ત્રણ રાજ્યો માટે BJPએ કરી નિરીક્ષકોની નિમણૂંક, જલ્દી સામે આવી શકે છે મુખ્યમંત્રીના નામ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-08 12:32:34

પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસની જીત તેલંગાણામાં થઈ છે. મુખ્યમંત્રીની પસંદગી ટૂંક સમયમાં થઈ જશે તેવું લાગે છે કારણ કે બીજેપીએ ત્રણેય રાજ્યો માટે સુપરવાઈઝરની જાહેરાત કરી છે. રાજસ્થાનના નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે, સરોજ પાંડેની પસંદગી કરવામાં આવી છે. મધ્યપ્રદેશની જવાબદારી મનોહરલાલ ખટ્ટર, આશા લખેડા તેમજ કે લક્ષ્મણને સોંપાઈ છે. છત્તીસગઢ માટે અર્જુન મુંડા, સર્વાનંદ સોનોવાલ, દુષ્યંત કુમારને સુપરવાઈઝર બનાવવામાં આવ્યા છે.    

દિલ્હી ખાતે મુખ્યમંત્રીને લઈ ચાલી રહ્યું છે મનોમંથન! 

ત્રણ રાજ્યોમાં બીજેપીની જીત થઈ છે. મુખ્યમંત્રીના ચહેરા વગર ત્રણેય રાજ્યોમાં ચૂંટણી લડવામાં આવી, ત્રણેય રાજ્યોમાં બીજેપીએ બાજી મારી. મુખ્યમંત્રી તરીકે કોની પંસદગી કરવામાં આવે છે તે પર સૌ કોઈની નજર રહેલી છે. કોને સત્તાની કમાન બીજેપી સોંપશે તે માટે છેલ્લા અનેક દિવસોથી વિચારણા ચાલી રહી છે. દિલ્હી ખાતે આને લઈ બેઠકોનો દોર ચાલી રહ્યા છે. તેલંગાણામાં મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લીધા છે પરંતુ રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશની કમાન કોણ સંભાળશે તે અંગે ચર્ચાઓ થઈ રહી છે. પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે ત્રણેય રાજ્યો માટે ભાજપે નિરીક્ષકોની જાહેરાત કરી દીધી છે. 

Did Modi Cut The Leaf Of Vasundhara Raje In The Assembly Elections To Be  Held In Rajasthan? | Rajasthan में होने वाले विधानसभा चुनाव में क्या Modi  ने Vasundhara Raje का पत्ता

Diya Kumari: Rajasthan royal is burning bright in BJP

શું શિવરાજ સિંહ ચૌહાણ આ વખતે વિધાનસભા ચૂંટણી નહીં લડે? | chitralekha


નિરીક્ષક તરીકેની આમને સોંપાઈ જવાબદારી 

રાજસ્થાનના નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે, સરોજ પાંડેની પસંદગી કરવામાં આવી છે. મધ્યપ્રદેશની જવાબદારી મનોહરલાલ ખટ્ટર, આશા લખેડા તેમજ કે લક્ષ્મણને સોંપાઈ છે. છત્તીસગઢ માટે અર્જુન મુંડા, સર્વાનંદ સોનોવાલ, દુષ્યંત કુમારને સુપરવાઈઝર બનાવવામાં આવ્યા છે. જો ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીના દાવેદારોની વાત કરીએ તો રાજસ્થાનમાં મુખ્યમંત્રીની રેસમાં વસુંધરા રાજે, અશ્વિની વૈષ્ણવ, ઓમ બિરલા, ગજેન્દ્ર શેખાવત. દિયા કુમારી જેવા નામોને લઈ ચર્ચા ચાલી રહી છે. તો છત્તીસગઢમાં રેણુકા સિંહ, અરૂણ સાવના જેવા નામોની ચર્ચા થઈ રહી છે. મધ્યપ્રદેશમાં પણ મુખ્યમંત્રીને લઈ શિવરાજસિંહ ચૌહાણ, નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ જેવા નામો ચર્ચા છે. ત્યારે જોવું એ રહ્યું કે જે નામો ચર્ચા હમણા ચાલી રહી છે તેમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવાય છે કે કોઈ નવા ચહેરાને લાવવામાં આવે છે તે આવનાર સમયમાં ખબર પડશે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.