દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્સન વધ્યું, જુલાઈ-સપ્ટેમ્બરમાં 38,320 અબજના વ્યવહારો થયા


  • Published By :
  • Published Date : 2022-12-06 18:19:37

દેશમાં ડિજિટાઇઝેશન વધારવાના સરકારના પ્રયત્નો હવે રંગ લાવી રહ્યો છે. દેશમાં ડિજિટલ વ્યવહારો ઝડપથી વધી રહ્યા છે. આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં, UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ), ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ અને મોબાઈલ વોલેટ્સ જેવી પ્રીપેડ પેમેન્ટ પ્રોડક્ટ્સ દ્વારા રૂ. 38,320 અબજના ડિજિટલ વ્યવહારો થયા છે. ફાઇનાન્શિયલ ટેક્નોલોજી કંપની વર્લ્ડલાઇન ઇન્ડિયાએ તેના એક રિપોર્ટમાં આ માહિતી આપી છે.

 

ડિજિટલ વ્યવહારો પર UPIનું પ્રભુત્વ 


ત્રીજા ક્વાર્ટરના ઈન્ડિયા ડિજિટલ પેમેન્ટ્સ રિપોર્ટ અનુસાર, ₹32,500 અબજના ટ્રાન્ઝેક્શન UPI દ્વારા કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “વાર્ષિક ધોરણે ટ્રાન્ઝેક્સનની સંખ્યા અને મૂલ્ય બંને લગભગ બમણા થયા છે. 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં સંખ્યાની દ્રષ્ટિએ 88 ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ 71 ટકાથી વધુનો વધારો થયો છે.


ડિજિટલ પેમેન્ટ જીવનનો અભિન્ન ભાગ


વર્લ્ડલાઇનના સીઇઓ રમેશ નરસિમ્હને જણાવ્યું હતું કે, “ડિજિટલ પેમેન્ટ ધીમે ધીમે… આપણા જીવનનો અભિન્ન ભાગ બની રહ્યું  છે. દરેક ત્રિમાસિકમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. UPI,કાર્ડ્સ, પ્રીપેડ પેમેન્ટ પ્રોડક્ટ્સ જેવા લોકપ્રિય પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પહેલેથી જ એક જ ત્રિમાસિકમાં 23 અબજથી વધુ ટ્રાન્ઝેક્સન કરી રહ્યા છે.


રિપોર્ટ અનુસાર, મુંબઈ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ એમ પાંચ રાજ્યો ટોચ પર છે, જ્યાં સૌથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે તે શહેરોમાં બેંગલુરુ પ્રથમ ક્રમે આવે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.