મહારાષ્ટ્રમાં જોવા મળ્યો ગરમીનો પ્રકોપ! ભૂષણ પુરસ્કાર સમારોહમાં હાજર લોકોએ લૂ લાગવાને કારણે ગુમાવ્યો જીવ! સરકારે કરી મૃતકોને વળતર ચૂકવવાની જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-04-17 09:33:15

આ વખતની ગરમી આકરી રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું, અનેક રાજ્યો માટે હિટવેવ તેમજ લૂની આગાહી પણ કરવામાં  આવી હતી. ત્યારે ગરમી અને લૂ લાગવાને કારણે મહારાષ્ટ્રમાં 11 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કામ વગર ઘરની બહાર ન નિકળવાની સલાહ પણ આપવામાં આવતી હોય છે ત્યારે મહારાષ્ટ્રમાં રવિવારે મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર ઈવેન્ટ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સવારના 11.30 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ચાલ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારે ગરમીનું પ્રમાણ વધતા અનેક લોકોની તબિયત લથડી ગઈ હતી. હિટવેવને કારણે અંદાજીત 11 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 24 જેટલા લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

 

મોટી સંખ્યામાં લોકો હતા ઈવેન્ટમાં હાજર!

દેશના અનેક રાજ્યો માટે હિટવેવની આગાહી કરવામાં આવી હતી. તેમજ લૂની આગાહી પણ કરવામાં આવી હતી. અનેક વખત ગરમી તેમજ લૂને કારણે લોકોના મોત થતા હોય છે ત્યારે આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં બની છે. હિટસ્ટ્રોકને કારણે 11 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકોની સારવાર ચાલી રહી છે. આ કાર્યક્રમનું આયોજન નવી મુંબઈના ખારઘરમાં કરાયું હતું જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા.

 


લોકો જ્યાં બેસવાના હતા ત્યાં કરાઈ ન હતી શેડની વ્યવસ્થા! 

આ કાર્યક્રમમાં અમિત શાહે સમાજસેવી દત્તાત્રેય નારાયણને એવોર્ડથી સન્માનિત કર્યા હતા. લાખોની સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. બપોર બાદ ગરમીનું પ્રમાણ વધતા લોકોની તબિયત લથડી હતી. કારણ કે લોકો માટે ખુલ્લા મેદાનમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં લોકોને બેસાડવામાં આવ્યા તે મેદાન પર શેડની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. અચાનક ગરમીનું પ્રમાણ વધતા લોકોની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. અને અનેક લોકોના મોત પણ થયા છે. મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમ સવારે 10.30ની આસપાસ સમાપ્ત થવાનો હતો પરંતુ બપોરના એક વાગ્યા સુધી પણ કાર્યક્રમ પૂરો થયો ન હતો. જેને કારણે ગરમીનું પ્રમાણ વધતું ગયું હતું. ડિહાઈડ્રેશનને કારણે લોકો ચક્કર ખાઈને પડવા લાગ્યા હતા.  

    

મૃતકોને વળતર ચૂકવવાની કરાઈ જાહેરાત 

આ ઘટનામાં મૃતકોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મૃતકોને 5 લાખનું વળતર આપવામાં આવશે જ્યારે સારવાર લઈ રહેલા લોકોનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મહત્વનું છે કે આ જે ઘટના બની તેનું જવાબદાર કોણ? એક તરફ લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવે છે તો બીજી તરફ એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં લાખો લોકો હાજરી આપવાના હોય છે. . ઉપરાંત આ કાર્યક્રમમાં લોકો ગરમીથી રક્ષણ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી.  




   



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.