Breaking News : શરદ પવારે NCPના પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપવાની કરી જાહેરાત! રાજીનામાથી ઉભા થયા અનેક તર્ક-વિતર્ક!


  • Published By :
  • Published Date : 2023-05-02 13:51:23

છેલ્લા ઘણા સમયથી એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલ પાથલ થવાની છે. મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. એનસીપીના અધ્યક્ષ શરદ પવારે મંગળવારે અધ્યક્ષ પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. શરદ પવારના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા વાતો વાતોમાં શરદ પવારે આ મામલે હિંટ આપી દીધી હતી.શરદ પવારે કહ્યું હતું કે રોટલી ફેરવવાનો સમય આવી ગયો છે. મને કોઈએ કહ્યું કે રોટલી યોગ્ય સમયે ફેરવવી પડે છે. જો ઉલટાવી લેવામાં ન આવે તો તે કડક બની જાય છે.     

  

નિર્ણય પાછો લેવા કાર્યકરોએ શરદ પવારને કર્યો અનુરોધ! 

શરદ પવારે મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે તેમની રાજકીય આત્મકથા 'લોક માજે સંગાતિ'ની સુધારેલી આવૃત્તિના વિમોચન સમારોહમાં આ જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં શરદ પવારે નિવૃતિની જાહેરાત કરતાની સાથે જ સામે હાજર NCP કાર્યકર્તાઓએ આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો હતો. કાર્યકરોએ એવું વલણ અપનાવ્યું હતું કે જ્યાં સુધી શરદ પવાર પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે ત્યાં સુધી તેઓ ગૃહની બહાર નહીં જાય. શરદ પવારે નિવૃત્તિની જાહેરાત કરતાની સાથે જ હોલમાં ઘણા નેતાઓ અને કાર્યકરોની આંખમાં આંસુ આવી ગયા હતા. ધનંજય મુંડે સહિત કેટલાક નેતાઓએ મંચ પર જઈને શરદ પવારના પગ પકડી લીધા હતા.


અજીત પવાર અનેક ધારાસભ્યો સાથે ભાજપમાં થઈ શકે છે સામેલ! 

શરદ પવારની આ જાહેરાત તેવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસ પહેલા એનસીપીમાં તીરાડ પડી હતી...  કવિતા એવી રીતે હતી કે શરદ પવારના ભત્રીજા અજીત પવાર એનસીપીના ઘણા ધારાસભ્યોને લઈને ભાજપમાં સામેલ થઈ શકે છે... અજિત પવારના બળવાને એનસીપીનું કોઈ સમર્થન નહોતું તેવું શરદ પવારે ખુદ ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું હતું... શરદ પવારને તે દિવસે વહેલી સવારે 6.30 વાગ્યે અજીત પવારના બળવાની જાણ થઈ હતી... તેમના માટે આ એક મોટો આઘાત હતો પરંતુ જેવી તેમને આ વાતની જાણ થઈ, તેમણે ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને કહ્યું કે બળવાને NCP દ્વારા સમર્થન નથી. અજિત પવારે વધારે વાત કરી ન હતી. પરંતુ આ રોષને ઢાંકવો જરૂરી હતો. 


24 વર્ષથી એનસીપીના છે અધ્યક્ષ! 

શરદ પવાર 82 વર્ષના છે અને ઘણા લાંબા સમયથી રાજનીતિમાં છે... તેમનું માનવું છે કે બહુ થયું હવે મારે પાર્ટીની કમાન બીજા નેતાના હાથમાં આપવી જોઈએ... શરદ પવારે કહ્યું 1960થી મારા રાજનીતિના જીવનની શરૂઆત ચાલુ થઈ અને અત્યાર સુધી ચાલુ છે.. 1999માં તે કોંગ્રેસ છોડી એનસીપીના અધ્યક્ષ બન્યા તેના 24 વર્ષ થઈ ગયા છે.. ત્યારથી અત્યાર સુધી તેમની રાજનીતિ બેરોકટોક રહી હતી..


અજીત પવારે આપી પ્રતિક્રિયા!

અજીત પવારે પણ આ બાબતે પોતાનું વર્ઝન આપ્યું હતું... તેમણે કહ્યું કે "જે થયું તે ખોટું થયું, તે ન થવું જોઈતું હતું." અજીત પવારે બળવા સમયે શરદ પવારની પત્ની પ્રતિભા પવારની માફી માંગી હતી કારણ કે મામલો પારિવારિક હતો....


લોકસભા ચૂંટણી પહેલા શરદ પવારે કરી જાહેરાત!

શરદ પવારના રાજીનામાની જાહેરાત બાદ પાર્ટીના કાર્યકર્તાઓ હેરાન થઈ ગયા હતા. પાર્ટીના કાર્યકર્તાઓએ આ નિર્ણયને પાછો લેવાની માગણી કરી હતી. તે સિવાય અનેક નેતાઓ શરદ પવારને મનાવતા નજરે પડ્યા હતા. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે રાજકીય પાર્ટીઓ લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.