ત્રણ રાજ્યો માટે BJPએ કરી નિરીક્ષકોની નિમણૂંક, જલ્દી સામે આવી શકે છે મુખ્યમંત્રીના નામ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-08 12:32:34

પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસની જીત તેલંગાણામાં થઈ છે. મુખ્યમંત્રીની પસંદગી ટૂંક સમયમાં થઈ જશે તેવું લાગે છે કારણ કે બીજેપીએ ત્રણેય રાજ્યો માટે સુપરવાઈઝરની જાહેરાત કરી છે. રાજસ્થાનના નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે, સરોજ પાંડેની પસંદગી કરવામાં આવી છે. મધ્યપ્રદેશની જવાબદારી મનોહરલાલ ખટ્ટર, આશા લખેડા તેમજ કે લક્ષ્મણને સોંપાઈ છે. છત્તીસગઢ માટે અર્જુન મુંડા, સર્વાનંદ સોનોવાલ, દુષ્યંત કુમારને સુપરવાઈઝર બનાવવામાં આવ્યા છે.    

દિલ્હી ખાતે મુખ્યમંત્રીને લઈ ચાલી રહ્યું છે મનોમંથન! 

ત્રણ રાજ્યોમાં બીજેપીની જીત થઈ છે. મુખ્યમંત્રીના ચહેરા વગર ત્રણેય રાજ્યોમાં ચૂંટણી લડવામાં આવી, ત્રણેય રાજ્યોમાં બીજેપીએ બાજી મારી. મુખ્યમંત્રી તરીકે કોની પંસદગી કરવામાં આવે છે તે પર સૌ કોઈની નજર રહેલી છે. કોને સત્તાની કમાન બીજેપી સોંપશે તે માટે છેલ્લા અનેક દિવસોથી વિચારણા ચાલી રહી છે. દિલ્હી ખાતે આને લઈ બેઠકોનો દોર ચાલી રહ્યા છે. તેલંગાણામાં મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લીધા છે પરંતુ રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશની કમાન કોણ સંભાળશે તે અંગે ચર્ચાઓ થઈ રહી છે. પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે ત્રણેય રાજ્યો માટે ભાજપે નિરીક્ષકોની જાહેરાત કરી દીધી છે. 

Did Modi Cut The Leaf Of Vasundhara Raje In The Assembly Elections To Be  Held In Rajasthan? | Rajasthan में होने वाले विधानसभा चुनाव में क्या Modi  ने Vasundhara Raje का पत्ता

Diya Kumari: Rajasthan royal is burning bright in BJP

શું શિવરાજ સિંહ ચૌહાણ આ વખતે વિધાનસભા ચૂંટણી નહીં લડે? | chitralekha


નિરીક્ષક તરીકેની આમને સોંપાઈ જવાબદારી 

રાજસ્થાનના નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે, સરોજ પાંડેની પસંદગી કરવામાં આવી છે. મધ્યપ્રદેશની જવાબદારી મનોહરલાલ ખટ્ટર, આશા લખેડા તેમજ કે લક્ષ્મણને સોંપાઈ છે. છત્તીસગઢ માટે અર્જુન મુંડા, સર્વાનંદ સોનોવાલ, દુષ્યંત કુમારને સુપરવાઈઝર બનાવવામાં આવ્યા છે. જો ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીના દાવેદારોની વાત કરીએ તો રાજસ્થાનમાં મુખ્યમંત્રીની રેસમાં વસુંધરા રાજે, અશ્વિની વૈષ્ણવ, ઓમ બિરલા, ગજેન્દ્ર શેખાવત. દિયા કુમારી જેવા નામોને લઈ ચર્ચા ચાલી રહી છે. તો છત્તીસગઢમાં રેણુકા સિંહ, અરૂણ સાવના જેવા નામોની ચર્ચા થઈ રહી છે. મધ્યપ્રદેશમાં પણ મુખ્યમંત્રીને લઈ શિવરાજસિંહ ચૌહાણ, નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ જેવા નામો ચર્ચા છે. ત્યારે જોવું એ રહ્યું કે જે નામો ચર્ચા હમણા ચાલી રહી છે તેમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવાય છે કે કોઈ નવા ચહેરાને લાવવામાં આવે છે તે આવનાર સમયમાં ખબર પડશે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે