કેરોલિન બર્ટોઝી, મોર્ટેન મિલ્ડોલ અને કે. બેરી શાર્પલેસને મળ્યું કેમેસ્ટ્રીનું નોબેલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 21:13:09

સ્વીડનના સ્ટોકહોમમાં નોબેલ સમિતિએ બુધવારે રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરી હતી. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કેરોલિન બર્ટોઝી, સ્ક્રિપ્સ રિસર્ચના કે. બેરી શાર્પલેસ અને ડેનમાર્કની યુનિવર્સિટી ઓફ કોપનહેગનના મોર્ટેન મિલ્ડોલને સંયુક્ત રીતે આ સન્માન આપવામાં આવ્યું છે. ત્રણેયને રસાયણશાસ્ત્રની મહત્વની શોધ - 'ક્લિક કેમિસ્ટ્રી' માટે આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ વૈજ્ઞાનિકોની શોધ કેટલી મહત્ત્વની છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજે દવાઓના ઉત્પાદનમાં, દર્દીઓના નિદાનમાં અને નવા પદાર્થોના ઉત્પાદનમાં પણ 'ક્લિક કેમિસ્ટ્રી'નો મહત્ત્વનો ફાળો છે.


ત્રણેય વૈજ્ઞાનિકોની સંશોધન શું છે?


'ક્લિક કેમિસ્ટ્રી' એ નવા અણુઓ (મોલિક્યૂલ્સ) બનાવવા માટે અણુઓને એકસાથે જોડવાની પ્રક્રિયા છે. ધારો કે તમે નાના અણુઓને એકસાથે ભેળવી શકો અને પછી તેમને સતત મેળવીને મોટા, જટિલ અને વૈવિધ્યસભર અણુઓ (મોલિક્યૂલ્સ) બનાવી શકો. તેનાથી નવા પદાર્થ બનાવવાનું ખૂબ સરળ બની જાય છે. 'ક્લિક કેમિસ્ટ્રી' આ જ મોટો આધાર છે. જો કે, બે અલગ-અલગ અણુઓ વચ્ચેની પ્રતિક્રિયા હંમેશા ચોક્કસ હોતી નથી.


'ક્લિક કેમિસ્ટ્રી' નો કયાં ક્ષેત્રમાં ઉપયોગ થાય છે?


ક્લિક કેમિસ્ટ્રીનો ઉપયોગ ફાર્માસ્યૂટિકલ્સના વિકાસમાં, DNAની મેપિંગ અને વધુ ઉપયોગી વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે. બાયો ઓર્થોગોનલ પ્રતિક્રિયાઓનો ઉપયોગ કરીને શોધકર્તાઓએ કેન્સર ફાર્માસ્યૂટિકલ્સના ટારગેટિંગમાં સુધારો કર્યો છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .