત, તે એરોસ્પેસ અને ન્યુક્લિયર એનર્જી સેક્ટર સાથે સંબંધિત મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષા માટે પણ જવાબદાર છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.