Chhotaudepurનાં કવાંટમાં હોળી પછી થાય છે આ ગોળ ફેરિયાનો મેળો!,કેમ આદિવાસી લોકો મેળામાં આવે છે? જુઓ મેળાના વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-28 11:50:41

ભારતને તહેવારોનો, ઉત્સવનો દેશ માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં મેળાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં મેળા યોજાય છે. કહેવાય છે કે મેળા લોકજીવનને ધબકતું રાખે છે. આપણા ગુજરાતમાં પણ મેળાની પરંપરા છે. આદિવાસી લોકોમાં હોળીનું એક અનેરું મહત્વ હોય છે. મેળા દરમિયાન આદિવાસી અલગ અલગ રાજ્યોમાંથી પોતાના ઘરે પોતાના ગામમાં આવે છે. આદિવાસી વિસ્તારોમાં અલગ અલગ મેળાઓ પણ થાય છે. એવો જ એક સુંદર અને અનોખો મેળો કવાંટમાં થાય છે જેને ગોળ ફેરિયાનો મેળો પણ કહેવાય છે. 

આ ગામમાં ભરાય છે કવાંટ મેળો...  

ગુજરાતી સાહિત્યમાં મેળાને માટે અનેક રચના કરવામાં આવી છે. 'મન મળી ગયું એને મેળામાં  હું તો ગઈ'તી.. આ ગીત હોય કે પછી પન્નાલાલ પટેલના મળેલા જીવ નવલકથા. ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ મેળા થાય છે. કવાંટમાં ભરાતા મેળાને ગોળ ફેરિયાનો મેળો પણ કહેવામાં આવે છે. કવાંટ મેળાની વાત કરીએ તો કવાંટ તાલુકાના રૂમડીયા ગામે હોળીના ત્રીજા દિવસે ગોળ ફેરિયાનો મેળો યોજાય છે. જે મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ આવે છે અને મેળાની મજા માણે છે. 



માંચડા પર બાંધેલા દોરડા પર ચાલવાની છે પરંપરા... 

આ મેળાની બીજી ખાસ વાત એ છે કે માનતા રાખેલા લોકો માંચડા પર ચઢીને ગોળ ફેરિયો ફરીને માનતા પૂરી કરતા હોય છે. અહીંયા માંચડા પર બાંધેલા દોરડા પર માનતા રાખેલ વ્યક્તિ જ ફરી શકે છે અને પોતાની માનતા પૂરી કરે છે. બીજી મહત્વની વાત એ છે કે માંચડા પર ચક્કર ફેરવનાર રાઠવા પણ તેમાંય એક ચોક્કસ જ્ઞાતિના લોકો ફેરવતા હોય છે. અને ચક્કર ફરવા વાળા પણ ચોક્કસ જ્ઞાતિના લોકો જ હોય છે. 



ગામના લોકો માને છે કે મેળો ના ભરાય તો...  

૨૦૦ વર્ષ કરતા વધુ સમયથી ચાલી આવતી પરંપરા છે આમ તો જોવામાં ડર લાગે પણ ખુબ અદ્ભૂત આ મેળો થાય છે અને આદિવાસી પરંપરાની ઝાંખી પણ આ મેળામાં દેખાય છે. એટલું જ નહિ ત્યાં રૂમડીયા ગામમાં ભરાતો મેળો ન ભરાય તો ગામમાં કોઈ મોટી આફત અથવા મોટો સંકટ આવે તેવું સ્થાનિક લોકોનું માનવું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.