કેરોલિન બર્ટોઝી, મોર્ટેન મિલ્ડોલ અને કે. બેરી શાર્પલેસને મળ્યું કેમેસ્ટ્રીનું નોબેલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 21:13:09

સ્વીડનના સ્ટોકહોમમાં નોબેલ સમિતિએ બુધવારે રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરી હતી. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કેરોલિન બર્ટોઝી, સ્ક્રિપ્સ રિસર્ચના કે. બેરી શાર્પલેસ અને ડેનમાર્કની યુનિવર્સિટી ઓફ કોપનહેગનના મોર્ટેન મિલ્ડોલને સંયુક્ત રીતે આ સન્માન આપવામાં આવ્યું છે. ત્રણેયને રસાયણશાસ્ત્રની મહત્વની શોધ - 'ક્લિક કેમિસ્ટ્રી' માટે આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ વૈજ્ઞાનિકોની શોધ કેટલી મહત્ત્વની છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજે દવાઓના ઉત્પાદનમાં, દર્દીઓના નિદાનમાં અને નવા પદાર્થોના ઉત્પાદનમાં પણ 'ક્લિક કેમિસ્ટ્રી'નો મહત્ત્વનો ફાળો છે.


ત્રણેય વૈજ્ઞાનિકોની સંશોધન શું છે?


'ક્લિક કેમિસ્ટ્રી' એ નવા અણુઓ (મોલિક્યૂલ્સ) બનાવવા માટે અણુઓને એકસાથે જોડવાની પ્રક્રિયા છે. ધારો કે તમે નાના અણુઓને એકસાથે ભેળવી શકો અને પછી તેમને સતત મેળવીને મોટા, જટિલ અને વૈવિધ્યસભર અણુઓ (મોલિક્યૂલ્સ) બનાવી શકો. તેનાથી નવા પદાર્થ બનાવવાનું ખૂબ સરળ બની જાય છે. 'ક્લિક કેમિસ્ટ્રી' આ જ મોટો આધાર છે. જો કે, બે અલગ-અલગ અણુઓ વચ્ચેની પ્રતિક્રિયા હંમેશા ચોક્કસ હોતી નથી.


'ક્લિક કેમિસ્ટ્રી' નો કયાં ક્ષેત્રમાં ઉપયોગ થાય છે?


ક્લિક કેમિસ્ટ્રીનો ઉપયોગ ફાર્માસ્યૂટિકલ્સના વિકાસમાં, DNAની મેપિંગ અને વધુ ઉપયોગી વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે. બાયો ઓર્થોગોનલ પ્રતિક્રિયાઓનો ઉપયોગ કરીને શોધકર્તાઓએ કેન્સર ફાર્માસ્યૂટિકલ્સના ટારગેટિંગમાં સુધારો કર્યો છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .