ત્રણ રાજ્યો માટે BJPએ કરી નિરીક્ષકોની નિમણૂંક, જલ્દી સામે આવી શકે છે મુખ્યમંત્રીના નામ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-08 12:32:34

પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસની જીત તેલંગાણામાં થઈ છે. મુખ્યમંત્રીની પસંદગી ટૂંક સમયમાં થઈ જશે તેવું લાગે છે કારણ કે બીજેપીએ ત્રણેય રાજ્યો માટે સુપરવાઈઝરની જાહેરાત કરી છે. રાજસ્થાનના નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે, સરોજ પાંડેની પસંદગી કરવામાં આવી છે. મધ્યપ્રદેશની જવાબદારી મનોહરલાલ ખટ્ટર, આશા લખેડા તેમજ કે લક્ષ્મણને સોંપાઈ છે. છત્તીસગઢ માટે અર્જુન મુંડા, સર્વાનંદ સોનોવાલ, દુષ્યંત કુમારને સુપરવાઈઝર બનાવવામાં આવ્યા છે.    

દિલ્હી ખાતે મુખ્યમંત્રીને લઈ ચાલી રહ્યું છે મનોમંથન! 

ત્રણ રાજ્યોમાં બીજેપીની જીત થઈ છે. મુખ્યમંત્રીના ચહેરા વગર ત્રણેય રાજ્યોમાં ચૂંટણી લડવામાં આવી, ત્રણેય રાજ્યોમાં બીજેપીએ બાજી મારી. મુખ્યમંત્રી તરીકે કોની પંસદગી કરવામાં આવે છે તે પર સૌ કોઈની નજર રહેલી છે. કોને સત્તાની કમાન બીજેપી સોંપશે તે માટે છેલ્લા અનેક દિવસોથી વિચારણા ચાલી રહી છે. દિલ્હી ખાતે આને લઈ બેઠકોનો દોર ચાલી રહ્યા છે. તેલંગાણામાં મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લીધા છે પરંતુ રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશની કમાન કોણ સંભાળશે તે અંગે ચર્ચાઓ થઈ રહી છે. પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે ત્રણેય રાજ્યો માટે ભાજપે નિરીક્ષકોની જાહેરાત કરી દીધી છે. 

Did Modi Cut The Leaf Of Vasundhara Raje In The Assembly Elections To Be  Held In Rajasthan? | Rajasthan में होने वाले विधानसभा चुनाव में क्या Modi  ने Vasundhara Raje का पत्ता

Diya Kumari: Rajasthan royal is burning bright in BJP

શું શિવરાજ સિંહ ચૌહાણ આ વખતે વિધાનસભા ચૂંટણી નહીં લડે? | chitralekha


નિરીક્ષક તરીકેની આમને સોંપાઈ જવાબદારી 

રાજસ્થાનના નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે, સરોજ પાંડેની પસંદગી કરવામાં આવી છે. મધ્યપ્રદેશની જવાબદારી મનોહરલાલ ખટ્ટર, આશા લખેડા તેમજ કે લક્ષ્મણને સોંપાઈ છે. છત્તીસગઢ માટે અર્જુન મુંડા, સર્વાનંદ સોનોવાલ, દુષ્યંત કુમારને સુપરવાઈઝર બનાવવામાં આવ્યા છે. જો ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીના દાવેદારોની વાત કરીએ તો રાજસ્થાનમાં મુખ્યમંત્રીની રેસમાં વસુંધરા રાજે, અશ્વિની વૈષ્ણવ, ઓમ બિરલા, ગજેન્દ્ર શેખાવત. દિયા કુમારી જેવા નામોને લઈ ચર્ચા ચાલી રહી છે. તો છત્તીસગઢમાં રેણુકા સિંહ, અરૂણ સાવના જેવા નામોની ચર્ચા થઈ રહી છે. મધ્યપ્રદેશમાં પણ મુખ્યમંત્રીને લઈ શિવરાજસિંહ ચૌહાણ, નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ જેવા નામો ચર્ચા છે. ત્યારે જોવું એ રહ્યું કે જે નામો ચર્ચા હમણા ચાલી રહી છે તેમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવાય છે કે કોઈ નવા ચહેરાને લાવવામાં આવે છે તે આવનાર સમયમાં ખબર પડશે. 



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..