સર્વોચ્ચ અદાલતે 26 સપ્તાહની સગર્ભાની એબોર્શનની માંગ કરતી અરજી ફગાવી, સુપ્રીમે આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2023-10-16 22:32:53

દેશની સર્વોચ્ચ અદાલતે એક મહિલાના 26 સપ્તાહના ગર્ભને પાડવાની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ગર્ભવતી મહિલાએ અબૉર્શન માટે એક અરજી દાખલ કરી હતી, જેના પર લાંબી સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ પહેલા કોર્ટે કહ્યું હતું કે- અમે એક જીવનને ખતમ કરવાની મંજૂરી ન આપી શકીએ. કોર્ટે સુનાવણી દરમિયાન એમ પણ કહ્યું કે- બાળકની સ્થિતિ એકદમ યોગ્ય છે અને તેનો જન્મ થવો જ જોઈએ. જો મહિલા બાળકને નથી રાખવા માગતી તો તે સરકારને સોંપી શકે છે અને તે બાળકનું ધ્યાન રાખશે. 


શા માટે ફગાવી માગ?


સુપ્રીમ કોર્ટેની બેન્ચે ગર્ભવતી મહિલાની માગ ફગાવતા કહ્યું હતું કે ભ્રૂણ 26 સપ્તાહ 5 દિવસનું છે. માતા અને બાળકને કોઈ જ ખતરો નથી. ભ્રૂણનો ગ્રોથ એકદમ સામાન્ય છે. તેથી તેણ જન્મ લેવા દેવો જોઈએ.આ પહેલા કોર્ટે AIIMSના રિપોર્ટ પર વિચાર કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મહિલાની તબિયત સામાન્ય છે. તેઓ બાળકના જન્મ બાદ તેની સારસંભાળ રાખવાની સ્થિતિમાં છે. હોસ્પિટલે કહ્યું કે મહિલા અને તેના શરીરમાં ઉછરી રહેલા બાળકને યોગ્ય દેખભાળ રાખવામાં આવી રહી છે. બંનેમાં કોઈ ઉણપ નથી અને ભ્રૂણ યોગ્ય રીતે વિકસિત થઈ રહ્યું છે. AIIMSના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે- તેવું જાણવા મળ્યું છે કે મહિલા અને તેના ભ્રૂણની સ્થિતિ યોગ્ય છે. તેણે પ્રોપર મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. બંનેની સ્થિતિ યોગ્ય છે અને બાળકના જન્મ બાદ પણ કોઈ પરેશાન નહીં આવે. જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે તો મહિલા તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરી શકાય છે.


કાયદા મુજબ 24 સપ્તાહથી વધુના ગર્ભનું એબોર્શન ન કરી શકાય


સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિડ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ જેબી પારડીવાલા તેમજ જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે AIIMSના રિપોર્ટ બાદ કહ્યું કે- જો મહિલા બાળકને પોતાની પાસે નથી રાખવા માગતું તો પછી જન્મ પછી સરકારને સોંપી શકે છે. મહિલાનું કહેવું હતું તેની માનસિક સ્થિતિ યોગ્ય નથી અને તે અનેક બીમારીઓનો સામનો કરી રહી છે. એવામાં બાળકને જન્મ આપવાની સ્થિતિમાં નથી અને તેણે 26 સપ્તાહના ભ્રૂણના ગર્ભપાતની મંજૂરી મળવી જોઈએ. ભારતના કાયદા મુજબ 24 સપ્તાહથી વધુના ભ્રૂણને દૂર ન કરી શકાય, તે માટે કાયદાકીય રીતે મંજૂરી મળ્યા બાદ જ ડોકટર અને સંબંધિત લોકો કોઈ નિર્ણય લઈ શકે છે.આ મામલે 11 ઓક્ટોબરે બે સભ્યની બેંચમાં નિર્ણયને લઈને સહમતિ બની શકી ન હતી. જેનું કારણ એ હતું કે બંને જજની ભલામણ અલગ હતી. જસ્ટિસ હિમા કોહલીનું કહેવું હતું કે- ન્યાયની અંતરાત્મા એવું નથી કહેતી કે ભ્રૂણને દૂર કરવામાં આવે. અમને જીવનને ખતમ કરવાનો કોઈ જ અધિકાર નથી. તો જસ્ટિસ બીવી નાગરત્નાનું કહેવું હતું કે- મહિલાને પોતાના શરીર પર અધિકાર છે. ગર્ભને તેના શરીરથી અલગ કરીને ન જોઈ શકાય. મહિલાના શરીરમાં ઉછરી રહેલું ભ્રૂણ પણ તેમનું જ છે. આ રીતે બે જજની બેંચમાં જ્યારે નિર્ણય ન થયો તો મામલો ત્રણ સભ્યની બેંચ સમક્ષ મોકલવામાં આવ્યો હતો, સુપ્રીમ કોર્ટની આ બેન્ચે પણ એબોર્શન ના વિરૂધ્ધમાં ચુકાદો સંભળાવ્યો હતો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.