Bhavngarથી સામે આવ્યો એક વીડિયો જેમાં રેલવે ટ્રેક પરથી સિંહો પસાર થઈ રહ્યા હતા, માલગાડી આવી, સિંહોને જોતા જ લોકો પાયલોટે..


  • Published By :
  • Published Date : 2024-06-17 18:07:40

સિંહોની, વન્ય પ્રાણીઓની સુરક્ષા કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.. વન્ય જીવ કેવી રીતે સુરક્ષિત રહે તે માટે, તેમની સુરક્ષા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ અનેક વખત એવા કિસ્સા સામે આવતા હોય છે જેમાં રેલવે ટ્રેક પર વન્ય પ્રાણી આવી જવાને કારણે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે.. સિંહોના. પ્રાણીઓના મોત થઈ જતા હોય છે. આજે પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ હોત પરંતુ ડ્રાઈવરની સતર્કતાને કારણે અનેક સિંહોના જીવ બચી ગયા.. સિંહો ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા તે જોઈ તાત્કાલિક બ્રેક મારવામાં આવી અને ટ્રેનને રોકી દીધી..   


10 જેટલા સિંહો ટ્રેક પરથી થઈ રહ્યા હતા પસાર 

અનેક વખત સમાચાર સામે આવતા હોય છે કે ટ્રેનની અડફેટે આવી જતા મોતને ભેટતા હોય છે.. આવી દુર્ઘટનાઓને કારણે અનેક વન્ય પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સિંહો આજે પણ કદાચ મોતને ભેટી શકતા જો સમયસર લોકો પાયલટ દ્વારા બ્રેક મારવામાં આવી ના હોત... મળતી માહિતી અનુસાર ભાવનગરના પીપાવાવ પોર્ટ સ્ટેશનથી પીપાવાવ પોર્ટ સાઈડિંગ તરફ માલગાડી જઈ રહી હતી. જે ટ્રેક પર માલગાડી જઈ રહી હતી તે ટ્રેક પરથી 10 જેટલા સિંહો પસાર થઈ રહ્યા હતા. આ જોયા બાદ લોકો પાયલટ દ્વારા ઈમરજન્સી બ્રેક મારવામાં આવી અને સિંહોના ટોળાને પસાર થવા દીધો..



ઈમરજન્સી બ્રેકે બચાવી સિંહોની જાન!

સિંહો ટ્રેક પરથી પસાર થઈ ગયા તે બાદ માલગાડીને આગળ વધારવામાં આવી. ટ્રેનને પીપાવાવ પોર્ટ સાઇડિંગ તરફ લઈ જવામાં આવી હતી. લોકો પાયલોટે આ અંગે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને જાણ કરી હતી. લોકો પાયલટની આ કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર, એડિશનલ ડીવીઝનલ રેલ્વે મેનેજર તેમજ અન્ય અધિકારીએ આ કાર્યની પ્રશંસા કરી છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .