સર્વોચ્ચ અદાલતે 26 સપ્તાહની સગર્ભાની એબોર્શનની માંગ કરતી અરજી ફગાવી, સુપ્રીમે આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2023-10-16 22:32:53

દેશની સર્વોચ્ચ અદાલતે એક મહિલાના 26 સપ્તાહના ગર્ભને પાડવાની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ગર્ભવતી મહિલાએ અબૉર્શન માટે એક અરજી દાખલ કરી હતી, જેના પર લાંબી સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ પહેલા કોર્ટે કહ્યું હતું કે- અમે એક જીવનને ખતમ કરવાની મંજૂરી ન આપી શકીએ. કોર્ટે સુનાવણી દરમિયાન એમ પણ કહ્યું કે- બાળકની સ્થિતિ એકદમ યોગ્ય છે અને તેનો જન્મ થવો જ જોઈએ. જો મહિલા બાળકને નથી રાખવા માગતી તો તે સરકારને સોંપી શકે છે અને તે બાળકનું ધ્યાન રાખશે. 


શા માટે ફગાવી માગ?


સુપ્રીમ કોર્ટેની બેન્ચે ગર્ભવતી મહિલાની માગ ફગાવતા કહ્યું હતું કે ભ્રૂણ 26 સપ્તાહ 5 દિવસનું છે. માતા અને બાળકને કોઈ જ ખતરો નથી. ભ્રૂણનો ગ્રોથ એકદમ સામાન્ય છે. તેથી તેણ જન્મ લેવા દેવો જોઈએ.આ પહેલા કોર્ટે AIIMSના રિપોર્ટ પર વિચાર કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મહિલાની તબિયત સામાન્ય છે. તેઓ બાળકના જન્મ બાદ તેની સારસંભાળ રાખવાની સ્થિતિમાં છે. હોસ્પિટલે કહ્યું કે મહિલા અને તેના શરીરમાં ઉછરી રહેલા બાળકને યોગ્ય દેખભાળ રાખવામાં આવી રહી છે. બંનેમાં કોઈ ઉણપ નથી અને ભ્રૂણ યોગ્ય રીતે વિકસિત થઈ રહ્યું છે. AIIMSના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે- તેવું જાણવા મળ્યું છે કે મહિલા અને તેના ભ્રૂણની સ્થિતિ યોગ્ય છે. તેણે પ્રોપર મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. બંનેની સ્થિતિ યોગ્ય છે અને બાળકના જન્મ બાદ પણ કોઈ પરેશાન નહીં આવે. જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે તો મહિલા તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરી શકાય છે.


કાયદા મુજબ 24 સપ્તાહથી વધુના ગર્ભનું એબોર્શન ન કરી શકાય


સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિડ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ જેબી પારડીવાલા તેમજ જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે AIIMSના રિપોર્ટ બાદ કહ્યું કે- જો મહિલા બાળકને પોતાની પાસે નથી રાખવા માગતું તો પછી જન્મ પછી સરકારને સોંપી શકે છે. મહિલાનું કહેવું હતું તેની માનસિક સ્થિતિ યોગ્ય નથી અને તે અનેક બીમારીઓનો સામનો કરી રહી છે. એવામાં બાળકને જન્મ આપવાની સ્થિતિમાં નથી અને તેણે 26 સપ્તાહના ભ્રૂણના ગર્ભપાતની મંજૂરી મળવી જોઈએ. ભારતના કાયદા મુજબ 24 સપ્તાહથી વધુના ભ્રૂણને દૂર ન કરી શકાય, તે માટે કાયદાકીય રીતે મંજૂરી મળ્યા બાદ જ ડોકટર અને સંબંધિત લોકો કોઈ નિર્ણય લઈ શકે છે.આ મામલે 11 ઓક્ટોબરે બે સભ્યની બેંચમાં નિર્ણયને લઈને સહમતિ બની શકી ન હતી. જેનું કારણ એ હતું કે બંને જજની ભલામણ અલગ હતી. જસ્ટિસ હિમા કોહલીનું કહેવું હતું કે- ન્યાયની અંતરાત્મા એવું નથી કહેતી કે ભ્રૂણને દૂર કરવામાં આવે. અમને જીવનને ખતમ કરવાનો કોઈ જ અધિકાર નથી. તો જસ્ટિસ બીવી નાગરત્નાનું કહેવું હતું કે- મહિલાને પોતાના શરીર પર અધિકાર છે. ગર્ભને તેના શરીરથી અલગ કરીને ન જોઈ શકાય. મહિલાના શરીરમાં ઉછરી રહેલું ભ્રૂણ પણ તેમનું જ છે. આ રીતે બે જજની બેંચમાં જ્યારે નિર્ણય ન થયો તો મામલો ત્રણ સભ્યની બેંચ સમક્ષ મોકલવામાં આવ્યો હતો, સુપ્રીમ કોર્ટની આ બેન્ચે પણ એબોર્શન ના વિરૂધ્ધમાં ચુકાદો સંભળાવ્યો હતો. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .