ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રત્યે પડ્યા ઠંડા , "કુણું વલણ" અપનાવવા તૈયાર?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-26 16:18:09

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી જાન્યુઆરીની ૨૦મી તારીખથી વ્હાઇટહાઉસમાં પ્રવેશ્યા છે ત્યારથી તેમણે યુએસના સહયોગી દેશો પર "ટેરિફ" લગાવવાનું વલણ અપનાવ્યું છે. હવે આ લિસ્ટમાં ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી ગયું છે . ડોનાલ્ડ ટ્રમ્પએ ઘણી વાર ૨જી એપ્રિલથી ભારત પર રેસિપ્રોકલ એટલેકે જેવા સાથે તેવા ટેરિફ લગાવવાની ધમકી આપી છે . જોકે તે પેહલા અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં આ ટેરિફ મુદ્દે વાર્તાલાપ કરવા ભારત આવ્યું છે . તો આવો જાણીએ ભારત અને યુએસ વચ્ચે કઈ કઈ બાબતો પર ચર્ચા આવનારા ચાર દિવસોમાં થશે. ડોનાલ્ડ ટ્રમ્પએ ઘણીવાર તેમના ભાષણમાં કહેલું છે કે , "ડિક્ષનરીમાં તેમનો સૌથી મનપસંદ શબ્દ ટેરિફ છે." પરંતુ ટ્રમ્પ તેમના આ મનપસંદ શબ્દનો ઉપયોગ આડેધડ કરશે તે આખી દુનિયા માટે ચોંકાવનારું હતું. જોકે હવે ભારત પ્રત્યે યુએસ કુણું વલણ અપનાવે તેવી સંભાવના ચોક્કસ છે. કેમ કે, યુએસ તરફથી એક પ્રતિનિધિ મંડળ બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ટેરિફને લઇને વાટાઘાટો કરવા ભારત આવ્યું છે. આ પ્રતિનિધિ મંડળ ૨૯ માર્ચ સુધી ભારતમાં રહેશે . આ સમય દરમ્યાન દ્વિપક્ષીય વ્યાપારી કરારો (બાઈલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી ) પર પણ વાર્તાલાપ શક્ય છે. 

What would Donald Trump's victory mean for the EU?

પેહલા દિવસે ભારત અને યુએસ વચ્ચે ટેરિફ સંબંધિત વિવિધ મુદ્દાઓને લઇને વ્યાપક ચર્ચા થઇ હતી . અમેરિકા ઈચ્છે છે કે , ભારત અમેરિકન દારૂ અને કૃષિ ઉત્પાદનો પર ટેરીફમાં નોંધપાત્ર ઘટાડો કરે . જોકે ભારતે આ ટેરિફને લઇને પોતાની સીમાઓ અમેરિકાના પ્રતિનિધિ મંડળ સામે રાખી ચૂક્યું છે. ભારત આ માટે "મધ્યમમાર્ગી" નિવેડો ઈચ્છે છે. વાત કરીએ કૃષિ ઉત્પાદનોની તો , જો ભારતે પોતાનું માર્કેટ યુએસના સસ્તા કૃષિ ઉત્પાદનો માટે ખુલ્લું મૂક્યું તો આપણા ખેડૂતોને મોટું નુકશાન થઈ શકે છે. હવે વાત કરીએ , દારૂની તો , ભારત અમેરિકન દારૂની આયાત પર ૧૫૦ ટકા ટેરિફ લગાડે છે જયારે ઓટોમોબાઇલ સેક્ટરમાં ૧૬૫ ટકા ટેરિફ લગાડે છે. પરંતુ ભારત આ બધા જ ટેરિફ પોતાના દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપવા લગાડે છે. જોકે હવે આ મિટિંગના પેહલા દિવસે ભારતે સંકેત આપ્યો હતો કે , ભારત અમેરિકન મોટરસાયકલ અને વહીસ્કીની આયાત પર ટેરિફ ઘટાડી શકે છે. 

Will Modi's high-risk gambit with Trump pay off? - India Today

અમેરિકાએ તો ભારત સાથે ડિજિટલ ટ્રેડને લઇને આકરું વલણ અપનાવ્યું છે . ભારત એવું ઈચ્છે છે કે , આપણો ડેટા આપણા દેશમાં જ સેવ થાય એટલેકે , તેને ટેક્નિકલ ભાષામાં "ડેટા લોકલાઈઝેશન" પણ કહે છે. ડેટા લોકલાઈઝેશનથી આપણો ડેટા અમેરિકામાં કે બીજા કોઈ દેશમાં નથી જઈ શકતો જોકે હવે અમેરકાને આમાં પણ વાંધો પડ્યો છે. વાત કરીએ , જો અમેરિકા ભારત પર ૨જી એપ્રિલથી આ રેસિપ્રોકલ ટેરિફ લગાડે તો , ભારતને ૫.૬૬ લાખ કરોડનું નુકશાન થઈ  શકે છે. આ રેસિપ્રોકલ ટેરિફ આપણી ૮૭ ટકા અમેરિકામાં થતી નિકાસોને અસર પહોંચાડશે . જોકે હવે ભારતે ૫૫ ટકા અમેરિકી આયાતો પર ટેરિફ ઘટાડવાની તૈયારી બતાવી છે. તેના લીધે ૧.૯૭ લાખ કરોડ રૂપિયાનો ટેરિફ ઘટાડી શકે છે .તો હવે જોવાનું એ છે કે , આ પ્રતિનિધિ મંડળ જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું છે તેનાથી કોઈ રસ્તો નીકળે છે કે કેમ? આ વાટાઘાટોમાં જે પણ અપડેટ હશે તેની પર અમે અપડેટ આપતા રહીશું.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.