અરુણાચલ પ્રદેશનાં 11 સ્થળોનાં નામ ચીને બદલ્યાં! જગ્યાઓના નામ બદલી શું કરવા ઈચ્છે છે ચીન?


  • Published By :
  • Published Date : 2023-04-04 11:48:57

ભારત અને ચીન વચ્ચેના સંબંધો વિશે તો આપણે સહુ કોઈ જાણીએ છીએ. ચીન દ્વારા કરવામાં આવતી અવળચંડાઈ અનેક વખત ચર્ચાનો વિષય બનતો હોય છે. અરૂણાચલ પ્રદેશને લઈ ચીન ચર્ચામાં આવ્યું છે. અરૂણાચલ પ્રદેશની સરહદે આવેલા 11 વિસ્તારોના નામ ચીને પોતાના નક્શામાં બદલી દીધા હોવાના સમાચાર મળી રહ્યા છે. મહત્વનું છે ચીન અરૂણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો માનતું નથી. ચીન અરૂણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ માને છે.


ચીને 11 જેટલી જગ્યાઓના નામ બદલ્યા! 

ચીન દ્વારા અનેક વખત એવી હરકત કરવામાં આવે જેને કારણે તેની ચર્ચાઓ થતી રહે છે. ત્યારે અરૂણાચલ પ્રદેશને લઈ ચીને પ્રતિક્રિયા આપી છે. પોતાના નક્શામાં ચીને અરૂણાચલ પ્રદેશની સરહદે આવેલા 11 જેટલા વિસ્તારોના નામને બદલી લીધા છે. ચીનના સરકારી ન્યુઝ પેપર ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર 11 નામો બદલવાની પરવાનગી ચીનની સિવિલ અફેર મિનિસ્ટ્રીએ આપી દીધી છે. તેમાં બે ભૂ ભાગના નામ, બે રહેણાંક વિસ્તારના નામ છે. બે નદીઓના નામનો સમાવેશ થાય છે જ્યારે પાંચ પર્વતીય ક્ષેત્રો છે. તિબેટના દક્ષિણ ભાદને જંગનનું નામ આપવામાં આવ્યું છે. આ બધામાંથી એક વિસ્તાર એવો છે જે અરૂણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરથી ખૂબ નજીક છે.


આ પહેલા પણ ચીન દ્વારા કરવામાં આવ્યું છે આવું કૃત્ય

ચીન દ્વારા કરવામાં આવેલું આ કૃત્ય પહેલી વારનું નથી. છેલ્લા 5 વર્ષના સમય દરમિયાન ચીન દ્વારા આવી હરકત ત્રીજી વખત કરવામાં આવી છે. 2021માં ચીને 15 જગ્યાના નામ બદલ્યા હતા જ્યારે 2017માં 6 જેટલી જગ્યાઓના નામ બદલ્યા હતા. ત્યારે ત્રીજી એપ્રિલે ચીને 11 જેટલી જગ્યાઓના નામ બદલ્યા છે. ભારત દ્વારા આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં  આવી નથી. અરૂણાચલ પ્રદેશ ભારતનો ભાગ છે તેનો સ્વીકાર ચીન દ્વારા કરવામાં આવ્યો નથી. ચીન તેને દક્ષિણ તિબેટના ભાગ તરીકે વર્ણવે છે. 


ભારત દ્વારા આ મામલે અપાતો રહ્યો છે જડબાતોડ જવાબ 

ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ભલે હજી સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા અથવા તો જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ આ પહેલા ભારત દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. વિદેશમંત્રાલયના પ્રવક્તાએ તે સમયે જવાબ આપતા કહ્યું હતું કે અરૂણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. નામ બદલવાથી સત્ય બદલાઈ જતું નથી. 


નામ બદલવાની શું હોય છે પ્રક્રિયા? 

ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે હજારો મીટરની લાંબી લાઈન ઓફ એક્ચ્યુયલ કંટ્રોલ આવેલી છે. જેને લઈ વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈ ચીન અરૂણાચલ પ્રદેશને પોતાનો ભાગ માને છે. 1126 કિલોમીટર અરૂણાચલ પ્રદેશની સીમા ચીન સાથેની છે જ્યારે 520 કિલોમીટર ભારત સાથે મળે છે જ્યારે 1126 કિલોમીટર લાંબી સીમા ચીન સાથે મળે છે. ચીન એવો દાવો કરે છે કે અરૂણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો ભાગ છે. આ બધી ચર્ચાઓ વચ્ચે તમને થતું હશે કે શું ખરેખર નામતો બદલાઈ નથી જવાનું ને? માત્ર ચીનના કહી દેવાથી નામ નથી બદલાઈ જતું. નામ બદલવા માટે અનેક નીતિ નિયમો હોય છે. જો કોઈ દેશ નામ બદલવા માંગતું હોય તો તેને આ મામલે પહેલા યુએનના જિયોગ્રાફિક વિભાગને જાણ કરવી પડે. જે બાદ તેમની ટીમ સ્થળની વિઝિટ કરે અને તપાસ કરે. જો તથ્યો સાચા પૂરવાર થાય તે બાદ જ નામનો ફેરફાર કરવા મંજૂરી આપવામાં આવે છે.           



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.