ત્રણ રાજ્યો માટે BJPએ કરી નિરીક્ષકોની નિમણૂંક, જલ્દી સામે આવી શકે છે મુખ્યમંત્રીના નામ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-08 12:32:34

પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસની જીત તેલંગાણામાં થઈ છે. મુખ્યમંત્રીની પસંદગી ટૂંક સમયમાં થઈ જશે તેવું લાગે છે કારણ કે બીજેપીએ ત્રણેય રાજ્યો માટે સુપરવાઈઝરની જાહેરાત કરી છે. રાજસ્થાનના નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે, સરોજ પાંડેની પસંદગી કરવામાં આવી છે. મધ્યપ્રદેશની જવાબદારી મનોહરલાલ ખટ્ટર, આશા લખેડા તેમજ કે લક્ષ્મણને સોંપાઈ છે. છત્તીસગઢ માટે અર્જુન મુંડા, સર્વાનંદ સોનોવાલ, દુષ્યંત કુમારને સુપરવાઈઝર બનાવવામાં આવ્યા છે.    

દિલ્હી ખાતે મુખ્યમંત્રીને લઈ ચાલી રહ્યું છે મનોમંથન! 

ત્રણ રાજ્યોમાં બીજેપીની જીત થઈ છે. મુખ્યમંત્રીના ચહેરા વગર ત્રણેય રાજ્યોમાં ચૂંટણી લડવામાં આવી, ત્રણેય રાજ્યોમાં બીજેપીએ બાજી મારી. મુખ્યમંત્રી તરીકે કોની પંસદગી કરવામાં આવે છે તે પર સૌ કોઈની નજર રહેલી છે. કોને સત્તાની કમાન બીજેપી સોંપશે તે માટે છેલ્લા અનેક દિવસોથી વિચારણા ચાલી રહી છે. દિલ્હી ખાતે આને લઈ બેઠકોનો દોર ચાલી રહ્યા છે. તેલંગાણામાં મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લીધા છે પરંતુ રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશની કમાન કોણ સંભાળશે તે અંગે ચર્ચાઓ થઈ રહી છે. પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે ત્રણેય રાજ્યો માટે ભાજપે નિરીક્ષકોની જાહેરાત કરી દીધી છે. 

Did Modi Cut The Leaf Of Vasundhara Raje In The Assembly Elections To Be  Held In Rajasthan? | Rajasthan में होने वाले विधानसभा चुनाव में क्या Modi  ने Vasundhara Raje का पत्ता

Diya Kumari: Rajasthan royal is burning bright in BJP

શું શિવરાજ સિંહ ચૌહાણ આ વખતે વિધાનસભા ચૂંટણી નહીં લડે? | chitralekha


નિરીક્ષક તરીકેની આમને સોંપાઈ જવાબદારી 

રાજસ્થાનના નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે, સરોજ પાંડેની પસંદગી કરવામાં આવી છે. મધ્યપ્રદેશની જવાબદારી મનોહરલાલ ખટ્ટર, આશા લખેડા તેમજ કે લક્ષ્મણને સોંપાઈ છે. છત્તીસગઢ માટે અર્જુન મુંડા, સર્વાનંદ સોનોવાલ, દુષ્યંત કુમારને સુપરવાઈઝર બનાવવામાં આવ્યા છે. જો ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીના દાવેદારોની વાત કરીએ તો રાજસ્થાનમાં મુખ્યમંત્રીની રેસમાં વસુંધરા રાજે, અશ્વિની વૈષ્ણવ, ઓમ બિરલા, ગજેન્દ્ર શેખાવત. દિયા કુમારી જેવા નામોને લઈ ચર્ચા ચાલી રહી છે. તો છત્તીસગઢમાં રેણુકા સિંહ, અરૂણ સાવના જેવા નામોની ચર્ચા થઈ રહી છે. મધ્યપ્રદેશમાં પણ મુખ્યમંત્રીને લઈ શિવરાજસિંહ ચૌહાણ, નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ જેવા નામો ચર્ચા છે. ત્યારે જોવું એ રહ્યું કે જે નામો ચર્ચા હમણા ચાલી રહી છે તેમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવાય છે કે કોઈ નવા ચહેરાને લાવવામાં આવે છે તે આવનાર સમયમાં ખબર પડશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.