અરુણાચલ પ્રદેશનાં 11 સ્થળોનાં નામ ચીને બદલ્યાં! જગ્યાઓના નામ બદલી શું કરવા ઈચ્છે છે ચીન?


  • Published By :
  • Published Date : 2023-04-04 11:48:57

ભારત અને ચીન વચ્ચેના સંબંધો વિશે તો આપણે સહુ કોઈ જાણીએ છીએ. ચીન દ્વારા કરવામાં આવતી અવળચંડાઈ અનેક વખત ચર્ચાનો વિષય બનતો હોય છે. અરૂણાચલ પ્રદેશને લઈ ચીન ચર્ચામાં આવ્યું છે. અરૂણાચલ પ્રદેશની સરહદે આવેલા 11 વિસ્તારોના નામ ચીને પોતાના નક્શામાં બદલી દીધા હોવાના સમાચાર મળી રહ્યા છે. મહત્વનું છે ચીન અરૂણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો માનતું નથી. ચીન અરૂણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ માને છે.


ચીને 11 જેટલી જગ્યાઓના નામ બદલ્યા! 

ચીન દ્વારા અનેક વખત એવી હરકત કરવામાં આવે જેને કારણે તેની ચર્ચાઓ થતી રહે છે. ત્યારે અરૂણાચલ પ્રદેશને લઈ ચીને પ્રતિક્રિયા આપી છે. પોતાના નક્શામાં ચીને અરૂણાચલ પ્રદેશની સરહદે આવેલા 11 જેટલા વિસ્તારોના નામને બદલી લીધા છે. ચીનના સરકારી ન્યુઝ પેપર ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર 11 નામો બદલવાની પરવાનગી ચીનની સિવિલ અફેર મિનિસ્ટ્રીએ આપી દીધી છે. તેમાં બે ભૂ ભાગના નામ, બે રહેણાંક વિસ્તારના નામ છે. બે નદીઓના નામનો સમાવેશ થાય છે જ્યારે પાંચ પર્વતીય ક્ષેત્રો છે. તિબેટના દક્ષિણ ભાદને જંગનનું નામ આપવામાં આવ્યું છે. આ બધામાંથી એક વિસ્તાર એવો છે જે અરૂણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરથી ખૂબ નજીક છે.


આ પહેલા પણ ચીન દ્વારા કરવામાં આવ્યું છે આવું કૃત્ય

ચીન દ્વારા કરવામાં આવેલું આ કૃત્ય પહેલી વારનું નથી. છેલ્લા 5 વર્ષના સમય દરમિયાન ચીન દ્વારા આવી હરકત ત્રીજી વખત કરવામાં આવી છે. 2021માં ચીને 15 જગ્યાના નામ બદલ્યા હતા જ્યારે 2017માં 6 જેટલી જગ્યાઓના નામ બદલ્યા હતા. ત્યારે ત્રીજી એપ્રિલે ચીને 11 જેટલી જગ્યાઓના નામ બદલ્યા છે. ભારત દ્વારા આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં  આવી નથી. અરૂણાચલ પ્રદેશ ભારતનો ભાગ છે તેનો સ્વીકાર ચીન દ્વારા કરવામાં આવ્યો નથી. ચીન તેને દક્ષિણ તિબેટના ભાગ તરીકે વર્ણવે છે. 


ભારત દ્વારા આ મામલે અપાતો રહ્યો છે જડબાતોડ જવાબ 

ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ભલે હજી સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા અથવા તો જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ આ પહેલા ભારત દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. વિદેશમંત્રાલયના પ્રવક્તાએ તે સમયે જવાબ આપતા કહ્યું હતું કે અરૂણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. નામ બદલવાથી સત્ય બદલાઈ જતું નથી. 


નામ બદલવાની શું હોય છે પ્રક્રિયા? 

ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે હજારો મીટરની લાંબી લાઈન ઓફ એક્ચ્યુયલ કંટ્રોલ આવેલી છે. જેને લઈ વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈ ચીન અરૂણાચલ પ્રદેશને પોતાનો ભાગ માને છે. 1126 કિલોમીટર અરૂણાચલ પ્રદેશની સીમા ચીન સાથેની છે જ્યારે 520 કિલોમીટર ભારત સાથે મળે છે જ્યારે 1126 કિલોમીટર લાંબી સીમા ચીન સાથે મળે છે. ચીન એવો દાવો કરે છે કે અરૂણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો ભાગ છે. આ બધી ચર્ચાઓ વચ્ચે તમને થતું હશે કે શું ખરેખર નામતો બદલાઈ નથી જવાનું ને? માત્ર ચીનના કહી દેવાથી નામ નથી બદલાઈ જતું. નામ બદલવા માટે અનેક નીતિ નિયમો હોય છે. જો કોઈ દેશ નામ બદલવા માંગતું હોય તો તેને આ મામલે પહેલા યુએનના જિયોગ્રાફિક વિભાગને જાણ કરવી પડે. જે બાદ તેમની ટીમ સ્થળની વિઝિટ કરે અને તપાસ કરે. જો તથ્યો સાચા પૂરવાર થાય તે બાદ જ નામનો ફેરફાર કરવા મંજૂરી આપવામાં આવે છે.           



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.