દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્સન વધ્યું, જુલાઈ-સપ્ટેમ્બરમાં 38,320 અબજના વ્યવહારો થયા


  • Published By :
  • Published Date : 2022-12-06 18:19:37

દેશમાં ડિજિટાઇઝેશન વધારવાના સરકારના પ્રયત્નો હવે રંગ લાવી રહ્યો છે. દેશમાં ડિજિટલ વ્યવહારો ઝડપથી વધી રહ્યા છે. આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં, UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ), ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ અને મોબાઈલ વોલેટ્સ જેવી પ્રીપેડ પેમેન્ટ પ્રોડક્ટ્સ દ્વારા રૂ. 38,320 અબજના ડિજિટલ વ્યવહારો થયા છે. ફાઇનાન્શિયલ ટેક્નોલોજી કંપની વર્લ્ડલાઇન ઇન્ડિયાએ તેના એક રિપોર્ટમાં આ માહિતી આપી છે.

 

ડિજિટલ વ્યવહારો પર UPIનું પ્રભુત્વ 


ત્રીજા ક્વાર્ટરના ઈન્ડિયા ડિજિટલ પેમેન્ટ્સ રિપોર્ટ અનુસાર, ₹32,500 અબજના ટ્રાન્ઝેક્શન UPI દ્વારા કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “વાર્ષિક ધોરણે ટ્રાન્ઝેક્સનની સંખ્યા અને મૂલ્ય બંને લગભગ બમણા થયા છે. 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં સંખ્યાની દ્રષ્ટિએ 88 ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ 71 ટકાથી વધુનો વધારો થયો છે.


ડિજિટલ પેમેન્ટ જીવનનો અભિન્ન ભાગ


વર્લ્ડલાઇનના સીઇઓ રમેશ નરસિમ્હને જણાવ્યું હતું કે, “ડિજિટલ પેમેન્ટ ધીમે ધીમે… આપણા જીવનનો અભિન્ન ભાગ બની રહ્યું  છે. દરેક ત્રિમાસિકમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. UPI,કાર્ડ્સ, પ્રીપેડ પેમેન્ટ પ્રોડક્ટ્સ જેવા લોકપ્રિય પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પહેલેથી જ એક જ ત્રિમાસિકમાં 23 અબજથી વધુ ટ્રાન્ઝેક્સન કરી રહ્યા છે.


રિપોર્ટ અનુસાર, મુંબઈ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ એમ પાંચ રાજ્યો ટોચ પર છે, જ્યાં સૌથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે તે શહેરોમાં બેંગલુરુ પ્રથમ ક્રમે આવે છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .