અંધેરી પૂર્વ પેટાચૂંટણી: શિવસેનાના ઉમેદવાર ઋતુજા લટકે જીત્યા, બીજા નંબરે સૌથી વધુ NOTAને મત મળ્યા


  • Published By :
  • Published Date : 2022-11-06 15:29:42

અંધેરી પૂર્વ પેટાચૂંટણીમાં આ વખતે શિવસેનાના ઉમેદવાર ઋતુજા લટકેએ જીત મેળવી છે. બીજા નંબરે સૌથી વધુ મત NOTA ને મળ્યા છે. કાનૂની લડાઈ બાદ સ્વર્ગસ્થ રમેશ લટકેની પત્ની ઋતુજા લટકેએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે તેમની જીત પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવી રહી હતી, કારણ કે આ પેટાચૂંટણીમાં કોઈપણ મોટા પક્ષે પોતાનો ઉમેદવાર ઉતાર્યો ન હતો. 


હરીફ ઉમેદવાર ન હોવાથી જીત નક્કી હતી


ભાજપ અને એકનાથ શિંદે જૂથ વતી મુરજી પટેલ ચોક્કસપણે ચૂંટણી મેદાનમાં હતા. છેલ્લે, રાજકીય પરંપરાને ટાંકીને તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ એક પત્ર લખીને દેવેન્દ્ર ફડણવીસને તેમના ઉમેદવાર પાછા ખેંચવાની વિનંતી કરી હતી, જો કે કેટલાક અપક્ષ ઉમેદવારો ચોક્કસપણે મેદાનમાં હતા, પરંતુ તેમના માટે આ ચૂંટણી જીતવી ઘણી મુશ્કેલ હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.