બિહારમાં CM નિતીશની મોટી જાહેરાત, અનામતનો વ્યાપ વધારીને 75% કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં રજુ


  • Published By :
  • Published Date : 2023-11-07 18:41:48

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિગતવાર રિપોર્ટ મંગળવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે એક મોટી વાત કહી. સીએમ નીતિશે રાજ્યમાં OBC અનામતનો વ્યાપ વધારીને 75 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.


બિહાર વિધાનસભામાં ચર્ચા દરમિયાન, સીએમ નીતિશે બિહારમાં અનામતનો વિસ્તાર 50 થી વધારીને 65 કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. EWS ના 10 ટકાનો સમાવેશ કરીને આરક્ષણને 75 ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. ચર્ચા દરમિયાન સીએમ નીતિશે કહ્યું કે અનામત વધારવા માટે સલાહ લેવામાં આવશે. અમે આ સત્રમાં જ ફેરફારો લાગુ કરવા માંગીએ છીએ.


અનામતનો વ્યાપ કેવી રીતે વધારશે?


સીએમ નીતિશે કહ્યું કે સરકાર અનામતનો વ્યાપ વધારવા જઈ રહી છે. આ દરખાસ્ત મુજબ - - હાલમાં SC માટે 16 ટકા અનામત વધારીને 20 ટકા કરવામાં આવશે - STને 1 ટકાથી વધારીને 2 ટકા કરવામાં આવશે - EBC (એકસ્ટ્રીમલી બેકવર્ડ) અને OBCને મળીને 43 ટકા અનામત આપવામાં આવશે.


જાતિ આધારિત ગણતરી અંગેના મહત્વના મુદ્દા


વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ જાતિ આધારિત વસ્તી ગણતરીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બિહારમાં અનુસૂચિત જનજાતિમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે. જ્યારે અનુસૂચિત જાતિના કુલ 42.93% પરિવારો ગરીબ છે.


સરકારી આંકડાઓ અનુસાર, રાજ્યમાં 33% લોકો શાળાએ પણ જતા નથી. એટલું જ નહીં રાજ્યમાં સૌથી ગરીબ વર્ગ ભૂમિહાર પરિવારો છે. તે પછી બ્રાહ્મણ પરિવારો છે. જ્યારે સામાન્ય વર્ગમાં ગરીબ પરિવારોની સંખ્યા 25.09 ટકા છે. પછાત વર્ગમાં 33.16 ટકા ગરીબ પરિવારો છે. અત્યંત પછાત (EBC)માં 33.58 ટકા ગરીબ પરિવારો છે. અનુસૂચિત જાતિમાં 42.93 ટકા ગરીબ પરિવારો છે. અનુસૂચિત જનજાતિમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે. અન્ય જાતિઓમાં 23.72 ટકા ગરીબ પરિવારો છે.



ઇટાલી અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ વચ્ચે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવાને લઇને વાર્તાલાપ પડી ભાંગ્યો છે . આ પાછળ ઇટાલીની સરકાર પર ત્યાંના વિરોધ પક્ષે જોરદાર દબાણ ઉભું કર્યું હતું . આ ઉપરાંત ઈલોન મસ્કની જે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકટતા છે તેના લીધે પણ આ વાર્તાલાપ પડી ભાંગ્યો છે. ઈલોન મસ્ક હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં જોરદાર વિરોધનો સામનો કરી રહ્યા છે.

વ્યક્તિ પોતાના ઘરમાં કેટલી રકમ રાખી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી. જ્યાં સુધી તમે સાબિત કરી શકો કે તે કાયદેસરના સ્ત્રોત માંથી કમાયા છે અને તમે તેને તમારા આવકવેરા રિટર્નમાં જાહેર કર્યું છે ત્યાં સુધી આ લાગુ રહેશે. જો તમે સાબિત કરી શકતા નથી કે પૈસા કાયદેસર નથી, તો તમને ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે.

6G ઈન્ટરનેટ માટે ચાઈનામાં તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે . તો આ બાજુ યુએસમાં નેક્સટજી નામનું અલાયન્સ બનાવવામાં આવ્યું છે . યુરોપમાં નોકિયા , ક્વાલકોમ , એટીએનટી આ 6G ઈન્ટરનેટ માટે કામ કરી રહ્યા છે . ભારત પણ આ રેસમાંથી બહાર નથી . ભારત ૨૦૩૦ના વર્ષ સુધી 6Gમાં ગ્લોબલ લીડર બનવા માંગે છે . આ માટે ભારતે "ભારત 6G પ્રોજેક્ટ" અમલમાં મુક્યો છે .

દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા જેમના ઘરે નોટોનો ઢગલો મળી આવ્યો છે . હવે દિલ્હી હાઈકૉર્ટે તેમને ફરજમાંથી મુક્ત કરી દીધા છે . આ બાજુ સુપ્રીમ કોર્ટે આ સંપૂર્ણ ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશન બેસાડ્યું છે . તો હવે જોઈએ કોલેજિયમ યશવંત વર્માને શું સજા ફટકારે છે.