મહારાષ્ટ્રમાં જોવા મળ્યો ગરમીનો પ્રકોપ! ભૂષણ પુરસ્કાર સમારોહમાં હાજર લોકોએ લૂ લાગવાને કારણે ગુમાવ્યો જીવ! સરકારે કરી મૃતકોને વળતર ચૂકવવાની જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-04-17 09:33:15

આ વખતની ગરમી આકરી રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું, અનેક રાજ્યો માટે હિટવેવ તેમજ લૂની આગાહી પણ કરવામાં  આવી હતી. ત્યારે ગરમી અને લૂ લાગવાને કારણે મહારાષ્ટ્રમાં 11 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કામ વગર ઘરની બહાર ન નિકળવાની સલાહ પણ આપવામાં આવતી હોય છે ત્યારે મહારાષ્ટ્રમાં રવિવારે મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર ઈવેન્ટ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સવારના 11.30 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ચાલ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારે ગરમીનું પ્રમાણ વધતા અનેક લોકોની તબિયત લથડી ગઈ હતી. હિટવેવને કારણે અંદાજીત 11 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 24 જેટલા લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

 

મોટી સંખ્યામાં લોકો હતા ઈવેન્ટમાં હાજર!

દેશના અનેક રાજ્યો માટે હિટવેવની આગાહી કરવામાં આવી હતી. તેમજ લૂની આગાહી પણ કરવામાં આવી હતી. અનેક વખત ગરમી તેમજ લૂને કારણે લોકોના મોત થતા હોય છે ત્યારે આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં બની છે. હિટસ્ટ્રોકને કારણે 11 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકોની સારવાર ચાલી રહી છે. આ કાર્યક્રમનું આયોજન નવી મુંબઈના ખારઘરમાં કરાયું હતું જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા.

 


લોકો જ્યાં બેસવાના હતા ત્યાં કરાઈ ન હતી શેડની વ્યવસ્થા! 

આ કાર્યક્રમમાં અમિત શાહે સમાજસેવી દત્તાત્રેય નારાયણને એવોર્ડથી સન્માનિત કર્યા હતા. લાખોની સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. બપોર બાદ ગરમીનું પ્રમાણ વધતા લોકોની તબિયત લથડી હતી. કારણ કે લોકો માટે ખુલ્લા મેદાનમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં લોકોને બેસાડવામાં આવ્યા તે મેદાન પર શેડની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. અચાનક ગરમીનું પ્રમાણ વધતા લોકોની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. અને અનેક લોકોના મોત પણ થયા છે. મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમ સવારે 10.30ની આસપાસ સમાપ્ત થવાનો હતો પરંતુ બપોરના એક વાગ્યા સુધી પણ કાર્યક્રમ પૂરો થયો ન હતો. જેને કારણે ગરમીનું પ્રમાણ વધતું ગયું હતું. ડિહાઈડ્રેશનને કારણે લોકો ચક્કર ખાઈને પડવા લાગ્યા હતા.  

    

મૃતકોને વળતર ચૂકવવાની કરાઈ જાહેરાત 

આ ઘટનામાં મૃતકોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મૃતકોને 5 લાખનું વળતર આપવામાં આવશે જ્યારે સારવાર લઈ રહેલા લોકોનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મહત્વનું છે કે આ જે ઘટના બની તેનું જવાબદાર કોણ? એક તરફ લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવે છે તો બીજી તરફ એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં લાખો લોકો હાજરી આપવાના હોય છે. . ઉપરાંત આ કાર્યક્રમમાં લોકો ગરમીથી રક્ષણ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી.  




   



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.