Bhavngarથી સામે આવ્યો એક વીડિયો જેમાં રેલવે ટ્રેક પરથી સિંહો પસાર થઈ રહ્યા હતા, માલગાડી આવી, સિંહોને જોતા જ લોકો પાયલોટે..


  • Published By :
  • Published Date : 2024-06-17 18:07:40

સિંહોની, વન્ય પ્રાણીઓની સુરક્ષા કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.. વન્ય જીવ કેવી રીતે સુરક્ષિત રહે તે માટે, તેમની સુરક્ષા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ અનેક વખત એવા કિસ્સા સામે આવતા હોય છે જેમાં રેલવે ટ્રેક પર વન્ય પ્રાણી આવી જવાને કારણે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે.. સિંહોના. પ્રાણીઓના મોત થઈ જતા હોય છે. આજે પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ હોત પરંતુ ડ્રાઈવરની સતર્કતાને કારણે અનેક સિંહોના જીવ બચી ગયા.. સિંહો ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા તે જોઈ તાત્કાલિક બ્રેક મારવામાં આવી અને ટ્રેનને રોકી દીધી..   


10 જેટલા સિંહો ટ્રેક પરથી થઈ રહ્યા હતા પસાર 

અનેક વખત સમાચાર સામે આવતા હોય છે કે ટ્રેનની અડફેટે આવી જતા મોતને ભેટતા હોય છે.. આવી દુર્ઘટનાઓને કારણે અનેક વન્ય પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સિંહો આજે પણ કદાચ મોતને ભેટી શકતા જો સમયસર લોકો પાયલટ દ્વારા બ્રેક મારવામાં આવી ના હોત... મળતી માહિતી અનુસાર ભાવનગરના પીપાવાવ પોર્ટ સ્ટેશનથી પીપાવાવ પોર્ટ સાઈડિંગ તરફ માલગાડી જઈ રહી હતી. જે ટ્રેક પર માલગાડી જઈ રહી હતી તે ટ્રેક પરથી 10 જેટલા સિંહો પસાર થઈ રહ્યા હતા. આ જોયા બાદ લોકો પાયલટ દ્વારા ઈમરજન્સી બ્રેક મારવામાં આવી અને સિંહોના ટોળાને પસાર થવા દીધો..



ઈમરજન્સી બ્રેકે બચાવી સિંહોની જાન!

સિંહો ટ્રેક પરથી પસાર થઈ ગયા તે બાદ માલગાડીને આગળ વધારવામાં આવી. ટ્રેનને પીપાવાવ પોર્ટ સાઇડિંગ તરફ લઈ જવામાં આવી હતી. લોકો પાયલોટે આ અંગે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને જાણ કરી હતી. લોકો પાયલટની આ કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર, એડિશનલ ડીવીઝનલ રેલ્વે મેનેજર તેમજ અન્ય અધિકારીએ આ કાર્યની પ્રશંસા કરી છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .