અંધેરી પૂર્વ પેટાચૂંટણી: શિવસેનાના ઉમેદવાર ઋતુજા લટકે જીત્યા, બીજા નંબરે સૌથી વધુ NOTAને મત મળ્યા


  • Published By :
  • Published Date : 2022-11-06 15:29:42

અંધેરી પૂર્વ પેટાચૂંટણીમાં આ વખતે શિવસેનાના ઉમેદવાર ઋતુજા લટકેએ જીત મેળવી છે. બીજા નંબરે સૌથી વધુ મત NOTA ને મળ્યા છે. કાનૂની લડાઈ બાદ સ્વર્ગસ્થ રમેશ લટકેની પત્ની ઋતુજા લટકેએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે તેમની જીત પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવી રહી હતી, કારણ કે આ પેટાચૂંટણીમાં કોઈપણ મોટા પક્ષે પોતાનો ઉમેદવાર ઉતાર્યો ન હતો. 


હરીફ ઉમેદવાર ન હોવાથી જીત નક્કી હતી


ભાજપ અને એકનાથ શિંદે જૂથ વતી મુરજી પટેલ ચોક્કસપણે ચૂંટણી મેદાનમાં હતા. છેલ્લે, રાજકીય પરંપરાને ટાંકીને તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ એક પત્ર લખીને દેવેન્દ્ર ફડણવીસને તેમના ઉમેદવાર પાછા ખેંચવાની વિનંતી કરી હતી, જો કે કેટલાક અપક્ષ ઉમેદવારો ચોક્કસપણે મેદાનમાં હતા, પરંતુ તેમના માટે આ ચૂંટણી જીતવી ઘણી મુશ્કેલ હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.