સંસદની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે સાંસદોની સુરક્ષા CISFના હાથમાં રહેશે


  • Published By :
  • Published Date : 2024-01-23 18:39:39

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના આગામી સત્ર દરમિયાન મુલાકાતીઓ અને તેમના સામાનની તપાસ કરવા માટે 140 કર્મચારીઓની CISF ટીમને મંજૂરી આપી છે. સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂની અને નવી સંસદની ઇમારતોને CISFના વ્યાપક સુરક્ષા કવરેજ હેઠળ લાવવામાં આવશે. આ સિવાય વર્તમાન સંસદ સુરક્ષા સેવા, દિલ્હી પોલીસ અને CRPFનું પાર્લામેન્ટ સિક્યુરીટી ગ્રૂપ પણ સંસદ પરિસર વિસ્તારને સુરક્ષા પ્રદાન કરશે.


CISFના જવાનોએ શરૂ કરી ગતિવિધીઓ


કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે સંસદના બજેટ સત્ર દરમિયાન CISF સંસદના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજાની સુરક્ષા કરશે. CISF ગેસ્ટ સિક્યુરિટી અને ફ્રિસ્કિંગનું કામ પણ કરશે. આ પહેલા ગેટની સુરક્ષા માટે દિલ્હી પોલીસ અને સંસદની સુરક્ષા સાથે જોડાયેલા લોકોને તૈનાત કરવામાં આવ્યા હતા. CISFના જવાનોએ સંસદની સુરક્ષાને લઈને તેમની ગતિવિધિઓ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.


13 ડિસેમ્બર, 2023ની ઘટના બાદ સરકારે નિર્ણય કર્યો


ગૃહ મંત્રાલયે 13 ડિસેમ્બર 2023ના રોજ સંસદની સુરક્ષા ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે 2001ની સંસદ પર આતંકવાદી હુમલાની 22મી વરસી પર સંસદની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. 13 ડિસેમ્બર, 2023 ના રોજ, બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ તેમણે એક ટીનમાંથી પીળા રંગનો ધુમાડો કાઢ્યો ત્યારે અંધાધૂંધી સર્જાઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે CISFને નવા અને જૂના સંસદ ભવન સંકુલનું નિયંત્રણ આપવામાં આવશે જ્યાં એરપોર્ટ જેવી સુરક્ષા વ્યવસ્થા હશે જેમાં એક્સ-રે મશીનો અને મેટલ ડિટેક્ટર અને શૂઝ, હેવી જેકેટ્સ અને બેલ્ટ્સ દ્વારા લોકો અને સામાનની તપાસ કરવામાં આવશે. ટ્રેમાં એક્સ-રે મશીન વડે તપાસ કરવાની પણ જોગવાઈ છે. CISFમાં લગભગ 1.70 લાખ કર્મચારીઓ છે અને તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. દેશના 68 સિવિલ એરપોર્ટ ઉપરાંત, તે એરોસ્પેસ અને ન્યુક્લિયર એનર્જી સેક્ટર સાથે સંબંધિત મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષા માટે પણ જવાબદાર છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.