સર્વોચ્ચ અદાલતે 26 સપ્તાહની સગર્ભાની એબોર્શનની માંગ કરતી અરજી ફગાવી, સુપ્રીમે આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2023-10-16 22:32:53

દેશની સર્વોચ્ચ અદાલતે એક મહિલાના 26 સપ્તાહના ગર્ભને પાડવાની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ગર્ભવતી મહિલાએ અબૉર્શન માટે એક અરજી દાખલ કરી હતી, જેના પર લાંબી સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ પહેલા કોર્ટે કહ્યું હતું કે- અમે એક જીવનને ખતમ કરવાની મંજૂરી ન આપી શકીએ. કોર્ટે સુનાવણી દરમિયાન એમ પણ કહ્યું કે- બાળકની સ્થિતિ એકદમ યોગ્ય છે અને તેનો જન્મ થવો જ જોઈએ. જો મહિલા બાળકને નથી રાખવા માગતી તો તે સરકારને સોંપી શકે છે અને તે બાળકનું ધ્યાન રાખશે. 


શા માટે ફગાવી માગ?


સુપ્રીમ કોર્ટેની બેન્ચે ગર્ભવતી મહિલાની માગ ફગાવતા કહ્યું હતું કે ભ્રૂણ 26 સપ્તાહ 5 દિવસનું છે. માતા અને બાળકને કોઈ જ ખતરો નથી. ભ્રૂણનો ગ્રોથ એકદમ સામાન્ય છે. તેથી તેણ જન્મ લેવા દેવો જોઈએ.આ પહેલા કોર્ટે AIIMSના રિપોર્ટ પર વિચાર કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મહિલાની તબિયત સામાન્ય છે. તેઓ બાળકના જન્મ બાદ તેની સારસંભાળ રાખવાની સ્થિતિમાં છે. હોસ્પિટલે કહ્યું કે મહિલા અને તેના શરીરમાં ઉછરી રહેલા બાળકને યોગ્ય દેખભાળ રાખવામાં આવી રહી છે. બંનેમાં કોઈ ઉણપ નથી અને ભ્રૂણ યોગ્ય રીતે વિકસિત થઈ રહ્યું છે. AIIMSના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે- તેવું જાણવા મળ્યું છે કે મહિલા અને તેના ભ્રૂણની સ્થિતિ યોગ્ય છે. તેણે પ્રોપર મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. બંનેની સ્થિતિ યોગ્ય છે અને બાળકના જન્મ બાદ પણ કોઈ પરેશાન નહીં આવે. જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે તો મહિલા તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરી શકાય છે.


કાયદા મુજબ 24 સપ્તાહથી વધુના ગર્ભનું એબોર્શન ન કરી શકાય


સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિડ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ જેબી પારડીવાલા તેમજ જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે AIIMSના રિપોર્ટ બાદ કહ્યું કે- જો મહિલા બાળકને પોતાની પાસે નથી રાખવા માગતું તો પછી જન્મ પછી સરકારને સોંપી શકે છે. મહિલાનું કહેવું હતું તેની માનસિક સ્થિતિ યોગ્ય નથી અને તે અનેક બીમારીઓનો સામનો કરી રહી છે. એવામાં બાળકને જન્મ આપવાની સ્થિતિમાં નથી અને તેણે 26 સપ્તાહના ભ્રૂણના ગર્ભપાતની મંજૂરી મળવી જોઈએ. ભારતના કાયદા મુજબ 24 સપ્તાહથી વધુના ભ્રૂણને દૂર ન કરી શકાય, તે માટે કાયદાકીય રીતે મંજૂરી મળ્યા બાદ જ ડોકટર અને સંબંધિત લોકો કોઈ નિર્ણય લઈ શકે છે.આ મામલે 11 ઓક્ટોબરે બે સભ્યની બેંચમાં નિર્ણયને લઈને સહમતિ બની શકી ન હતી. જેનું કારણ એ હતું કે બંને જજની ભલામણ અલગ હતી. જસ્ટિસ હિમા કોહલીનું કહેવું હતું કે- ન્યાયની અંતરાત્મા એવું નથી કહેતી કે ભ્રૂણને દૂર કરવામાં આવે. અમને જીવનને ખતમ કરવાનો કોઈ જ અધિકાર નથી. તો જસ્ટિસ બીવી નાગરત્નાનું કહેવું હતું કે- મહિલાને પોતાના શરીર પર અધિકાર છે. ગર્ભને તેના શરીરથી અલગ કરીને ન જોઈ શકાય. મહિલાના શરીરમાં ઉછરી રહેલું ભ્રૂણ પણ તેમનું જ છે. આ રીતે બે જજની બેંચમાં જ્યારે નિર્ણય ન થયો તો મામલો ત્રણ સભ્યની બેંચ સમક્ષ મોકલવામાં આવ્યો હતો, સુપ્રીમ કોર્ટની આ બેન્ચે પણ એબોર્શન ના વિરૂધ્ધમાં ચુકાદો સંભળાવ્યો હતો. 



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.