દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્સન વધ્યું, જુલાઈ-સપ્ટેમ્બરમાં 38,320 અબજના વ્યવહારો થયા


  • Published By :
  • Published Date : 2022-12-06 18:19:37

દેશમાં ડિજિટાઇઝેશન વધારવાના સરકારના પ્રયત્નો હવે રંગ લાવી રહ્યો છે. દેશમાં ડિજિટલ વ્યવહારો ઝડપથી વધી રહ્યા છે. આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં, UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ), ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ અને મોબાઈલ વોલેટ્સ જેવી પ્રીપેડ પેમેન્ટ પ્રોડક્ટ્સ દ્વારા રૂ. 38,320 અબજના ડિજિટલ વ્યવહારો થયા છે. ફાઇનાન્શિયલ ટેક્નોલોજી કંપની વર્લ્ડલાઇન ઇન્ડિયાએ તેના એક રિપોર્ટમાં આ માહિતી આપી છે.

 

ડિજિટલ વ્યવહારો પર UPIનું પ્રભુત્વ 


ત્રીજા ક્વાર્ટરના ઈન્ડિયા ડિજિટલ પેમેન્ટ્સ રિપોર્ટ અનુસાર, ₹32,500 અબજના ટ્રાન્ઝેક્શન UPI દ્વારા કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “વાર્ષિક ધોરણે ટ્રાન્ઝેક્સનની સંખ્યા અને મૂલ્ય બંને લગભગ બમણા થયા છે. 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં સંખ્યાની દ્રષ્ટિએ 88 ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ 71 ટકાથી વધુનો વધારો થયો છે.


ડિજિટલ પેમેન્ટ જીવનનો અભિન્ન ભાગ


વર્લ્ડલાઇનના સીઇઓ રમેશ નરસિમ્હને જણાવ્યું હતું કે, “ડિજિટલ પેમેન્ટ ધીમે ધીમે… આપણા જીવનનો અભિન્ન ભાગ બની રહ્યું  છે. દરેક ત્રિમાસિકમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. UPI,કાર્ડ્સ, પ્રીપેડ પેમેન્ટ પ્રોડક્ટ્સ જેવા લોકપ્રિય પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પહેલેથી જ એક જ ત્રિમાસિકમાં 23 અબજથી વધુ ટ્રાન્ઝેક્સન કરી રહ્યા છે.


રિપોર્ટ અનુસાર, મુંબઈ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ એમ પાંચ રાજ્યો ટોચ પર છે, જ્યાં સૌથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે તે શહેરોમાં બેંગલુરુ પ્રથમ ક્રમે આવે છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.