Chhotaudepurનાં કવાંટમાં હોળી પછી થાય છે આ ગોળ ફેરિયાનો મેળો!,કેમ આદિવાસી લોકો મેળામાં આવે છે? જુઓ મેળાના વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-28 11:50:41

ભારતને તહેવારોનો, ઉત્સવનો દેશ માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં મેળાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં મેળા યોજાય છે. કહેવાય છે કે મેળા લોકજીવનને ધબકતું રાખે છે. આપણા ગુજરાતમાં પણ મેળાની પરંપરા છે. આદિવાસી લોકોમાં હોળીનું એક અનેરું મહત્વ હોય છે. મેળા દરમિયાન આદિવાસી અલગ અલગ રાજ્યોમાંથી પોતાના ઘરે પોતાના ગામમાં આવે છે. આદિવાસી વિસ્તારોમાં અલગ અલગ મેળાઓ પણ થાય છે. એવો જ એક સુંદર અને અનોખો મેળો કવાંટમાં થાય છે જેને ગોળ ફેરિયાનો મેળો પણ કહેવાય છે. 

આ ગામમાં ભરાય છે કવાંટ મેળો...  

ગુજરાતી સાહિત્યમાં મેળાને માટે અનેક રચના કરવામાં આવી છે. 'મન મળી ગયું એને મેળામાં  હું તો ગઈ'તી.. આ ગીત હોય કે પછી પન્નાલાલ પટેલના મળેલા જીવ નવલકથા. ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ મેળા થાય છે. કવાંટમાં ભરાતા મેળાને ગોળ ફેરિયાનો મેળો પણ કહેવામાં આવે છે. કવાંટ મેળાની વાત કરીએ તો કવાંટ તાલુકાના રૂમડીયા ગામે હોળીના ત્રીજા દિવસે ગોળ ફેરિયાનો મેળો યોજાય છે. જે મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ આવે છે અને મેળાની મજા માણે છે. 



માંચડા પર બાંધેલા દોરડા પર ચાલવાની છે પરંપરા... 

આ મેળાની બીજી ખાસ વાત એ છે કે માનતા રાખેલા લોકો માંચડા પર ચઢીને ગોળ ફેરિયો ફરીને માનતા પૂરી કરતા હોય છે. અહીંયા માંચડા પર બાંધેલા દોરડા પર માનતા રાખેલ વ્યક્તિ જ ફરી શકે છે અને પોતાની માનતા પૂરી કરે છે. બીજી મહત્વની વાત એ છે કે માંચડા પર ચક્કર ફેરવનાર રાઠવા પણ તેમાંય એક ચોક્કસ જ્ઞાતિના લોકો ફેરવતા હોય છે. અને ચક્કર ફરવા વાળા પણ ચોક્કસ જ્ઞાતિના લોકો જ હોય છે. 



ગામના લોકો માને છે કે મેળો ના ભરાય તો...  

૨૦૦ વર્ષ કરતા વધુ સમયથી ચાલી આવતી પરંપરા છે આમ તો જોવામાં ડર લાગે પણ ખુબ અદ્ભૂત આ મેળો થાય છે અને આદિવાસી પરંપરાની ઝાંખી પણ આ મેળામાં દેખાય છે. એટલું જ નહિ ત્યાં રૂમડીયા ગામમાં ભરાતો મેળો ન ભરાય તો ગામમાં કોઈ મોટી આફત અથવા મોટો સંકટ આવે તેવું સ્થાનિક લોકોનું માનવું છે. 



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.