Chhotaudepurનાં કવાંટમાં હોળી પછી થાય છે આ ગોળ ફેરિયાનો મેળો!,કેમ આદિવાસી લોકો મેળામાં આવે છે? જુઓ મેળાના વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-28 11:50:41

ભારતને તહેવારોનો, ઉત્સવનો દેશ માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં મેળાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં મેળા યોજાય છે. કહેવાય છે કે મેળા લોકજીવનને ધબકતું રાખે છે. આપણા ગુજરાતમાં પણ મેળાની પરંપરા છે. આદિવાસી લોકોમાં હોળીનું એક અનેરું મહત્વ હોય છે. મેળા દરમિયાન આદિવાસી અલગ અલગ રાજ્યોમાંથી પોતાના ઘરે પોતાના ગામમાં આવે છે. આદિવાસી વિસ્તારોમાં અલગ અલગ મેળાઓ પણ થાય છે. એવો જ એક સુંદર અને અનોખો મેળો કવાંટમાં થાય છે જેને ગોળ ફેરિયાનો મેળો પણ કહેવાય છે. 

આ ગામમાં ભરાય છે કવાંટ મેળો...  

ગુજરાતી સાહિત્યમાં મેળાને માટે અનેક રચના કરવામાં આવી છે. 'મન મળી ગયું એને મેળામાં  હું તો ગઈ'તી.. આ ગીત હોય કે પછી પન્નાલાલ પટેલના મળેલા જીવ નવલકથા. ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ મેળા થાય છે. કવાંટમાં ભરાતા મેળાને ગોળ ફેરિયાનો મેળો પણ કહેવામાં આવે છે. કવાંટ મેળાની વાત કરીએ તો કવાંટ તાલુકાના રૂમડીયા ગામે હોળીના ત્રીજા દિવસે ગોળ ફેરિયાનો મેળો યોજાય છે. જે મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ આવે છે અને મેળાની મજા માણે છે. 



માંચડા પર બાંધેલા દોરડા પર ચાલવાની છે પરંપરા... 

આ મેળાની બીજી ખાસ વાત એ છે કે માનતા રાખેલા લોકો માંચડા પર ચઢીને ગોળ ફેરિયો ફરીને માનતા પૂરી કરતા હોય છે. અહીંયા માંચડા પર બાંધેલા દોરડા પર માનતા રાખેલ વ્યક્તિ જ ફરી શકે છે અને પોતાની માનતા પૂરી કરે છે. બીજી મહત્વની વાત એ છે કે માંચડા પર ચક્કર ફેરવનાર રાઠવા પણ તેમાંય એક ચોક્કસ જ્ઞાતિના લોકો ફેરવતા હોય છે. અને ચક્કર ફરવા વાળા પણ ચોક્કસ જ્ઞાતિના લોકો જ હોય છે. 



ગામના લોકો માને છે કે મેળો ના ભરાય તો...  

૨૦૦ વર્ષ કરતા વધુ સમયથી ચાલી આવતી પરંપરા છે આમ તો જોવામાં ડર લાગે પણ ખુબ અદ્ભૂત આ મેળો થાય છે અને આદિવાસી પરંપરાની ઝાંખી પણ આ મેળામાં દેખાય છે. એટલું જ નહિ ત્યાં રૂમડીયા ગામમાં ભરાતો મેળો ન ભરાય તો ગામમાં કોઈ મોટી આફત અથવા મોટો સંકટ આવે તેવું સ્થાનિક લોકોનું માનવું છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે