દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્સન વધ્યું, જુલાઈ-સપ્ટેમ્બરમાં 38,320 અબજના વ્યવહારો થયા


  • Published By :
  • Published Date : 2022-12-06 18:19:37

દેશમાં ડિજિટાઇઝેશન વધારવાના સરકારના પ્રયત્નો હવે રંગ લાવી રહ્યો છે. દેશમાં ડિજિટલ વ્યવહારો ઝડપથી વધી રહ્યા છે. આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં, UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ), ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ અને મોબાઈલ વોલેટ્સ જેવી પ્રીપેડ પેમેન્ટ પ્રોડક્ટ્સ દ્વારા રૂ. 38,320 અબજના ડિજિટલ વ્યવહારો થયા છે. ફાઇનાન્શિયલ ટેક્નોલોજી કંપની વર્લ્ડલાઇન ઇન્ડિયાએ તેના એક રિપોર્ટમાં આ માહિતી આપી છે.

 

ડિજિટલ વ્યવહારો પર UPIનું પ્રભુત્વ 


ત્રીજા ક્વાર્ટરના ઈન્ડિયા ડિજિટલ પેમેન્ટ્સ રિપોર્ટ અનુસાર, ₹32,500 અબજના ટ્રાન્ઝેક્શન UPI દ્વારા કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “વાર્ષિક ધોરણે ટ્રાન્ઝેક્સનની સંખ્યા અને મૂલ્ય બંને લગભગ બમણા થયા છે. 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં સંખ્યાની દ્રષ્ટિએ 88 ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ 71 ટકાથી વધુનો વધારો થયો છે.


ડિજિટલ પેમેન્ટ જીવનનો અભિન્ન ભાગ


વર્લ્ડલાઇનના સીઇઓ રમેશ નરસિમ્હને જણાવ્યું હતું કે, “ડિજિટલ પેમેન્ટ ધીમે ધીમે… આપણા જીવનનો અભિન્ન ભાગ બની રહ્યું  છે. દરેક ત્રિમાસિકમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. UPI,કાર્ડ્સ, પ્રીપેડ પેમેન્ટ પ્રોડક્ટ્સ જેવા લોકપ્રિય પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પહેલેથી જ એક જ ત્રિમાસિકમાં 23 અબજથી વધુ ટ્રાન્ઝેક્સન કરી રહ્યા છે.


રિપોર્ટ અનુસાર, મુંબઈ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ એમ પાંચ રાજ્યો ટોચ પર છે, જ્યાં સૌથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે તે શહેરોમાં બેંગલુરુ પ્રથમ ક્રમે આવે છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.